August 24, 2010

જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત
જય જય ગરવી ગુજરાત
દીપે અરુણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત,
તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત-
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશામાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ,
ને સોમનાથે ને દ્રારકેશ એ, પશ્ર્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય,
વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ,
તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત
જમ ઘૂમે નર્મદા સાથ
જય જય ગરવી ગુજરાત

હજુયે યાદ છે

એકવેળા આપને મેં દઈ દીધેલું દિલ, હજુયે યાદ છે
ને પછી ભરતો રહયો’તો હોટેલનાં બિલ, હજુયે યાદ છે

પ્રિયતમ! હા,તારા ચહેરા પર હતા એ ખિલ હજુયે યાદ છે
મારા પૈસે તેં ઘસી બેફામ ક્લેરેસીલ હજુયે યાદ છે

સાયકલ અથડાવીને સોરી કહ્યાની સ્કીલ હજુયે યાદ છે
ને પછીથી સાંપડેલી સેન્ડલોની હીલ હજુયે યાદ છે

માનતો’તો હું કે પૈંડા બે જ છે સંસારરથનાં હું ને તું
ને પાડોશમાં હતા તારાં ઘણાં સ્પેરવ્હીલ હજુયે યાદ છે

અફસોસ નથી

પ્રયાસો થતાં જ રહ્યા
ને મળ્યું લાંબા અંતરનું એક દિલ.
પ્રેમના તાતણે એવા બંધાતા જ
રહ્યા કે કદી તૂટે નહીં.
મળતાં જ રહ્યા પળે-પળે
ને પ્રેમના દીપ જલતાં જ રહ્યા દિન-રાત.
‘અફસોસ’ નથી આજે મને તારા નફરતનો,
પણ શીખ્યો ઘણો હું પ્રેમની દુનિયામાં કે
નફરત કરનારાઓ પણ ઘણા હોય છે.

ચાંદનીની રાહ એ જોતું નથી

ચાંદનીની રાહ એ જોતું નથી
આંગણું એકાંતને રોતું નથી
રાત પાસે આગિયા પણ હોય છે
એકલું અંધારું કાંઈ હોતું નથી

- કૈલાસ પંડિત

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે

કોઈ સ્મિતે સ્મિતે સળગે છે
કોઈ રડીને દિલ બહેલાવે છે
કોઈ ટીપે ટીપે તરસે છે
કોઈ જામ નવા છલકાવે છે
સંજોગના પાલવમાં છે બધું
દરિયાને ઠપકો ના આપો
એક તરતો માણસ ડૂબે છે
એક લાશ તરીને આવે છે

- સૈફ પાલનપુરી

એકાદ એવી યાદ તો છોડી જવી હતી

એકાદ એવી યાદ તો છોડી જવી હતી

છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી
વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે
થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

- કૈલાસ પંડિત

મહાનતાનો શોર્ટકટ, મહેનત

અમારા પરિવારમાં કલા અને શિક્ષણને હંમેશાં પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. એમાંય સંગીત અને ચિત્રકામ જેવા વિષયો તો ફરજિયાત રહ્યા છે. શ્રીમંત પરિવારમાં મારો જન્મ થયો હોવા છતાં જીવનમાં પોતાનું અનોખું કંઇક કરવું એવા વિચારો અમારામાં પહેલેથી જ રોપવામાં આવ્યા હતા. નાના હોઇએ ત્યારે શું કરવું, શેમાં આગળ વધવું એનું આપણને ખાસ કોઇ જ્ઞાન ન હોય. એવું જ મારી સાથે બન્યું. મારે ભણીગણીને કંઇક કરવું હતું.


તેથી મેં એન્જિનિયર બનવાનું નક્કી કર્યું. ૧૫ વર્ષનો હતો ત્યારે મેં કોલેજમાં જઇ એન્જિનિયર બનવાની ઇચ્છા વ્યક્ત કરી. એન્જિનિયર બનવા માટે મારી ઉંમર નાની હતી. બીજું, ‘તમારું ચિત્રકામ ઘણું સારું છે’એવું કોલેજના અધ્યાપકે મને કહ્યું અને સાથે એ પણ ઉમેર્યું કે મારે એન્જિનિયર બનવા કરતાં ફાઇન આર્ટ્સ કરી કલાના ક્ષેત્રમાં ઝંપલાવવું જોઇએ. અધ્યાપકની વાતને મેં સહજપણે સ્વીકારી લીધી અને ફાઇન આર્ટ્સ કર્યું.

એ દરમિયાન મને ચિત્રોમાં રસ પડતો ગયો. એ સમયે હિન્દુસ્તાનમાં ચિત્રકલાથી લોકો ખાસ કંઇ પરિચિત નહોતા. આજે એ દિશામાં લોકોમાં થોડીઘણી જાગૃતિ આવી છે ખરી. પરંતુ મારી દ્રષ્ટિએ હજુ ઘણાં પાછળ છે. અત્યારે જે સુવિધાઓ વિદ્યાર્થીઓને સરળતાથી મળી રહે છે, તેનો પણ એ વખતે અભાવ હતો. અરે, પેઇન્ટિંગ કરવા બ્રશ કેવી રીતે પકડવું એ પણ લોકો જાણતા નહોતા.

જેને શીખતા દિવસો લાગી જતા હતા. વા‹ટર અને એક્રેલિક કલરને સમજતા પણ વાર લાગતી. ‘કોઇ નવી વસ્તુ શીખવી હોય, એમાં પારંગત થવું હોય તો મહેનત કરવી જ પડે. મહેનત વગર ક્યારેય સફળતા મળતી નથી’, અધ્યાપકની આ વાત મારા ગળે ઊતરી ગઇ હતી. તેથી હું હંમેશાં ચિત્રમાં કંઇક નવું કરવાનો પ્રયત્ન કરતો.

ચિત્રકલા સાથે સંકળાયેલા મારા જીવનના યાદગાર પ્રસંગની વાત કરું તો ફાઇન આર્ટ્સના મેળામાં અમારા બધાનાં ચિત્રો વેચવા માટે મૂકવામાં આવ્યાં હતાં. એમાં સૌથી પહેલાં મારું કૂકડાઓનું ચિત્ર વેચાઇ ગયું. તેની જાણ કરવા મારા પ્રોફેસર રીતસર દોડીને આવ્યા હતા. એમની સાથે મારી પણ ખુશીની કોઇ સીમા નહોતી. ફાઇન આર્ટ્સ કરી આગળ અભ્યાસ કરવા હું લંડન ગયો. ચિત્ર શીખતાં શીખતાં એમાં નવું નવું ક્રિએટ કરતો ગયો. કોઇપણ વસ્તુમાં કંઇક નવું ક્રિએટ કરવા મહેનત કરવી જ પડે છે, પછી એ ચિત્ર હોય કે સંગીત.


૨૫ વર્ષની ઉંમરે મેં પેઇન્ટિંગમાં એક્ઝિબશિન કરવાનું શરૂ કર્યું અને સમયાંતરે મુંબઇ, દિલ્હી, કોલકાતા, ઇંગ્લેન્ડ અને લંડન એમ વિવિધ જગ્યાએ એક્ઝિબશિન કરતો રહ્યો. આ એક્ઝિબશિનમાં હું ઘણો સફળ પણ રહ્યો. ત્યારબાદ સંસદસભ્ય બન્યો.

સંસદમાં જોડાવાને લીધે અવારનવાર દિલ્હી જવાનું થતું. એ દરમિયાન હું પંડિત મણિપ્રસાદજીના સંપર્કમાં આવ્યો અને સંગીત તરફ ઢળ્યો. સુગમ અને શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નાનપણમાં મેળવ્યું હતું. તેને ફરી શીખવાનો પ્રારંભ કર્યો. ગાતી વખતે પડતી ભૂલો અંગે ગુરુજી માર્ગદર્શન આપતા ગયા અને હું તેને સુધારતો ગયો.

સમય મળતા રિયાઝ કરતો રહ્યો અને ગુરુજીના કહેવાથી સંગીતમાં પ્રોગ્રામ પણ આપવાનું શરૂ કર્યું. એ સમયે ફિલ્મોમાં પણ સંગીત આપ્યું. સંસદમાં ઝંપલાવ્યા બાદ પેઇન્ટિંગ માટે ખાસ સમય ફાળવી ન શકવાને કારણે તેનાથી થોડો અળગો જરૂર થઇ ગયો. હવે ફરી પાછું પેઇન્ટિંગ અને સંગીત બંને કલાઓમાં પૂરતો સમય ફાળવવાનું શરૂ કર્યું છે.


પેઇન્ટિંગની વાત કરું તો હું પાબ્લો પિકાસોનો પ્રશંસક છું, કેમ કે તેમનું કામ નાવીન્યસભર રહ્યું છે, જે મને હંમેશાં આકર્ષે છે. હું રોજ ચારથી પાંચ કલાક પેઇન્ટિંગ માટે અને સાંજે એકાદ કલાક સંગીતમાં રિયાઝ કરવા માટે ફાળવું છું. હજુ આ ક્ષેત્રમાં મારે ઘણું કરવાનું બાકી છે. જે હું કરી રહ્યો છું. સુખી-સમૃદ્ધ પરિવારમાં મારો જન્મ થયો.

અમારા કુટુંબનું નામ છે, ખ્યાતિ છે. એનો અર્થ એ નથી કે, ખાઓ, પીઓ અને બેસી રહો. હું બેસી રહેવામાં માનતો નથી. તેથી આજે ૭૨ વર્ષની ઉંમરે પણ હું સક્રિય છું. હું માનું છું કે જીવનમાં પોતાનામાં પડેલી ખૂબીને નિખારવાનો અથવા શોખના વિષયમાં ઊંડા ઊતરવાનો પ્રયત્ન જરૂર કરવો જોઇએ.

અત્યાર સુધીમાં મેં જે કંઇ કર્યું છે એ મહેનત કરીને મેળવ્યું છે. મહેનત કરીને મેળવેલી વસ્તુમાં ક્યારેય ખોટ નથી જતી. એનાથી જ્ઞાનની લીટી લાંબી જ થાય છે. વૃક્ષ આપણને ફળ, ફૂલથી માંડી બીજ, પાન વગેરે આપીને પોતાનો ફાળો આપે છે, એમ હંમેશાં લોકોને આપતા રહો. એમાંય ભણેલા ગણેલા લોકોએ તો ખાસ બીજા માટે કંઇક કરવું જ જોઇએ.

પતિ પત્નીની સેવા ન કરે?

રોમાના દીકરાની મન્થલી ટેસ્ટ નજીક આવતી હતી અને વળી ચોમાસુ પણ હવે બરાબર જામ્યું હોવાથી એના માટે નવો રેઇનકોટ લેવાનો હતો. એ શહેરમાં ખરીદી માટે ગઇ હતી. આખી બપોર ફરીને એણે ખરીદી કરી અને પછી ઘરે પાછી ફરવાનો વિચાર કરતી હતી. ત્યાં એને યાદ આવ્યું કે આટલે સુધી આવી છું તો લાવ ને મોનલને મળતી જાઉં.

એણે ત્યાંથી રિક્ષા કરી અને મોનલના ઘરે પહોંચી. પહેલાં તો એને થયું કે મોનલ જોબ કરતી હોવાથી ઘરે હશે કે કેમ? પણ પછી થયું આજે તો રવિવાર છે એટલે ઘરે જ હશે અને એ નહીં હોય, તો પણ એના પતિ રીતેશ તો હશે જ. ત્યાં જઇને જરૂર લાગશે તો મોનલને મોબાઇલ કરી દઇશ. રોમા આમ વિચારતી હતી એટલામાં તો રિક્ષા મોનલના ઘર સુધી પહોંચી ગઇ. રોમાએ જઇને જોયું તો મોનલને તાવ હોવાથી એ સૂતી હતી. બાજુમાં ખુરશી પર રીતેશ બેઠો હતો. રોમાને આવેલી જોઇ એણે એને આવકારી અને મોનલને જગાડી. રોમાએ પૂછ્યું, ‘શું થયું, મોનલ?’ તો રીતેશે જવાબ આપ્યો, ‘એને ત્રણેક દિવસથી તાવ આવે છે. ડોક્ટરને બતાવ્યું અને એમણે દવા લખી આપી છે, પણ હજી નબળાઇ ઘણી છે.’ રોમા મોનલ પાસે બેઠી. એ હજી ખબરઅંતર પૂછતી હતી, ત્યાં રીતેશ રસોડામાં ગયો.

થોડી વાર બાદ રોમાએ મોનલને કહ્યું, ‘હવે તું આરામ કર, હું જાઉં.’ એટલામાં રીતેશ રસોડામાંથી ટ્રે હાથમાં લઇને બહાર આવ્યો. ટ્રેમાં ચાનો કપ, નાસ્તાની પ્લેટ અને રોમાના દીકરા માટે જયૂસનો ગ્લાસ હતો. મોનલ માટે પણ એ જયૂસનો ગ્લાસ સાથે લાવ્યો હતો. રોમાએ પૂછ્યું, ‘અરે, આ બધી તકલીફ ઉઠાવવાની શી જરૂર હતી? હું તો મોનલને મળવા આવી હતી અને તમે....’ જવાબમાં રીતેશે કહ્યું, ‘તો શું થઇ ગયું? મને કંઇ તકલીફ થઇ હોય અને મારા ખબરઅંતર પૂછવા કોઇ આવે તો મોનલ નથી કરતી? એ નોકરી કરવાની સાથે આખા ઘરની સંભાળ પણ રાખે છે. તો મોનલની બહેનપણી માટે હું ચા-નાસ્તો બનાવું તેમાં શું ખોટું છે?’

રોમાને થયું, રીતેશની વાત તો સાચી છે. દરેક વખતે પત્ની જ પતિની સેવા કરે કે તેમના મિત્રો, સંબંધીઓની આગતા-સ્વાગતા કરે એવું કોણે કહ્યું? મોનલે પણ રીતેશને કહ્યું, ‘રીતેશ, તમારી આ વિચારસરણીનો તો મને આજ સુધી ખ્યાલ ન આવ્યો. તમે આટલા દિવસથી મારી સંભાળ રાખો છો, પણ ક્યારેય મને જણાવ્યું નથી.’ રીતેશ બોલ્યો, ‘એમાં તને જણાવવાની શી જરૂર? તું સમજે એ જ મારા માટે ઘણું છે.’ મોનલને અત્યંત આનંદ થયો. પતિની લાગણીનો ખ્યાલ આવવાની સાથે એ પણ સમજાયું કે રીતેશ કેટલો સમજદાર છે. પત્નીની તકલીફને સમજી એને સહકાર આપવામાં માનતો રીતેશ જેવો પતિ મળવા માટે એ પોતાને નસીબદાર સમજવા લાગી.

નોંધ : તમારા જીવનમાં આવું ક્યારેય બન્યું છે જેના લીધે તમારા જીવનમાં કંઇક પરિવર્તન આવ્યું હોય? એક નવી શરૂઆત થઇ છે? તો તે અંગે અમને તમારા ફોટા સાથે લખી મોકલાવો. અમે તમારા લખાણને ફોટા સાથે અહીં પ્રકાશિત કરીશું

જ્યાં ‘ચાહ’ છે, ત્યાં ‘રાહ’ છે

જિંદગી દરેક ડગલે એક પડકાર-કસોટી-પરિશ્રમ છે અને એમાંથી જ તમારે તમારો રસ્તો કંડારવો પડે છે અને ત્યારે જ તમે આગળ વધી શકો છો. મારી જિંદગી અને કારકિર્દીમાં એવી કેટલીય ક્ષણો આવી જ્યારે મને લાગ્યું કે હવે તો ચોતરફના બધા જ રસ્તા બંધ થઇ ગયા છે અને હવે મારું કંઇ જ નહીં થઇ શકે, પરંતુ આવા સમયે હિંમત હારીને હતાશાની ખીણમાં ડૂબવાથી ક્યારેય આગળ વધી શકીએ નહીં. હતાશાનું કળણ ખતરનાક હોય છે. મને યાદ છે એક સ્ટેજ કાર્યક્રમ પછી મને બાળકળાકાર તરીકે ફિલ્મમાં કામ મળ્યું. એ ફિલ્મ હતી ‘બાપ બેટી’. ત્યારે હું ૧૨ વર્ષની હતી. પછી તો હું પાછી ભણવામાં પડી ગઈ.

થોડાં વર્ષો પછી દિગ્દર્શક વિજય ભટ્ટે મને હિરોઇન તરીકે ‘ગુંજ ઊઠી શહનાઇ’ ફિલ્મમાં લીધી ત્યારે હું ખૂબ જ રોમાંચિત હતી. સોનેરી ભવિષ્યનાં સપનાં જોતી હતી. પરંતુ થોડા દિવસોના શૂટિંગ પછી એમણે ઓચિંતા એક દિવસ આવીને એમ કહીને મોટો વિસ્ફોટ કર્યો કે હું સ્ટાર મટિરિયલ છું જ નહીં. મને ભયંકર આઘાત લાગ્યો. એ ફિલ્મમાં મારા સ્થાને અનીતા (જાણીતી હિરોઇન)ને લેવામાં આવી. જોકે, એ ઊંડા આઘાત છતાં મેં જાત પરથી વિશ્વાસ ન ગુમાવ્યો.

એટલે જ નાઝિર હુસેન (જાણીતા ફિલ્મ લેખક-દિગ્દર્શક) તરફથી સ્ક્રીન ટેસ્ટ આપવાનું આમંત્રણ આવ્યું ત્યારે હું નર્વસ હતી, પરંતુ મેં નક્કી કરી લીધું કે મારે જાતને સાબિત કરવી જ છે. સ્ક્રીન ટેસ્ટમાં હું પાસ થઇ અને પસંદગી પામી. સાઇનિંગ અમાઉન્ટ તરીકે ૧,૦૦૦ રૂપિયા મળ્યા. ફિલ્મ હતી ‘દિલ દે કે દેખો’ અને મારા હીરો હતા શમ્મી કપૂર. મારી પહેલી જ ફિલ્મ સુપર ડુપર હિટ થઇ ગઇ અને રાતોરાત હું હિરોઇન તરીકે જામી ગઇ.

તમે જ કહો, મેં આગળ વધવાનો દ્રઢ નિર્ધારન કર્યો હોત તો અટકી પડી હોત. તો, આવા વળાંક જિંદગીમાં ઘણી વાર આવે છે. ‘ચિરાગ’નું જ ઉદાહરણ લો. એમાંનું પાત્ર મને બહુ અઘરું લાગેલું અને મને ડર લાગેલો કે આ હું નહીં કરી શકું. પછી નિશ્વય કર્યો કે હાર તો નહીં જ માનું. એટલે, ખૂબ મહેનત કરી. એનું પરિણામ પણ ખૂબ સરસ મળ્યું. શાબાશી પણ ખૂબ મળી.

વ્યક્તિગત જિંદગીમાં મારી માતાનાં અવસાન પછીનો ગાળો મારે માટે બેહદ કપરો હતો, કેમકે માતા જ મારી જિંદગીનો આધારસ્તંભ હતી. એના વગરના જીવનની હું કલ્પના પણ નહોતી કરી શકતી. મને થયું મારી આખી દુનિયા ખતમ થઇ ગઇ છે. ઊંડા વિષાદમાં ઘેરાઇ ગયેલી. ત્યારે જ દૂરદર્શનના સીઇઓ સરોજ ચંદોલાએ મને કહ્યું, ‘ચલો, ઊઠો, કામ પર લગ જાઓ. મુઝે ચાર કેસેટ ચાહીએ.’ અને મેં ‘બજે પાયલ’ બનાવી. જિંદગીની નૌકા આગળ ધપાવવા હું કામમાં ડૂબી ગઈ અને આગળ વધી શકી.

મારી જ નહીં, દરેક માણસની જિંદગીમાં અનેક ઉતાર-ચઢાવ આવે છે. ક્યારેક તો એવું પણ લાગે છે કે બસ, ‘ડેડ એન્ડ’ આવી ગયો. પણ એનો અર્થ એ નહીં કે તમે જીવન હારી જાવ. જિંદગીમાં વિશ્વાસ અને તમન્નાનો જોશ ઠંડો ન પડવા દો. પરાજય તો આવ્યા કરે. એને સ્વીકારીને આગળ વધો. તમારે જિંદગીમાં કોઇ એક ચીજ પર એટલો બધો દારોમદાર ન રાખવો જોઇએ કે એ ચીજ ન મળે તો તમે ચકનાચૂર થઇ જાવ. તમારે વિકલ્પના રસ્તાઓ શોધવા જ પડે છે અને શોધવા જ જોઇએ.

જ્યાં ‘ચાહ’ હોય છે, ત્યાં ‘રાહ’ નીકળી આવે છે. આજે જ્યારે પણ બાળકો-યુવાનોના આપઘાતની ખબર સાંભળું છું ત્યારે ખૂબ દુ:ખ થાય છે. હું માનું છું કે જિંદગીથી વધુ મહત્વનું, વધુ મૂલ્યવાન કંઇ જ નથી. જિંદગી દરેક રૂપે દરેક સ્થિતિમાં ખૂબસૂરત છે. (રેખા ખાન સાથેની વાતચીતના આધારે)

અટરલી બટરલી ડિલિશિયસ બ્રાન્ડ અમૂલ

અમૂલ બટર અને તેના દૂધ, ચીઝ, આઇસક્રીમ જેવાં ઉત્પાદનોની ઉત્કૃષ્ટ ક્વાલિટી અને તેના અસરકારક જાહેરખબરના કેમ્પેઇનનો જાદૂ ઓસર્યો નથી.

ગુજરાતમાં જન્મેલા મહાત્મા ગાંધીએ રપ૦૦ વર્ષથી ગુલામીમાં સબડતા દેશવાસીઓમાં આઝાદીની જયોત જગાવી અને અંગ્રેજોને દેશ છોડવો પડ્યો. આ જ ગુજરાતની દેણ અમૂલ છે. અમૂલ પહેલી મલ્ટિ બિલિયન કો-ઓપરેટિવ બ્રાન્ડ છે. અમૂલને કારણે દેશને સૌથી મોટા દૂધ ઉત્પાદકનું ગૌરવ પ્રાપ્ત થયું છે. સહકારી આંદોલનનો પ્રામાણિકતાપૂર્વક અમલ કરવામાં આવે તો ગામડાંના કરોડો લોકોનું જીવનધોરણ સુધારી શકાય છે એવું અમૂલે પૂરવાર કરી બતાવ્યું છે.

મોટાભાગના લોકો એમ માને છે કે અમૂલ બ્રાન્ડના સર્જક શ્વેત ક્રાંતિના પ્રણેતા મિલ્કમેનના નામે જાણીતા થયેલા ડૉ. વર્ગીસ કુરિયન છે. હકીકતે ડૉ. કુરિયન અમૂલના પાલક પિતા કહેવાય. ખરેખર તો અમૂલના સર્જક ગુજરાતના ભૂમિપુત્ર અને સહકારી નેતા ત્રભિુવનદાસ પટેલ છે. ૧૯૪૮-૪૯નો આ પ્રસંગ છે. પટેલભાઇ ખેડા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ (કેડીસીએમયુએલ)ના ચેરમેન હતા. આ સહકારી સંસ્થા એ વખતે મલ્ટિનેશનલ પોલ્સન બટર સામે બાથ ભીડી રહી હતી.

૧૯ર૧ના નવેમ્બરમાં કેરળના કોઝીકોડ ખાતે ડૉ. વર્ગીસ કુરિયનનો જન્મ થયો હતો. તેમણે લોયલા કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. પછી તેઓ સરકારી શિષ્યવૃત્તિ મેળવીને માસ્ટર ઓફ સાયન્સનો અભ્યાસ કરવા અમેરિકા ગયા. ડૉ. કુરિયન ઉચ્ચ અભ્યાસ કરીને ભારત પાછા ફર્યા. ત્યારબાદ ભારત સરકારે ગુજરાતના આણંદ ખાતે આવેલી સરકારી ક્રીમરીમાં ડેરી એન્જિનિયર તરીકે કુરિયનની નિમણુંક કરી. ડૉ. કુરિયન ખૂબ ઝડપથી સરકારી કામકાજથી કંટાળી ગયા.

તેઓ સ્વેચ્છાએ પટેલભાઇના મદદનીશ બની ગયા. તેમના માર્ગદર્શન અનુસાર કેડીસીએમયુએલે પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપ્યો. આ પ્લાન્ટ થકી બટરનું ઉત્પાદન કર્યું. તેનું નામ અમૂલ રખાયું. સંસ્કૃતના શબ્દ ‘અમૂલ્ય’ પરથી અપભ્રંશ થયેલો શબ્દ ‘અમૂલ’ છે. અમૂલને બ્રાન્ડ બનાવવા પાછળ ડૉ. વર્ગીસ અને પટેલભાઇએ અથાગ મહેનત કરી. તેના પરિણામે ૧૯૯૬માં અમૂલ બટરનું વેચાણ ૧૦૦૦ ટન હતું, તે ૧૯૯૭માં રપ હજાર ટન થઇ ગયું. દૂધ-માખણ ઉપરાંત અમૂલ બ્રાન્ડના બેનર હેઠળ સમયાંતરે ચીઝ, મીઠાઇ, ઘી, આઇસક્રીમ, પિઝા, પરોઠાં, ફ્લેવર્ડ મિલ્ક, એનર્જી ડ્રિંકસ, છાશ અને લસ્સી જેવા ૪૦ ડેરી ઉત્પાદનો માર્કેટમાં લોન્ચ થયા. હાલમાં અમૂલનું વેચાણ ૬૭.૧૧ બિલિયન રૂપિયા (ર૦૦૮-૦૯) થઇ ગયું છે. આ બધા કરતાં વધારે મહત્વની બાબત એ છે કે અમૂલે ૧૩ હજાર કરતાં વધારે ગામડાંના લાખો કુટુંબોનું જીવન ધોરણ સુધાર્યું છે.

મિલ્કમેન ડૉ. વર્ગીસ કુરિયન: ૧૯૩૩માં કેડીસીએમયુએલનું નામ ગુજરાત મિલ્ક માર્કેટિંગફેડરેશન (જીસીએમએમએફ) થયું. ડૉ. કુરિયન તેના ચેરમેન બન્યા. ૧૯૬૫માં તત્કાલીન વડા પ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)નું ગઠન કર્યું. એનડીડીબીના ચેરમેન પણ વર્ગીસ કુરિયન બન્યા. આ સાથે તેઓ ભારતમાં શ્વેત ક્રાંતિના જનક બન્યા, પરંતુ રાજકીય કારણસર ભારત સરકારે તેમના જ શિષ્યા અને ભૂતપૂર્વ નાણામંત્રી એચ. એમ. પટેલના પુત્રી અમૃતા પટેલને એનડીડીબીના અધ્યક્ષ બનાવ્યા. ગુરુ-શિષ્યા વચ્ચે મતભેદ સજાર્યો. પછી એ વિવાદ વધુ વકર્યો. એટલે ર૦૦૬માં ડૉ. વર્ગીસે જીસીએમએમએફના ચેરમેનપદેથી રાજીનામું આપ્યું. ડૉ. વર્ગીસને લાગતું હતું કે તેમના ગયા પછી ફેડરેશન આંતિરક વિવાદનો અખાડો બની જશે અને થયું પણ એવું જ. ડૉ. વર્ગીસને પદ્મવિભૂષણ અને વર્લ્ડ ફૂડ પ્રાઇઝ જેવા અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોડ્ર્સથી બિરદાવાયા. તેમ છતાં તેઓ અપમાનજનક પરિસ્થિતિનો ભોગ બન્યા.

અમૂલ બ્રાન્ડ માટે હાલમાં પણ મોટો પડકાર હોય તો તે આંતરિક વિખવાદનો છે.
આંતરિક કંકાસ, બાહ્ય હરીફાઇ અને અમૂલ: આંતરિક વિખવાદ ઉપરાંત નેસ્લે, હિંદુસ્તાની યુનિલીવર, કેડબરી બ્રિટાનિયા, પરાગ ફૂડ્સ, નોવા, વાડીલાલ અને હેવમોર જેવી સ્થાનિક, રાષ્ટ્રીય અને બહુરાષ્ટ્રીય કંપનીઓ ઉપરાંત રાજ્ય સ્તરના દૂધ ઉત્પાદક સંઘ સાથે ગળાકાપ હરીફાઇમાં ઉતરવા છતાં છેલ્લા છ દાયકાથી અમૂલ ડેરી પ્રોડકટ્સ માર્કેટની લીડર બનેલી છે. આનું શ્રેય ડૉ. વર્ગીસે સ્થાપેલી કાર્યપદ્ધતિને ફાળે જાય છે, એમાં શંકાને કોઇ સ્થાન નથી. વિશિષ્ટ કાર્ય પદ્ધતિને કારણે અમૂલનાં ઉત્પાદનોની ગુણવત્તા, વાજબી કિંમત અને વ્યાપક વિતરણ વ્યવસ્થા થકી આખા દેશ ઉપરાંત અમેરિકા જેવા વિકસિત દેશ સહિત વિશ્વના ૪૦ કરતાં વધારે દેશમાં પહોંચે છે.

રસ પડે તેવી બાબત એ છે કે અમૂલનાં ઉત્પાદનોની જેમ અમૂલની જાહેરખબરોએ પણ ગ્રાહકોનું, તેમાંય ખાસ કરીને ગૃહિણીઓનું મન મોહી લીધું છે. અમૂલનો પ્રથમહરીફ મલ્ટિનેશનલ પોલ્સન બટર હતું. પોલ્સનની ગ્રામીણ ચોળીમાં લલચાવનારી છોકરીની બરાબરીમાં અમૂલે નાનકડી ઢબુડીને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી. તદુઉપરાંત અમૂલ બ્રાન્ડના હોડિ•ગ્સ, જાહેરખબર કે પોસ્ટરે ક્યારેય ગ્રાહકોની માનસિકતાને પડકારી નથી. તેણે ગ્રાહકોને જે જોવું, સાંભળવું ગમે છે તે જ પીરસ્યું.

સાઠના દાયકાની જાહેરખબર યાદ કરીએ તો ‘ઝહીર અબ-બસ’, ‘ગણપતિ બપ્પા મોર-ધ્યા’, ‘બન, ટી ઔર બટલીg’ વગેરે જેવી સેંકડો પંચલાઇન્સે લોકોનું મન મોહ્યું છે. એ જ સમયગાળામાં શ્યામ બેનેગલે ‘મંથન’ ફિલ્મ બનાવી. જીસીએમએમએફએ પ્રાયોજિત કરેલી આ ફિલ્મમાં લાલચું વચેટિયા દ્વારા થતું ગ્રામીણોનું શોષણ અને તેમનાથી મુક્તિની વાત શ્યામ બેનેગલે સુંદર રીતે ફિલ્મી કચકડે કંડારી. સહકારી ચળવળ અને શ્વેત ક્રાંતિને સમગ્ર દેશમાં પહોંચાડવામાં ‘મંથન’ ફિલ્મનો સિંહફાળો રહેલો છે. તેણે અમૂલના પાયા વધુ દ્રઢ કર્યા.

આ સાથે અમૂલની ‘અટરલી બટરલી’ ગર્લ પણ નટખટ બની ગઇ અને તેની સાથેની હિંગ્લિશ પંચલાઇન્સ લોકોને જલસો કરવા માંડી. ગાંધીટોપીવાળી અમૂલની જાહેરખબરે કોંગ્રેસીઓને નારાજ કર્યા તો ગણપતિ બપ્પા પાસે ‘ઓર લો’ બોલાવીને શિવસેનાને નારાજ કરી. ઇન્ડિયન એરલાઇન્સની હડતાળ દરમિયાન અમૂલની જાહેરખબર ‘બિના અમૂલ ઇન્ડિયન એરલાઇન્સ નહીં ઉડતી’એ એજન્સીએ તાત્કાલિક આ જાહેરખબરની સિરઝિ અટકાવી દેવી પડી. તેમ છતાં ‘અટરલી બટરલી ડિલિશિયસ અમૂલ ગલેg’ પોતાના કારસ્તાન ચાલુ રાખ્યા. તેણે એક વાર તો વિખ્યાત ચિત્રકાર એમ. એફ. હુસૈનની પણ મજાક ઉડાવી.

ખરેખર અમૂલની જાહેરખબરે તત્કાલીન સામાજિક માહોલ અંગે કરેલી ટપિ્પી અને તેનો મજાકિયો અંદાજ હંમેશા વખણાયો. આ કારણસર જ અમૂલનો જાદુ ક્યારેય ઓસર્યો નથી. ઉલટાનો વિશ્વ વ્યાપી બન્યો છે.‘

સિદ્ધિની ‘રસીદ’ ક્યારે મળે?

સિદ્ધિની પ્રાપ્તિ એ માન મેળવવાનો પરવાનો નથી. સન્માન માગવાની કે મેળવવાની ચીજ નથી. હમણાં એક તેજસ્વી પોતાના ક્ષેત્રમાં અત્યંત માહેર સમવયસ્ક મિત્ર સાથે વાતો કરવાનું બન્યું. ઇશ્વરે તમામ સુખો આપ્યા હોવા છતાં આ મિત્રએ સખેદ ફરિયાદ કરી કે મારી આટલી બધી સિદ્ધિઓ પછી પણ મારા ગામ કે મારી જ્ઞાતિમાં મારી ખાસ કદર નથી થઇ. એવું પણ નથી કે હું સામાજિક રીતે અતડો રહું છું. તમામ સામાજિક પ્રસંગોએ બધાને હળુંમળુંય છું. આમ છતાંય મને પૂરતું માન મારું ગામ કે મારી જ્ઞાતિ આપતા નથી તેવું સતત અનુભવું છું.

આવી લાગણી આ મિત્રને જ થઇ હોય તેવું નથી. અનેક લોકોને આવું થતું હોય છે. સિદ્ધિ, પ્રસિદ્ધિ, પૈસો વગેરે બધું પ્રાપ્ત થઇ ગયા બાદ સામાજિક સ્વીકૃતિની અપેક્ષા માણસના મનમાં જાગે છે અને તે ન સંતોષાતા વ્યક્તિ ફરિયાદી બની જાય છે. આવી લાગણી સાથે અસહમત ન થઇએ તો પણ એ લાગણી સાથે સહમત થવું પણ અઘરંુ છે. કારણ એ છે કે કોઇ વ્યક્તિ સિદ્ધિ પ્રાપ્ત કરે, સફળતા મેળવે તો તે તેનું અંગત તપ અને આકાંક્ષા છે, જેમાં ઈશ્વરની કૃપા (જેને આપણે ભાગ્ય કહીએ છીએ) પણ ભળતી હોય છે. આ સંપૂર્ણ વ્યક્તિગત બાબત છે. સમાજને સીધી રીતે તે માટે કોઇ લેવાદેવા નથી. વળી, જ્ઞાતિ કે ગામ માટે એક વ્યક્તિ આખરી બનતી નથી તેના પૂર્વસુરિઓ પણ હોય છે અને અનુગામીઓ પણ હોય છે.

અહીં એ પણ યાદ રાખવા જેવું છે કે માતા પાસે જેમ માણસ કોઇ દિવસ મોટો થતો નથી તેવું જ જ્ઞાતિ માટે કહી શકાય. જ્ઞાતિ પણ આખરે તો માતાનું વિશાળ સ્વરૂપ છે. જ્યારે ગામ એ કદાચ પિતાનું વિસ્તૃત કદ છે. આ સરખામણી માત્ર વિષય સ્પષ્ટ કરવા કરી છે. તે કાયમી વ્યાખ્યા નથી, પણ જે સમજવાનું છે તે એ છે કે જેમ માતા પાસેથી આપણે સન્માનની અપેક્ષા નથી રાખતા તેમ જ્ઞાતિ પાસેથી પણ આવી અપેક્ષા ન હોવી ઘટે. જેમ પિતા પાસેથી અભિનંદનની અપેક્ષા નથી રાખતા, તેમ ગામ પાસેથી પણ અભિવાદનની અપેક્ષા ન રાખીએ. સમાજને ક્યારેય તેજસ્વી તારાઓની ખોટ પડતી નથી. ચોરો ક્યારેય સુનો ન હોય.

ભાવનગરની આલ્ફ્રેડ હાઇસ્કૂલના ૧૯૬૦થી ૧૯૭૦ના શિક્ષકો ગુરુ શિખરો હતા. એ કલાસમાં ગમે તે વિષય ભણાવતાં ભણાવતાં પણ અદ્ભુત ફિલોસોફી સમજાવી દેતા. આવા એક શિક્ષક સ્વ. મનુભાઇ મ. પંડ્યાએ કહેલી એક વાત યાદ આવે છે. તેમણે કહેલું કે જીવનમાં પોતાની જાત માટે ક્યારેય વધારે પડતા વિચારો ન કરવા. આપણે મહાન છીએ એવું ન અનુભવવું. આપણી સિદ્ધિ કે પ્રાપ્તિ માટે આપણને જ્યારે પૂરતું સન્માન ન મળે ત્યારે આપણી જે લાગણી ઘવાય છે તે સાચી નથી હોતી. વિરાટ વિશ્વમાં આપણી સિદ્ધિ આપણા માટે બેશક ભવ્ય હોઇ શકે, પણ અન્ય સૌ માટે એ શાહીના ટપકાથી વધારે કશું જ નથી. આ સત્ય કડવું છે પણ સ્વીકારવું પડે તેમ છે.

અચ્છા, આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે આપણી નોંધ જ્ઞાતિ કે ગામે લેવી જોઇએ? કારણ કે તમે પ્રાપ્ત કરેલી સિદ્ધિનું મૂલ્ય તમારે મન ખૂબ હોય પણ જ્ઞાતિ કે ગામ માટે કદાચ તેનું મહત્વ ન પણ હોય. અનેક સિદ્ધ પુરુષોની નોંધ તેમના ગોળ, સમાજ, જ્ઞાતિ, ગામ કે શહેરે લીધી નથી અને આમ છતાંય તે મહાપુરુષોનું મહત્વ પણ ઓછું અંકાતું નથી.
આપણે ઘણીવાર આપણી જાત વિશે વધારે પડતું વિચારીએ છીએ ત્યારે આપણે મહાન છીએ તેવો અહેસાસ થતો હોય છે પણ એ સત્ય નથી, કારણ કે આપણે પોતે આપણી જાતને માપીએ ત્યારે ગજ હંમેશા ટૂંકો લાગે. ખરી વાત એ છે કે કોઇક આપણને પ્રમાણે અને આપણને સન્માને ત્યારે માનવું કે આપણે સાચા છીએ. સમાજ તમારી પાસે આવે એવી અપેક્ષા માત્ર તમારી સિદ્ધિઓના જોરે તમે ન રાખી શકો. કારણ કે તમે જે કાંઇ પ્રાપ્ત કર્યું છે તેનું મૂલ્ય આખરે તો સમય જ નક્કી કરી આપતો હોય છે.

આપણને પરીક્ષા દેવાની પણ ઉતાવળ હોય છે અને પરિણામ મેળવવાની પણ ઉતાવળ હોય છે. આ બંને ઉતાવળ અનુચિત છે. ઈતિહાસ સાક્ષી પૂરે છે કે જેમણે સન્માનની અપેક્ષા નથી રાખી અને મૂંગા મોઢે કામ કરે રાખ્યું છે તેને વહેલે મોડે સમાજે સ્વીકૃતિ આપી છે અને તે સામે ઘણીવાર એવું પણ બન્યું છે કે અપરિમિત સફળતા પ્રાપ્ત કરનાર વ્યક્તિની પણ નોંધ લેવાઇ નથી. એટલું ખાસ યાદ રાખવું જોઇએ કે તમે ભલે ગમે તેવી ભવ્ય ગણી શકાય તેવી વ્યક્તિગત સિદ્ધિ મેળવો કે સમાજસેવક તરીકે ઉત્તમ કામ કરો, પણ તેની ગુણવત્તા અંગે તેના ટકાઉપણા અંગે, તેની સત્યતા અંગે અને તેની ઉપયોગિતા અંગે નિર્ણય કરવાનો સમાજને હક છે અને આવડત પણ છે. આવો નિર્ણય જલદી થાય તેવી અપેક્ષા રાખવી એ આપણી ઉણપ સૂચવે છે. સમજદારી ધીરજ રાખવામાં છે. પામવું હશે તો માપવાનું બંધ કરવું પડશે.‘

ઇતિ સિદ્ધમ્: એ મિનારથી કદી ના ઓળખાયો છે આદમી તો મનસુબાથી ઉંચાકાયો છે
- સલીમ શેખ ‘સાલસ’

‘સિક્રેટ’ની વ્યાખ્યા ટીનએજર્સ માટે

બેસ્ટ સેલર પુસ્તક ‘ધ સિક્રેટ’ પર જે ફિલ્મ બની તેના નિર્માતા પોલ હેરિંગટને આ વિષય પર એક પુસ્તક લખ્યું છે. ‘ધ સિક્રેટ ટુ ટીન પાવર’. આ પુસ્તકનો મૂળ હેતુ છે પોતાની ટીનએજર પુત્રીને લો ઓફ એટ્રેકશન (આકર્ષણનો નિયમ) સમજાવવાનો. જે ર્દષ્ટાંતો અપાયા છે તે પણ ફિલ્મ, પોપ સંગીત કે રમતગમતને લગતા છે, જેથી યુવા વર્ગના વાચકને વધારે રસ પડી શકે. આ નિયમનો કેવી રીતે અમલ કરવો તેનું પણ માર્ગદર્શન અપાયું છે.

આ નિયમનો મૂળ સિદ્ધાંત છે વિચારોની શક્તિ, જેનાથી જીવનને બદલી શકાય છે. બાળકની કલ્પનાને કોઈ સીમા નડતી નથી જ્યારે મોટાંઓ સીમાબદ્ધ થઈ ગયાં છે. આ સીમાઓને આપણે પોતે નક્કી કરી આપણી પ્રવૃત્તિ પર કાપ મૂકી દઈએ છીએ. આકર્ષણના નિયમનો જો યોગ્ય પ્રયોગ કરતા આવડે તો કોઈ પણ કલ્પનાને સાકાર કરી શકાય છે.

તમારે શું જોઈએ છે તે ધ્યેય સ્પષ્ટ રાખી નેગેટિવ વિચારોથી દૂર રહો. તમે જેવું વિચારો છો તેવું પામશો. માટે વિચારો પર નિયંત્રણ જરૂરી છે. વિકલ્પો આપણી સામે છે, જે મળે તે સ્વીકારી લેવું અથવા જેની ઈચ્છા છે તે પામવું. આપણી વિચારશક્તિથી આ બંને સ્થિતિઓ શક્ય છે. જે ગમે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. સફળતાનું આ સિક્રેટ છે. મૂડ સારો રાખી વિચારોથી જીવનને બદલો. ખરાબ મૂડ હોય ત્યારે રમતના મેદાન પર લેવાતા ‘ટાઈમ આઉટ’ની રીત અપનાવી ગમતાં કાર્ય કરો. ધ્યેયને પામવા માટે પ્રસન્નતા જરૂરી છે. માગો, વિશ્વાસ રાખો અને મેળવો- આ મૂળ સિદ્ધાંત છે. જો આ નિયમ પ્રમાણે વર્તન રાખશો તો પરીકથાની જેમ જીવનમાં પણ ચમત્કાર શક્ય છે.

ફરિયાદો કરી દુ:ખી રહેવા કરતાં જે મળ્યું છે તે માટે આભાર માની પોઝિટિવ બનતાં શીખો. પ્રસન્ન રહેવાનું આ પ્રથમ પગલું છે. તમે પ્રસન્ન હશો તો બીજાઓ પણ તમારી સાથે પોઝિટિવ રહેશે. આપણું મગજ શબ્દો કરતાં ચિત્રોથી વધારે પ્રભાવિત થતું હોય છે. માટે ધ્યેય પામવાનાં સ્વપ્નો જુઓ. સફળ સ્પોર્ટ્સ કોચ ખેલાડીઓને વિજયનું સ્વપ્ન બતાવતા હોય છે. સફળતા કેવી રીતે મળશે તેની ચિંતા છોડૉ. તમે ધાર્યું નહી હોય તેવી દિશામાંથી મદદ મળી જશે, સારો મૂડ આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ કરે છે.

નેગેટિવ વિચારો તનાવ વધારી બીમારી લાવે છે. બીમારીમાં દવાઓ જેટલું જ મહત્વ માનસિક સ્થિતિનું છે. પ્રસાર માધ્યમોમાં આવતાં નેગેટિવ સમાચારો કરતાં સુંદરતા પર ધ્યાન કેન્દ્રિત કરો. સ્વપ્નો જોઈ એમને સાકાર કરવાની પુરી કોશિશ કરશો તો આકર્ષણનો નિયમ જરૂર મદદરૂપ થશે. દરેક સફળ વ્યક્તિનું આ સિક્રેટ છે.‘

નરકમાં હૂક હોય?

‘દીકરા, તું જેની જરા સરખી કલ્પના પણ ન કરી શકે એવાં એવાં ગંદાં કામ મેં કર્યા છે. તું સાધુ બનીશ એમાં અમને પણ એક ફાયદો છે. તું અમારા જેવા પાપીઓ માટે પ્રાર્થના કરી શકીશ. બાકી, અમે પાપીઓ તો પ્રાર્થના કરવાને પણ લાયક નથી રહ્યા.’

ધ બ્રધર્સ કારામાઝોવ-૭

હવે જરા ઊંડાં ઊતરીએ.

અત્યાર સુધીમાં, મુખ્ય પાત્રો- બાપ અને ત્રણ દીકરા-નો પરિચય આપણે મેળવ્યો. આપણે એટલું જાણ્યું કે બાપ-દીકરા વર્ષો પછી ભેગા થયા છે અને હવે બાપનો કરપીણ અંત આવવાનો છે. તો, હવે શરૂ થાય છે અસલી ખેલ. એ ખેલ જેટલો ઘટનાઓ રૂપે ભજવાય છે એટલો જ, અથવા એથી
વધુ માણસોના ભેજાની ભાતીગળ ડિઝાઇન રૂપે રજુ થાય છે.

જેમ કે, એક અઠંગ નાસ્તિકના મગજમાં આછી આસ્તિકતા કેવી ગુંથાયેલી હોય છે એના તાણાવાણા આપણે આ પ્રકરણમાં જોઈશું. આ આખી ડિઝાઇન એક સંવાદરૂપે દોસ્તોયેવસ્કીએ આલેખી છે. તખ્તો એવો છે કે એક બાજુ પુણ્યના પક્ષે અલ્યોશા બેઠો છે. બીજી બાજુ, પાપના પૂતળા જેવો પિતા ફ્યોદોર છે. પછી પાપ જ્યારે પુણ્ય સાથે વાતે વળગે છે ત્યારે એ કેવું હિલોળે ચઢે છે, કેવાં ગોથાં ખાય છે, કેવું આડુંઅવળું થાય છે એ બધું જોવા જેવું છે. પહેલી નજરે રમુજી અને વેરવિખેર લાગી શકે એવો આ સંવાદ છે. પણ જરાક ધારીને જોતાં તરત સમજાશે કે સૌથી ર્દુષ્ટ વ્યક્તિ પણ છેવટે તો ક્ષમા, પ્રેમ અને કરુણા ઝંખતી હોય છે.

દોસ્તોયેવસ્કી લખે છે...

***

દીકરા અલ્યોશાએ પિતા ફ્યોદોરને કહ્યું: ‘હું મઠમાં જોડાવા માગું છું.’ પોતે શા માટે મઠમાં જોડાવા માગે છે એ વિશે એણે પૂરતી સ્પષ્ટતા કરી. ખાસ તો, મઠના વિખ્યાત સાધુ ઝોસિમાથી પોતે ભારે પ્રભાવિત થયો હોવાનું અલ્યોશાએ સ્વીકાર્યું. બધી વાત કહ્યા પછી અલ્યોશાએ પોતાને જવા દેવાની પરવાનગી માગી.

ફ્યોદોરે અલ્યોશાને એકદમ શાંતિથી સાંભળ્યો. એ વખતે ફ્યોદોર દારૂ પી રહ્યો હતો. અલ્યોશાને સાંભળ્યા બાદ અચાનક ફ્યોદોરના ચહેરા પર બેહેકેલા માણસનું સ્મિત ફરકર્યું. એ સ્મિતમાં લુચ્ચાઈની છાંટ હતી. એ બોલ્યો: ‘હં... બુઢ્ઢો ઝોસિમા બધા સાધુઓમાં સૌથી પ્રામાણિક તો છે જ. અચ્છા... તો મારો કૂમળો દીકરો સાધુ બનવા માગે છે. તું માનીશ નહીં, પણ મને થોડો અંદાજ આવી ગયેલો કે છેવટે તને આવો જ કંઈક ધંધો સૂઝશે. ખેર, તારે સાધુ જ બનવું હોય તો મને કોઈ વાંધો નથી. (જનરલની વિધવાએ તારા ભણતર માટે રાખેલા અને પોલેનેવે વ્યાજે મૂકેલા) તારા પેલા બે હજાર રુબલ તો હવે તને મળી જ ગયા છે. તને એ પૈસા જોઈતા હોય તો ઠીક છે, એ ‘દહેજ તું પાસે રાખી શકે છે. રહી મારી વાત. તો એક વાતની ખાતરી રાખજે કે હું તને ક્યારેય નિરાશ નહીં કરું.

જો એ લોકો તને મઠમાં એડમિશન આપવા માટે પૈસા માગશે તો હું એ પણ આપીશ. જોકે, એ લોકો પૈસા ન માગે તો આપણે સામે ચાલીને એમના પર દબાણ ન જ કરવું જોઈએ, શું કહેવું છે તારું? અને તું તો જરાય ખર્ચાળ નથી. તું તો પેલા કેનેરી પંખી જેવો છે. અઠવાડિયે બે દાણા મળી રહે તોય ભયો ભયો. પણ હું તને એક બીજા ‘મઠ’ની વાત કહું. એ ‘મઠ’ વિશે મારી પાસે ચિક્કાર જાણકારી છે. એમાં ફક્ત મહિલાઓ જ છે. એ મહિલાઓને ત્યાંના લોકો દેવદાસી તરીકે ઓળખે છે. મારા ખ્યાલથી ત્યાં ત્રીસ દેવદાસીઓ છે. હું ત્યાં ગયો છું. મસ્ત જગ્યા છે. ત્યાં ચેન્જ સારો મળી રહે. એક જ ખામી છે એ જગ્યાની કે ત્યાં એકેય ફ્રેન્ચ બાઈ નથી. એમાં આપણું રશિયન ગૌરવ વચ્ચે આડું આવી જાય છે. મેરા રશિયા મહાન. પણ ફ્રેન્ચ સ્ત્રીઓને લાવવામાં રશિયાને વચ્ચે લાવવાની જરૂર નથી. આમ પણ, એ મઠ અમીર છે. ફ્રેન્ચ મહિલા રાખવી એને પોસાય તેમ છે. ઠીક છે, આજે નહીં તો કાલે, ફ્રેન્ચ છોકરીઓને એ મઠ વિશે ખબર પડવાની જ છે. એટલે એ સામે ચાલીને આવશે. પણ આપણા મઠમાં (જેમાં તું જોડાવા માગે છે ત્યાં) આવું કશું નથી.

અહીં તો ૨૦૦ સાધુ છે તોય એકેય દેવદાસી નથી. અહીં તો સાધુઓ ડાહ્યાડમરા થઈને ઉપવાસ પણ કરે છે. હં... તો તું તારે સાધુ બનવું છે. જો દીકરા, સાચું કહું છું... તું ઘર છોડીને, મને છોડીને જાય એ વાત મને નથી ગમતી. તારી સાથે હું બહુ એટેચ્ડ થઈ ગયો છું. બાકી હું કોઈની સાથે બંધાઉં એવો છું નહીં. છતાં, તારી મને એટલી માયા લાગી ગઈ છે કે ખુદ મને જ એની નવાઈ લાગી રહી છે... હા, તું સાધુ બનીશ એમાં એક ફાયદો છે. તું અમારા જેવા પાપીઓ માટે પ્રાર્થના કરી શકીશ. બાકી, અમે પાપીઓ તો પ્રાર્થના કરવાને પણ લાયક નથી રહ્યા. હા, યાર, મને ઘણી વાર એવો વિચાર આવે કે મારા માટે કોઈ પ્રાર્થના કરશે ખરું? મેં તો માની લીધેલું કે આ દુનિયામાં એવો એક પણ માણસ નથી, જે મારા માટે પ્રાર્થના કરે, પણ હું કેટલો મૂરખ હતો! છોકરું તો કાંખમાં જ હતું. હું સાવ જ ડોબો હતો. ઠીક છે, મારામાં અક્કલ ભલે નથી, છતાં ક્યારેક હું આ બધી વાતો વિશે વિચારું છું ખરો. સતત ભલે નહીં, પણ ક્યારેક મને એવો વિચાર આવે ખરો કે હું તો જેવો મરીશ કે તરત શેતાનો આવીને એમના હૂક સાથે ભરાવીને મને ખેંચી જશે. પણ પછી મને એવો વિચાર આવે કે એ હૂક કેવો હશે? એ હૂક શેનો બનેલા હશે? શું એ લોખંડનો હૂક હશે?

જો હૂક લોખંડનો બનેલો હોય તો ત્યાં નરકમાં લોઢાને ગાળીને હૂક બનાવવાની ભઢ્ઢી, પણ હોવી જોઈએ ને! તો શું ત્યાં લુહારની કોઢ-વર્કશોપ હશે? મઠના સાધુઓને તો એ વાતની ખાતરી જ છે કે નરકમાં, આવું બધું હોય જ, કમસે કમ છત તો હોય જ. પણ મારા જેવા માણસને એવા નરકની કલ્પના ગમે જ્યાં છત જ ન હોય. નરકમાં છત ન હોય તો એ જરા... વધુ શિષ્ટ અને સંસ્કારી અને પ્રબુદ્ધ લાગે. આમ તો, નરકમાં છત હોય કે ન હોય શો ફરક પડે છે? પણ ફરક પડે છે, બહુ જ મોટો ફરક પડે છે. જો નરકમાં છત ન હોય તો હૂક પણ ન હોય. અને હૂક જ ન હોય તો સજા કરવાની આખી વાત જ પડી ભાંગે છે. પણ પાછું એય સાલું માની શકાય તેવું નથી. કારણ કે જો એ લોકો મારા જેવા માણસને ઢસડીને નરકમાં હૂકે ન ટાંગે તો આ જગતમાં ન્યાય જેવું રહ્યું જ શું? ના, ના... ત્યાં હૂક ન હોય, મારા જેવા માણસ માટે પણ હૂક ન હોય, એ તો કેમ બને?

દીકરા, તું તો જેની જરા સરખી કલ્પના પણ નહીં કરી શકે એવાં એવાં ગંદાં કામ મેં કર્યા છે.’ ‘પણ ત્યાં હૂક નથી.’ અલ્યોશા ધીમેથી અને ગંભીરતાથી બોલ્યો. એ એકદમ ધ્યાનપૂર્વક પિતાને જોઈ રહ્યો હતો. ‘મને ખબર છે. મને ખબર છે. હૂક નહીં તો હૂકનો પડછાયો છે. પણ તને કઈ રીતે ખબર પડી કે ત્યાં હૂક નથી? એ તો આપણે જોઈશું કે સાધુઓ સાથે થોડો સમય વીતાવ્યા પછી તું કેવો રાગ આલાપે છે. છતાં, તું જેટલો સમય ત્યાં છે એ દરમિયાન હૂક વિશે બરાબર તપાસ કરજે. અને તને કંઈક જાણવા મળે તો મને આવીને કહેજે. આ તો શું કે બીજી દુનિયામાં પ્રવેશતાં પહેલાં ત્યાં મારે શું શું વેઠવાનું છે એનો આછો અંદાજ હોય તો મને થોડું સારું પડે. અને આમ પણ, મારા જેવા બુઢ્ઢા દારૂડિયા સાથે અને બજારુ ઔરતો સાથે રહે તો પણ તું બગડી જાય એવો તો નથી- તું તો સ્વચ્છ ફરિશ્તો છે- છતાં, તું મઠમાં રહે એ જ સારું છે.

ત્યાં મઠમાં પણ તને કોઈ બગાડી શકશે નહીં એવી મને આશા છે એટલે જ તો હું તને ત્યાં જવા દઉં છું. પણ મને એ નથી સમજાતું કે શેતાનો જેમ મારું ભેજું ખાઈ જાય છે એમ તારું ભેજું કેમ નથી ખાતા? ઠીક છે, અત્યારે તારી અંદર મઠમાં જવાની આગ બહુ ભભૂકી રહી હોય તો જઈ આવ. પણ પછી એ આગ ઠરી જશે. તું લાઈન પર આવી જઈશ. ત્યારે તું બીજે ક્યાંય ન જતો. ત્યારે તું મારી પાસે પાછો આવતો રહેજે. હું તારી અહીં જ, આ ઘરમાં રાહ જોઈશ, કારણ કે મને ખબર છે કે આવડી મોટી આ દુનિયામાં એકલો તું જ એવો છે જેણે ક્યારેય મને વખોડ્યો નથી. તને મારા તરફ અણગમો નથી એવી એક લાગણી મારી અંદર જે છે તે... તે એટલી પ્રબળ છે... કે...’ આટલું કહેતાં ફ્યોદોર રડી પડ્યો.
એ એવો જ હતો, લુચ્ચો છતાં લાગણીશીલ. ખંધો છતાં રોતલ.

ગુજરાતી બચાવો ન્યૂ બ્રાન્ડ નોનસેન્સ નુસખા!

ગુજરાતી ભાષા મરી રહી છે કે બીમાર છે કે કોમામાં છે કે ઊંઘમાં છે એ વિશે અનેક િંચતનો, ચર્ચાઓ થાય છે. આજે ગુજરાતીને બચાવવાના કેટલાંક અંતરંગી આઇડિયાઓ જોઇએ.

ટાઇટલ્સ

ઉન કો પ્યાર પે ગુસ્સા આતા હૈ,
હમેં ગુસ્સે પે આતા હૈ પ્યાર!

ગુજરાતી ભાષા મરી રહી છે કે બીમાર છે કે કોમામાં છે કે ઊંઘમાં છે કે જીવી રહી છે કે જીવવા માગે છે વગેરે વિશે અનેક ચિંતનો, ચર્ચાઓ થાય છે, થવી પણ જોઇએ. પણ સચ્ચાઇ એ છે કે મોટાભાગના સાહિત્યકારો કે લેખકોનાં બાળકો અંગ્રેજી મીડિયમમાં ભણે છે, ભણ્યા છે અને ભાગ્યે જ કોઇ એવા જ કોઇ ગુજરાતી ભાષામાં અધ્યાપક, પ્રોફેસર લેખકો બન્યા છે. આજે આશય ગોસપિનો નહીં, સ્વીટ ગુજરાતી ભાષાને બચાવવાનો છે અને અમારી પાસે થોડા અંતરંગી આઇડિયાઓ છે જેમ કે...

આઇડિયા-૧: પ્રેમપત્રોની ગુજરાતીમાં મફત ટયુશન સર્વિસ સેવા

જેમ દરેક જુવાન વ્યક્તિને ખીલ થાય એમ પ્રેમપત્ર લખવાનું ફીલ પણ થાય. જે કોઇ જન્મે છે એ એકવાર મરે પણ છે. એમ એ એકવાર પ્રેમમાં પણ પડે છે અને દરેક પ્રેમ કરનારને પ્રેમપત્ર લખવાના પ્રોબ્લેમમાંથી તો ગુજરવું તો પડે જ છે. ઇશ્કની ઇમ્પોસબિલ મહેનતનો આ એક એવો આગનો દરિયો છે, જેમાં દરેકે એકવાર તો ડૂબકી મારવી જ પડે છે. એટલે જ ગામેગામ, શહેર શહેર ગુજરાતીમાં પ્રેમપત્રો લખવાની મફત ટયુશન સર્વિસ શરૂ કરવી જોઇએ. જુવાનિયાઓ પ્રેમી-પ્રેમિકાને પટાવવા માટે એટલા ડેસ્પરેટ હોય છે કે ગુજરાતી શું તમિળમાં પણ પ્રેમપત્ર લખવાનું શીખવા તૈયાર થઇ જશે અને એ રીતે ભાષા વાઇરસની જેમ ફેલાઇ જશે.

દરેક ગુજરાતી ભાષાપ્રેમીએ આ બીડું ઝડપી લેવા જેવું છે, કારણ કે જો કોઇ કપલ, આ પ્રેમપત્ર ટયુશન સર્વિસને કારણે આગળ જઇને પરણશે તો આખી જિંદગી એ ગુજરાતી ભાષાને યાદ રાખશે અને જો લગ્ન નિષ્ફળ જશે તો પણ એ લોકો ગુજરાતીમાં જ ગાળો આપશે. અને અગર જો એ કપલ્સમાંથી જો કોઇકનું લગ્નજીવન સફળ થશે તો પણ એ કપલ પોતાના બાળકોને બુઢાપામાં કિસ્સાઓ સંભળાવશે કે કેવી રીતે વર્ષો પહેલાં ગુજરાતીમાં લવલેટર લખેલા, એમાં કેવી ભૂલો હતી, કેવી વેવલી અને વાયડી વાતો હતી, કેવી બાલિશ ગુજરાતી કવિતાઓ ટાંકેલી વગેરે.

આમ, ભાષા પેઢી દર પેઢી પ્રેમપત્રો દ્વારા આગળ ચાલશે. હું તો કહું છું કે શાળાઓ કોલેજોમાં એક કમ્પલસરી સબજેકટ હોવો જોઇએ કે ગુજરાતીમાં પ્રેમપત્ર કેમ લખવા. આનાથી બાળકોની ભાષાશક્તિ તો ખીલશે જ પણ બોરિંગ વ્યાકરણ કે ગાંધીજીની આત્મકથા ભણાવીને કંટાળેલા ટીચરોને પણ જરા બે ઘડી ગમ્મત થશે.

ઇન્ટરવલ

ના ના ડાર્લિંગ, હું છોકરીને કિસ નહોતો કરતો, હું તો એના બે હોઠ વચ્ચે કાનાફૂસી કરતો હતો.
(ગ્રાઉચો માકર્સ)

પછી તો પરીક્ષામાં એવા પ્રશ્નો પણ મૂકી શકાશે કે ‘ધારો કે તમે રાખી સાવંતના પ્રેમમાં છો અને તો એને પ્રપોઝ કરતો પત્ર લખો. ભાષામાં અ®લીલતા ઓછી હશે તો એક્સ્ટ્રા માકર્સ મળશે!’ અથવા તો ‘તમે ગાંઠિયાનો સ્ટોર ચલાવો છો અને ત્યાં રોજ ફાફડા ખરીદવા આવતી છોકરીને, દુકાનના ગલ્લે બેસીને કેવો પ્રેમપત્ર લખશો? ગાંઠિયા, મરચાં વિશે ફાલતુ વર્ણનો કરશો તો માકર્સ કપાશે.’ આનાથી યુવાપેઢીના તન-મનનો અને આપણી ભાષાનો વિકાસ રાતોરાત થશે. પ્રેમપત્રની પાઠશાળા માટે અમુક ગાઇડ્સ જેવી કિતાબો પણ ફટાફટ છપાવા માંડશે અને પબિ્લશરો પણ કમાશે. એ ગાઇડમાં અમુક સેમ્પલ પ્રેમપત્રો હશે.

જેમ કે,
એક ચિંતકનો પ્રેમપત્ર :

પ્રિય, જેમ હરિયાળા ખેતરો નષ્ટ કરીને આજના સમાજે એને એરપોર્ટ બનાવી નાખ્યા છે, એમ મેં મારા દિલને નષ્ટ કરીને તારા આગમન માટે રોમાન્સનો રન-વે બનાવ્યો છે. જેમ પતંગિયું આકાશમાં ઊડીને રંગોની રંગોળી પૂરે છે એમ તું મારા મનમાં મેઘધનુષ રચે છે. તારા ખીલમાં મને ‘અ-ખિલ’ બ્રહ્નાંડ દેખાય છે. તને જોઇ મારું હૈયું ગદ્ગદ્ છે, તું જ આત્માનું ઉપનિષદ છે! તારા ચહેરામાં જ ચારેય ‘વેદ’ સમાયા છે, તું ‘ના’ કહીશ તો એ ‘વેદના’ બની જશે વગેરે. આવા પ્રેમપત્રોથી સ્ટુડન્ટમાં કાલાઘેલા વેવલા વિચારોને છુપાવવાની કલા પણ ખીલશે. વળી, વેદ, ઉપનિષદ કે ઝેનકથાઓની ડાહીડાહી વાતોનો પ્રચાર પણ થશે એ તો અલગ! અને જો ટીનએજરોને જીતવાનો પણ પ્રયાસ કરવો હોય તો એ માટે પણ ગાઇડ પુસ્તિકામાં સેમ્પલ પ્રેમપત્ર રેડી હશે, જેમ કે,

કોઇ યુવા લેખકનો પ્રેમપત્ર:

હાય, ફ્રેન્ડ, યુ નો વ્હોટ? આજે મારા મનમાં ગુગલ સફિઁગ કરંુ છું તો બધે તું અને તું જ દેખાય છે. વ્હુ-હા-હા-હા... વાઉ, શું ગ્રેટ ફીલિંગ છે! હું પુિલ્લંગ અને તું સ્ત્રીલિંગ છે. વેલ, લવ એટલે લવ એટલે લવ, તમે એને કબૂતર કહો કે કહો ‘ડવ’. હેય ડિયર, કાલે મલ્ટિપ્લેક્સના અંધારામાં જ્યારે મેં લેટેસ્ટ હોલિવૂડ ફિલ્મ જોઇ ત્યારે તને બહુ મિસ કરી! પોપકોર્ન ખાતાં ખાતાં વિચાર્યું કે ‘હમ આપકે હૈં કૌન’? ચેતન ભગતથી લઇને નિરંજન ભગત સુધી બધાના પ્રેમ, પ્રીત, લવનાં કૂલ કવોટેશન્સ ટપકાવી શકું એટલો હું વેલરેડ છું, પણ તોય તારા માટેના પ્રેમને હું વ્યક્ત નહીં કરી શકું.

હેય સ્વીટહાર્ટ, ચાલને એક રૂખીસુખી સાંજને ભીગીભીગી બનાવીએ, તું અને હું થોડું ચીગીવીગી-ચીગીવીગી કરીએ વગેરે. બોલો, છે ને જમાના સાથે તાલ મિલાવતો પ્રેમપત્ર? આવા પ્રેમપત્રોથી યંગસ્ટર્સનું એકબીજા તરફ અને ગુજરાતી ભાષા તરફ ખેંચાણ વધશે અને રંગબેરંગી ચોપડીઓનું વેચાણ પણ વધશે! તો ગુજરાતી બચાવોના સપિાહીઓ, જાગો! પ્રેમપત્રોની પાઠશાળા ખોલો અને પ્રેમપૂર્વક ભાષા તરફ લોકોને પાછા વાળો!

આઇડિયા-ર: શેરબજારનો વ્યવહાર માત્ર ગુજરાતીમાં

આપણે ગુજરાતીઓ બહુ ‘શેર દિલ’ લોકો છીએ. આપણે ઓકિસજન વિના જીવી લેશું, પણ શેરબજાર વિના નહીં. ‘સેક્સ’થી વધુ આપણને ‘સેનસેક્સ’માં રસ પડે છે. એટલે જ જો દેશની સર્વ શેરબજારોનો વ્યવહાર કમ્પલ્સરી ગુજરાતીમાં કરી નાખવામાં આવે તો દુનિયાનો અંત આવે ત્યાં સુધી ગુજરાતી ભાષા કોક્રોચની જેમ ટકી જશે! અને ધંધો કરવો હશે તો બીજી ભાષાના લોકોએ પણ જખ મારીને ગુજરાતી શીખવી પડશે એ અલગ!

જરા વિચારો કે લાખો કરોડો કમાતી કે ગુમાવતી વખતે સટોડિયાઓના મોંમાંથી જે ગુજરાતી શબ્દ નીકળશે એ હજારો કવિતા, ગઝલોથી પણ વધુ ધારદાર હશે! અને પછી તો ‘રિલાયન્સ રાખે એને કોણ ચાખે?’ કે ‘ટિસ્કો ક્યાંય નથી ટર્ન ઓવરમાં’ કે ‘ધીમે ધીમે ભાવ ઉતરતી શેરબજારની સાખે આપણે ડીલ કર્યાનું યાદ!’ જેવી શેરબજારૂ કવિતાઓ પણ માર્કેટમાં લખાવા માંડશે! તો બસ, એક વાર શેરબજારના સોદાઓ વાતચીત, હિસાબ કિતાબ પેપરવર્ક, બજાર વિશેના લેખો, ચોપડાઓ બધું ગુજરાતીમાં ફરજિયાત કરીને જુઓ અને પછી જુઓ કે ગુજરાતી ભાષાની માર્કેટવેલ્યુ ક્યાંથી ક્યાં જાય છે!

આઇડિયા-૩: ટીકાકારોને રોજ ૧૦ પત્રો ગુજરાતીમાં લખો

એક માણસને બહુ બધી ભાષાઓ આવડતી હતી. એની આસપાસના લોકોને સમજાતું નહીં કે એની સાચી ભાષા કઇ છે? તો એકવાર એ જ્યારે ઊંઘતો હતો ત્યારે કોઇએ એના પર ગરમ પાણી ફેંકર્યું. ત્યારે એણે તરત જાગીને પોતાની માતૃભાષામાં ગાળો આપી અને એની સાચી ભાષા પકડાઇ ગઇ. એટલે કે ગાળો આપવામાં માણસની સાચી ભાવનાઓ બહાર નીકળે છે. તો જો એક ફતવો બહાર પાડવામાં આવે કે ગુજરાતી સમાજ, રાજનીતિ, કોમવાદ, ભ્રષ્ટાચાર, સેકયુલરવાદ કે નેતાઓ વગેરે વિશે જો કોઇ માણસ જરાક પણ ટીકા કરે તો દરેક ગુજરાતપ્રેમીએ એને રોજ તેજાબી કડવી ભાષામાં ૧૦૦-૧૦૦ ધમકાવનારા પત્રો કે ઇ-મેલ લખવાના.

આમ કરવાથી પૂણ્ય મળશે એવા ૭-૭ પોસ્ટ કાર્ડઝ પણ આપસમાં વહેતા કરવાના. આ કામ માટે પ્રજા તરત તૈયાર થઇ જશે અને મૃત:પ્રાય ભાષામાં જુસ્સો પણ આવી જશે. લોકોનો દબાયેલો ગુસ્સો બહાર નીકળશે અને એથી નવા શબ્દો પણ જન્મશે. આ સૌથી ઇફેકિટવ અને શ્યોરશોટ આઇડિયા છે. હા, જો કે આવા વિચિત્ર આઇડિયાઓ સાથે ઘણા સંમત નહીં થાય અને એમાં અમારી અજીબ વક્રદ્રષ્ટિ દેખાશે. પણ શું થાય, જ્યારે કોઇનું હૃદય બંધ પડ્યું હોય તો ઇમરજન્સીમાં એની છાતી પર મુક્કાઓ મારીને ફરી જીવાડવાની કોશિશ કરવી પડે ને? તો ચાલો, અજમાવી જોઇએ, આ ગાંડાઘેલા આઇડિયાઝ?

એન્ડ ટાઇટલ્સ

ઇવ: ડાર્લિંગ, તને હું શું ગિફ્ટ આપું?
આદમ: બે મિનિટનું મૌન, બસ!

લોર્ડ શિવા: ‘સાહિત્યમાં પણ સર્વેશ્વર છું’

મુંબઇના યુવા લેખક અમિષ ત્રિપાઠીએ ભગવાન શિવને એક હાડ-માંસના માણસ તરીકે કલ્પ્યા અને એમની ફિલોસોફીને એક ભવ્ય એડવેન્ચર કથામાં પરોવી. એ બેસ્ટસેલર પુસ્તક ‘ધ ઇમ્મોર્ટલ્સ ઓફ મેલુહા’ની વાત અને લેખક સાથેની એક્સ્કલુઝિવ મુલાકાત ગુજરાતી મીડિયામાં પહેલીવાર પેશ છે...

ભગવાન શિવ. દેવાધિદેવ. સર્વ પાપોનો વિનાશ કરનારા. શિદ્દતથી પ્રેમ કરનારા. બાહોશ લડવૈયા. બેનમૂન ડાન્સર. પ્રભાવશાળી નેતા. સર્વશક્તિમાન અને પ્રામાણિક. અત્યંત ભોળા, છતાં એમને ભોળવવા અશક્ય. અત્યંત શાર્પ સેન્સ ઓફ હ્યુમરના સ્વામી છતાં એકદમ શોર્ટ ટેમ્પર્ડ. પરંતુ ધારો કે, શિવ એક ભગવાન નહીં, બલકે મારા-તમારા જેવા હાડ-માંસના બનેલા એક મનુષ્ય હોય, તો? અને પોતાના કાર્યો થકી એમનું વ્યક્તિત્વ એટલું ઉજજવળ બન્યું કે કાળક્રમે એ ભગવાન, ઈશ્વરનો દરજજો પામ્યા હોય? એન્ટર ‘ધ ઇમ્મોર્ટલ્સ ઓફ મેલુહા’. યુવા લેખક અમિષ ત્રિપાઠીની ‘શિવા ટ્રાયોલોજી’નું પહેલું અને અદ્ભુત પુસ્તક, જેના હીરો છે, શિવ.

***

સમય છે, ઇસવીસન પૂર્વે ૧૯૦૦. તિબેટમાં કૈલાશ પર્વતની તળેટીમાં ફેલાયેલા વિશાળ જળરાશિ ધરાવતા માનસરોવરનું રખોપું કરી રહ્યો છે એક સ્થાનિક આદિવાસી કબીલો, ગુણા. પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સતત લડાઇઓ લડીને લોહી રેડતા રહેલા આ કબીલાનો નાયક છે, એકવીસ વર્ષનો શિવ. સોહામણું મુખ, કસાયેલો બાંધો અને વર્ષોના સંઘર્ષની ચાડી ખાતા ઘાવના નિશાન. શરીરે વીંટાળેલું વ્યાઘ્રચર્મ. પણ અત્યારે શિવ એક ગહન ચિંતામાં છે: રોજે રોજ લડાઇઓ લડતા રહેવું એ પણ માત્ર જીવતા રહેવા માટે? કે પછી અત્યારના સર્વશ્રેષ્ઠ રાજ્ય ‘મેલુહા’નો પ્રસ્તાવ સ્વીકારીને આખા કબીલા સાથે એમના રાજ્યમાં ભળી જવું? મેલુહામાં ભળવાનો પ્રસ્તાવ લલચામણો હતો, કેમ કે એ લોકો ફળદ્રુપ જમીન આપવાના હતા, સતત સુખ-શાંતિ અને સૌથી વધુ- સલામતી આપવાના હતા. આખરે, સમગ્ર કબીલાની સંમતિથી શિવ નિર્ણય લે છે, મેલુહામાં ભળી જવાનો.

મેલુહા, જેને સાડા ત્રણ-ચાર હજાર વર્ષ પછીનો યુગ ‘સિંધુ ખીણની સંસ્કૃતિ’ તરીકે ઓળખવાનો હતો. વિશ્વની સૌથી મહાન અને અત્યંત પરપિકવ સંસ્કૃતિ. કાશ્મીરથી લઇને મોહેંજો દડો, લોથલ સુધી અને સપ્તસિંધુ (સાત નદીઓ-સિંધુ, સરસ્વતી, યમુના, ગંગા, સરયુ, બહ્નપુત્રા અને નર્મદા)નો એ પ્રદેશ નદીઓ અને છેક સરસ્વતી, નર્મદા સુધી વિસ્તરેલું વિશાળ સૂર્યવંશી રાજાઓનું રાજ્ય. શ્રીનગરમાં શિવના કબીલાને માનભેર આવકારવામાં આવે છે. એમને સરસ ગેસ્ટ હાઉસમાં ઉતારો આપવામાં આવે છે. અને સમગ્ર કબીલાને એક ભેદી આયુર્વેદિક પીણું પીવડાવાય છે.

પહેલીવાર જીવતા રહેવાની ચિંતા વિના અત્યંત નરમ પથારી પર સૂઇ રહેલા શિવને અચાનક ભારે પરસેવો છુટવા માંડે છે અને ગભરામણ થવા માંડે છે. જાગીને જોયું તો ચમત્કાર! શિવનો હિમડંખથી નક્કામો થયેલો પગનો અંગૂઠો સાજો થઇ ગયો હતો. એના શરીર પરના લડાઇના ઘાવ અને તેની નિશાનીઓ પણ અર્દશ્ય થઇ ગયા હતા. પરંતુ શિવનું નસીબ એને કંઇક જુદી જ વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત કરવાનું હતું. શિવના સમગ્ર કબીલાની દેખરેખ રાખી રહેલી બાહોશ તબીબ આયુર્વતી અસ્વસ્થ થયેલા શિવની ડોક જોઇને છળી ઊઠી. એની આંખોમાંથી આંસુ સરી પડ્યા. એ સીધી શિવના ચરણોમાં પડી ગઇ. કેમ કે, શિવની ગરદન, ભૂરા રંગની થઇ ગયેલી! તો શું શિવ એ જ ‘નીલકંઠ’ હતા? મેલુહાને તમામ દુ:ખોથી ઉગારવા માટે જેની સદીઓથી રાહ જોવાતી હતી એ ‘નીલકંઠ’ અવતાર આવી પહોંચ્યા હતા? શિવને કશું સમજાયું નહીં, કે મને અને મારા કબીલાને પીવડાવવામાં આવ્યું એ શું હતું અને એનાથી માત્ર મારી ડોક જ શા માટે ભૂરી થઇ ગઇ અને એ જોઇને સૌ અહોભાવમાં કેમ સરી પડે છે?

વાત ઊડીને મેલુહાના રાજા દક્ષ સુધી પહોંચી. શિવને મેલુહાની રાજધાની દેવગિરિ તેડાવવામાં આવ્યા અને વિશ્વના સૌથી સમૃદ્ધ રાષ્ટ્ર મેલુહાના રાજા દક્ષ ખુદ ‘હે પ્રભુ!’ કહીને શિવના ચરણોમાં પડી ગયા. હવે શિવની અકળામણનો પાર નહોતો. આ બધું થઇ શું રહ્યું છે?

ધીમે ધીમે શિવને ખબર પડી. સમગ્ર મેલુહા રાજ્ય બારસો વર્ષ પૂર્વે થઇ ગયેલા બાહોશ રાજા શ્રી રામે સ્થાપેલા કાયદાઓ પ્રમાણે જ ચાલતું હતું. અહીં કાયદો સર્વોપરી હતો અને એમાંથી કોઇ બાકાત નહોતું. એટલેસ્તો, આ મેલુહાને સૌ ‘રામરાજ્ય’ કહેતા હતા. અહીં ભગવાન મનુએ સ્થાપેલા ચાર વર્ણ-બ્રાહ્નણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર- પ્રમાણે કાર્યોનું વિભાજન થતું. પરંતુ શિવના આશ્ચર્ય વચ્ચે કોઇને તેના જન્મ પ્રમાણે વર્ણ એનાયત નહોતા થતા. વાસ્તવમાં અહીં ‘માઇકા’ પ્રથા હતી. ગર્ભવતી સ્ત્રીઓ એક ચોક્કસ અજ્ઞાત સ્થળે પ્રસૂતિ માટે જતી અને એના સંતાનને તેની માતાથી દૂર થોડા વર્ષ ત્યાં જ ઉછેરવામાં આવતું. બાળકનાં રસ-રુચિ અનુસાર તેને ચારમાંથી એક વર્ણ પસંદ કરવાની તક અપાતી. ત્યારબાદ બાળકને જે તે વર્ણનાં ઇચ્છુક માતા-પિતા દત્તક લેતાં. મતલબ કે દરેક વ્યક્તિનો વર્ણ અહીં એના કર્મથી નક્કી થતો હતો, અને દરેકને સરખું માન મળતું.

શિવને એક વાતનું ભારે આશ્ચર્ય થયું. સમગ્ર રાજ્યમાં કોઇ વૃદ્ધ દેખાતું જ નહોતું. સૌ યુવાન જ હતા. એનું કારણ હતું ‘સોમરસ’, જે શિવને મેલુહામાં પ્રવેશતી વખતે પીવડાવવામાં આવ્યું હતું. તેની શોધ કરેલી ભગવાન બ્રહ્નાએ. શિવે મંદાર પર્વત પર બ્úહસ્પતિ નામના અત્યંત વિચક્ષણ વિજ્ઞાની પાસેથી જાણ્યું કે કેવી રીતે તેઓ સંજીવની નામની વનસ્પતિ અને સરસ્વતી નદીના પાણીમાંથી ભારે જહેમતપૂર્વક માણસને લગભગ અમત્ર્ય બનાવતા સોમરસનું સર્જન કરવામાં આવતું હતું. થિયરી એવી કે માણસના શરીરમાં ઉત્પન્ન થતાં ઓિકસડન્ટ્સને આ સોમરસ પરસેવા અને મૂત્રવાટે બહાર ફેંકી દેતું અને આ રીતે માણસ સદા યુવાન રહેતો. સમગ્ર મેલુહાને સોમરસ આપવામાં આવતો.

પરંતુ શિવને મળેલો અહોભાવ એની પાછળની પ્રચંડ જવાબદારી સાથે આવ્યો હતો. સૌ એને ભગવાન શ્રી રામનું અધુરું કાર્ય પૂર્ણ કરવા આવેલા નીલકંઠનો અવતાર માનતા હતા. એ કાર્ય હતું, શ્રી રામની જન્મભૂમિ અયોધ્યાની આસપાસ વસેલા વિશાળ ‘સ્વદ્વીપ’ રાજ્યનાં ચંદ્રવંશીઓનો સર્વનાશ કરવાનું. કારણ કે એ ચંદ્રવંશીઓ ‘નાગા’ નામે શાપિત પ્રજાતિનાં લોકો સાથે મળીને મેલુહાનાં નિર્દોષ નાગરિકો પર હુમલા કરતા હતા. એ લોકો સરસ્વતી નદીનું પાણી ચોરી રહ્યા હતા. અને મેલુહાવાસીઓ માની રહ્યા હતા, કે માત્ર શિવ જ એમને ઉગારી શકે એમ છે. આખરે શિવ એ યુદ્ધ લડે છે. પાર વિનાનું લોહી વહે છે. પણ એ પછી જ્યારે શિવને એક રહસ્ય ખબર પડે છે, ત્યારે એના વિષાદનો પાર રહેતો નથી.

***

‘આપણે ભગવાનને ‘દેવ’ કહીએ છીએ અને દાનવોને ‘અસૂર’ કહીએ છીએ. પરંતુ એક વખત ટીવી જોતાં જોતાં અમારા પરિવારમાં ચર્ચા ચાલી કે પ્રાચીન ઝોરાિષ્ટ્રયન અને પિર્શયન લોકો દેવોને ‘અહુરા’ અને દાનવોને ‘દૈવા’ કહેતા હતા. મતલબ કે આપણાથી એકદમ વિપરિત. ત્યારે મને વિચાર આવ્યો કે ધારો કે, એ વખતે આ બે માન્યતા ધરાવતાં લોકો મળે, તો એ તો એકબીજાને દાનવ જ માને ને? પણ એ બંનેમાંથી સાચું કોણ? ખરેખર દેવ કે દાનવ કોણ છે? કે પછી બંને સાચા છે અથવા તો બંને ખોટા છે?’ મુંબઇથી ફોન પર વાત કરતાં આ અત્યંત પ્રતિભાશાળી સર્જક અમિષ ત્રિપાઠી કહે છે. માર્ચ, ૨૦૧૦માં પ્રકાશિત થયેલી ‘ધ ઇમ્મોર્ટલ્સ ઓફ મેલુહા’ મુંબઇના લેખક અમિષની પહેલી નવલકથા છે અને આ ટ્રાયોલોજીના બે ભાગ ‘ધ સિક્રેટ ઓફ નાગા’ અને ‘ધ ઓથ ઓફ ધ વાયુપુત્ર’ પ્રકાશિત થશે.

‘મને થયું કે એક માણસ, જે માત્ર આપણા કરતાં સાવ અલગ હોવાને કારણે જ આપણે એને એવિલ-શેતાન માની બેસીએ છીએ. પણ એનો અર્થ એ નથી કે એ ખરેખર શેતાન છે. બસ, આ વિચાર સાથે હું એક ફિલોસોફીનું પુસ્તક લખવા બેઠો. પણ મારા ભાઇ-ભાભીએ સલાહ આપી કે યાર, તું માત્ર ફિલોસોફી લખીશ તો કોઇ નહીં વાંચે. એના કરતાં એક સરસ સ્ટોરીમાં આ ફિલોસોફી પરોવીને લખ.’ પરંતુ અમિષનું આ પુસ્તક વાંચતાં જરાય અંદેશો ન આવે કે આ એમનું પહેલું જ પુસ્તક છે. પ્રાચીન ભારતની વિચારધારાઓ, ત્યારનાં રાજ્યો, ઐતિહાસિક તથ્યો અને ભારતીય પૌરાણિક માન્યતાઓનું લાજવાબ કોમ્બિનેશન અમિષે કર્યું છે. માટે નવાઇ નથી કે પાંચ વર્ષની જહેમત પછી લખાયેલું અમિષનું આ પુસ્તક છેલ્લા પાંચ મહિનાથી સતત બેસ્ટસેલર બની રહ્યું છે. પરંતુ પહેલી જ નોવેલમાં આટલી ઊંડાણપૂર્વકની વાત કરવા માટે જબરદસ્ત રિસર્ચ તો કરવી પડી હશે ને? અમિષ જવાબ આપતા કહે છે, ‘હા અને ના. જુઓ, મને હિસ્ટોરિકલ બુકસ વાંચવાનો ભારે શોખ છે. રાતોની રાતો જાગીને હું એ પુસ્તકો વાંચતો રહું છું. અને મારા પરિવારમાં પણ હિન્દુ ધર્મની વાતો થતી રહી છે. એટલે પાછલા પચ્ચીસ વર્ષથી મારા મનમાં આ વાતો ફીડ થતી રહી છે, જે આ પુસ્તક સ્વરૂપે બહાર આવી છે. હા, મેં ગ્રેગરી પોશેલની ‘ઇન્ડસ સિવિલાઇઝેશન’ અને ગ્રેહામ હેનકોકના ‘અંડરવર્લ્ડ’ એ બે ગ્રેટ પુસ્તકોનો સંદર્ભ ખાસ લીધો છે.’

બીજું, અહીં સોમરસને એક આયુષ્ય વધારનારા ‘વન્ડર ડ્રગ’ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવ્યું છે. પરંતુ આપણે તો સોમરસને શરાબ-મદિરાના પર્યાય તરીકે ઓળખીએ છીએ. તો ખરેખર સત્ય શું હતું? ‘દો ચીઝે હૈં. તમે પ્રાચીન પુસ્તકો-ઇવન યજુર્વેદ પણ વાંચશો તો સમજાશે કે સોમરસ તેમાં લગભગ કેન્દ્રસ્થાને હતું. અને મને લાગે છે કે માત્ર નશાની ચીજ મદિરા આટલા કેન્દ્રસ્થાને ન હોઇ શકે. બીજું, જેવો વૈદિક યુગ પૂરો થયો કે સોમરસનો ઉપયોગ ખતમ થઇ ગયો. તો એ વિચારવું ખોટું નહી ંલેખાય કે સોમરસ વાસ્તવમાં કોઇ જુદી જ વસ્તુ હતું. અને હા, નોવેલમાં મેં સોમરસનું જે સાયન્સ લખ્યું છે તેના પર અત્યારનું વિજ્ઞાન રિસર્ચ કરી જ રહ્યું છે. તમે ‘સાયિન્ટફિક અમેરિકન’ જર્નલમાં પ્રકાશિત થયેલો ‘રેડિકલ પ્રપોઝલ’ નામનો લેખ વાંચી શકો છો.’

અચ્છા, આ નોવેલની બીજી એક રસપ્રદ વાત એ છે કે લગભગ ચાર હજાર વર્ષ પહેલાંની વાર્તા હોવા છતાં પાત્રો એકદમ મોડર્ન ભાષા બોલે છે. તે સમજાવતા અમિષ કહે છે, ‘જુઓ, હું ઇચ્છું છું કે આ કથા દ્વારા શિવજીની ફિલોસોફી-જેના પર વર્ષોથી સમયની ધૂળ ચડી ગયેલી-તે વધુને વધુ લોકો સુધી પહોંચે. તો અત્યારે બોલાતી ભાષા જ વાપરું એ સ્વાભાવિક છે.’ ઓકે, અને કઇ ફિલોસોફી તમે કહેવા માગો છો? ‘એક તો મેં કહ્યું એમ, કોઇ વ્યક્તિ આપણાંથી અલગ હોવા માત્રથી એ શત્રુ નથી થઇ જતો. બીજી વાત, માણસની ઓળખ એનાં કર્મ હોવા જોઇએ, નહીં કે એનો જન્મ. એની કીર્તિ, પ્રતિષ્ઠા પર માત્ર એના કર્મોનો જ પ્રભાવ પડવો જોઇએ, નથિંગ એલ્સ.’ (અમિષ રહસ્ય છત્તું કરે છે કે આ જ કારણોસર એણે બુકના કવર પર માત્ર પોતાનું નામ ‘અમિષ’ લખાવ્યું છે. તે કહે છે, ‘હું ઇચ્છું છું કે લોકો મને માત્ર મારા કર્મથી ઓળખે, નહીં કે મારી અટક પરથી મારી જ્ઞાતિને આધારે’). આઇઆઇએમ-કોલકાતાના પાસઆઉટ અને અત્યારે આઇડીબીઆઇ-ફોર્ટિસ લાઇફ ઇન્સ્યોરન્સના નેશનલ હેડ અમિષ આગળ કહે છે, ‘ત્રીજી વાત, ભગવાન દરેક માણસની અંદર જ બેઠા છે. મહાદેવ કોઇ માતાની કૂખમાંથી જન્મતા નથી. જે વ્યક્તિ સત્યને પક્ષે, સારપને પક્ષે લડે છે, એ મહાદેવ બને છે. એ રીતે દરેક વ્યક્તિ મહાદેવ છે.’

અમિષે પુસ્તકમાં અશ્પ્úશ્યતાની વાત પણ વણી લીધી છે. કથામાં મેલુહાના લોકોને ‘વિકર્મ’ નામની પ્રથામાં માનતા બતાવાયા છે. કેટલાંક રોગિષ્ઠ, કમનસીબ લોકોને તેમના પુનર્જન્મનાં પાપનું કારણ અને કમનસીબીના વાહક ગણીને એને અડવાનો ઇન્કાર કરી દે છે. ખુદ કથાની નાયિકા ‘સતી’ મૃત બાળકને જન્મ આપવાના અને પહેલા લગ્નમાં વિધવા થવાના ‘ગુના’ સબબ વિકર્મમાં સામેલ છે. મેલુહાના રાજા દક્ષની પુત્રી હોવા છતાં કોઇ એને સ્પર્શ કરતું નથી. રામરાજ્ય હોવા છતાં શિવ એ પ્રથાને વાહિયાત ગણાવીને એનો નાશ કરાવે છે. અમિષ કહે છે, ‘આજેય ભારતમાંથી અશ્પ્úશ્યતા ગઇ નથી. પરંતુ યાદ રહે, શિવજી એ વાતથી તદ્દન વિરુદ્ધ હતા’.

૩૯૦ પાનાંમાં પથરાયેલી ‘ધ ઇમ્મોર્ટલ્સ ઓફ મેલુહા’નો ફલક એટલો બધો વિશાળ છે, અને શહેરની રચના, રાજ્યો, પુરાતન ભારતની પ્રથાઓ, કથાઓ, ત્યારના લોકોની રહેણીકરણી , પહેરવેશ વગેરેમાં અમિષે એટલું ઝીણું કાંત્યું છે અને એ પણ એટલી સરળ તથા રસાળ શૈલીમાં કે એની કથાની અને એમાં રહેલી ફિલોસોફીની વાત મર્યાદિત શબ્દોમાં કરવી એ ચોખાના દાણા પર ભગવદ્ ગીતા લખવા જેવું કપરું કામ છે.

અંતે અમિષ કહે છે, ‘જ્યારે તમારું હૃદય તૈયાર થશે, એ સામેથી જ ભગવાન-ઈશ્વરને શોધી લેશે.’ પાને પાને રૂંવાડા ઊભા કરી દેતા આ ગ્રાન્ડ એડવેન્ચર પરથી હોલિવૂડ કે બોલિવૂડની ફિલ્મ બને એ પહેલાં આ પુસ્તક વાંચવું એ શ્રાવણ મહિનાની શ્રેષ્ઠ આરાધના સાબિત થશે! અમે નોવેલના બીજા ભાગની રાહ જોઇએ છીએ, અમિષ! ‘

ચેન્જડ મેન: અમિષ ત્રિપાઠી
મુંબઇમાં જન્મેલા અમિષે ઓરિસ્સા, તામિલનાડુ અને મુંબઇમાં અભ્યાસ કર્યો છે. આઇઆઇએમ-કોલકાતામાંથી એમબીએ કર્યું છે. એ ગણાવીને અમિષ કહે છે, ‘હું નખશિખ ભારતીય છું!’ તાજેતરમાં ડેન્ગ્યુના તાવમાં સપડાયેલા અમિષનો પરિવાર અત્યંત ધાર્મિક અને સર્વધર્મ સમભાવ ધરાવતો હોવા છતાં, તે પોતે પાંચ વર્ષ પહેલાં સુધી લગભગ નાસ્તિક હતા. એટલે સુધી કે પરિવારનાં સભ્યો મંદિરમાં જાય, તો પોતે બહાર ઓટલા પર બેસી રહે! પરંતુ આ પુસ્તકે અમિષને બદલી નાખ્યા. હવે એ ભારે શાંત છે. એ કહે છે, ‘ઈશ્વર આપણાં સઘળા દુ:ખ દૂર કરશે એ આશાએ એમની આરાધના ન કરવી જોઇએ. બલકે એમની ભક્તિ આપણને તમામ દુ:ખો સામે લડવાની પ્રચંડ શક્તિ બક્ષે છે.’

સહાનુભૂતિ માત્ર મા બાપને મળે ?

મા-બાપ પોતાની જીદ ન છોડે અને પાછલી ઉંમરે પણ સંતાનોને બાંધી રાખે ત્યારે પોતાની ફરજ નિભાવવા છતાં સંતાનોને કોઇ સહાનુભૂતિ કેમ નથી મળતી?

આપણે એને અંગદના નામે ઓળખીશું. ભણતર ગુજરાતમાં થયું પણ મુંબઇની એક કંપનીમાં બહુ સારી નોકરી મળી ગઇ એટલે અહીં આવી ગયો. મા-બાપે પણ વાંધો ન લીધો. ઘરમાં હજી એક દીકરો અને દીકરી હતા. મુંબઇમાં અંગદને નોકરી પછી ગમતી છોકરી પણ મળી ગઇ. એમાં પણ પરિવારે સહમતિ આપી. પતિ-પત્ની બંને જણ નોકરી કરે પોતાનું ઘર લેવા માટે પૈસા બચાવે. કોઇ સમસ્યા નહોતી. અંગદના પિતાની આર્થિક સ્થિતિ એટલી સારી કે દીકરા પાસેથી પૈસા લેવાને બદલે આપી શકે. એમની માત્ર એટલી ડિમાન્ડ કે વાર-તહેવારે આખો પરિવાર ભેગો થાય અને રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મની જેમ ફેમિલીમાં બધું સારું સારું હેપ્પી-હેપ્પી હતું.

પછી અંગદને ગલ્ફમાં વધુ સારી જોબ ઓફર મળી. પત્ની અને દીકરાને લઇને એ ત્યાં ગયો. અહીં એટલા પૈસા કમાયો કે ગુજરાતમાં એણે થોડી જમીન પણ ખરીદી. જો કે સમય અને અંતર એની કૌટુંબિક જીવન પર થોડી અસર કરી ગયેલા. મા-બાપને મળવા હવે વરસામાં બે-ત્રણ વાર જવાતું. બીજી તરફ નાનો ભાઈ પરણીને અમેરિકા જઇને ત્યાં જ સેટલ થઇ ગયો. નાની બહેન પણ લગ્ન કરીને સાસરે જતી રહેલી. માતા-પિતા ઘરમાં એકલાં હતા. પૈસા હતા. સેવા માટે નોકરચાકર હાજર હતા. પણ હવે એમને થોડું એકલવાયું લાગવા માંડેલુ. જો કે આ ઉંમરે દીકરા સાથે વિદેશ જઇને વસવું એમને મંજુર નહોતું. આટલા વર્ષે હવે અચાનક એમણે ફરિયાદ શરૂ કરી છે કે ‘અમારા બાળકોને અમારા માટે ટાઇમ નથી.’

અંગદ હેરાન પરેશાન છે. એ કહે છે, ‘કાયમનો વસવાટ બાજુએ રહ્યો. એક મહિના માટે પણ મમ્મી-પપ્પા દુબઇ આવીને અમારી સાથે રહેવા તૈયાર નથી. એ કહે છે કે બહુ પૈસા કમાઇ લીધા. હવે ગુજરાત પાછો આવી જા. પણ મારો બિઝનેસ, વાઇફની જોબ, છોકરાની સ્કૂલ એ બધું અહીં મૂકીને હવે પાછા ઇન્ડિયા આવી જવાનું કેટલું મુશ્કેલ છે! નાનો ભાઈ બહુ દુર અમેરિકામાં છે. એટલે એ તો વારંવાર આવી ન શકે. હમણાં હમણાંથી પપ્પાની તબિયત સારી નથી રહેતી એટલે દર દોઢ-બે મહિને હું આવું છું. પણ એમની ફરિયાદ ઊભી જ હોય કે મારી વાઇફ અને દીકરાને સાથે નથી લઈ જતો પણ તમે જ કહો, આ ડિમાન્ડ કઇ રીતે પૂરી કરવી?

આ પ્રકારની ફરિયાદ અંગદ જેવા બીજા લોકોની પણ છે. માતા-પિતાને ઉંમર અને તબિયત સાથ આપતી હોય ત્યારે એ હોંશેહોંશે દીકરાઓને ભણવા કમાવા માટે વિદેશ મોકલી આપે. પરંતુ વૃદ્ધાવસ્થામાં એમને પછી ઘર ખાલી લાગવા માંડે અને દીકરા, વહુ, પૌત્ર-પૈત્રીઓ વધુને વધુ યાદ આવવા લાગે. વળી, આપણું સામાજિક માળખું એ પ્રકારનું છે કે વૃદ્ધ માતા-પિતાની માંદગી વખતે દીકરો-વહુ હાજર ન હોય તો એમનાં માથે માછલાં ધોવાય. એમાંયે દીકરાની આર્થિક સ્થિતિ નબળી હોય તો કદાચ એને થોડી સહાનુભૂતિ મળી જાય પણ બહારગામ વસતો, પૈસે ટકે સુખી છોકરો હોય તો એણે અચૂક સાંભળવાનું કે, ‘પૈસા આપીને છુટી ગયો!’ મા-બાપ ઘર છોડીને, દીકરા પાસે જવા તૈયાર ન હોય તો એમની જીદ સહુ માની લે કે ‘ હા, આ ઉંમરે પોતાનું વતન છોડવું કોને ગમે?’ જે મળે તે દીકરાને મા-બાપ પ્રત્યેની ફરજના પાઠ ભણાવે. તો તમે જ કહો, આવા સંજોગોમાં દીકરાએ શું કરવાનું? વરસોથી બીજા શહેર કે બીજા દેશમાં જમાવેલો કારોબાર, ઘરસંસાર છોડીને પાછા વતનમાં આવી જવાનું?

અને ધારો કે આવી જાય તો પછી શું ગેરંટી કે બધા પછી સુખી જ સુખી રહેશે. મારા એક પત્રકાર મિત્ર પાસે આવા જ એક ફરજપરસ્ત ગણાય એવા દીકરાનો કેસ આવ્યો. એ વર્ષોથી વિદેશમાં સ્થાયી થયો હતો. પરંતુ ગુજરાતમાં રહેતા માતા-પિતાએ એમની વૃદ્ધાવસ્થામાં એવી જીદ પકડી કે કોઇ ઘડીએ દીકરાનું હિન્દુસ્તાની દિલ પીગળી ગયું. સારી નોકરી અને નારાજ બૈરી-બચ્ચાંને પાછળ છોડીને એ વતન આવ્યો. પરંતુ અહીં આવીને શું કરે? મોટી ઉંમરે, બહુ સારી નોકરી શોધવાનું મુશ્કેલ હતું. વળી, આટલા સમય બહાર રહ્યા બાદ ફરીથી અહીંના વાતાવરણમાં એડજસ્ટ થવાનું પણ સરળ નહોતું. તેમ છતાં બિચારાએ પ્રયાસ કર્યો. પરંતુ અહીં સહુથી મોટું નડતર બન્યા એના જ મા-બાપ! સતત એમની કચકચ ચાલે. દીકરો એમની સાથે જ નહીં, પણ એમની રીતે રહે. એવી મા-બાપની અપેક્ષા હતી. વળી, પોતાને દીકરાની ખોટ સાલતી હતી એમ દીકરાને તેના સંતાનો યાદ આવતા હશે, એવું એ વિચારતા નહોતા. છેવટે મામલો એટલી હદે વણસી ગયો કે દીકરો પાછો અમેરિકા જતો રહ્યો. જો કે પહેલાની જોબ છુટી ગઇ. ઘરનાં લોકો સાથેના સંબંધોમાં તિરાડ પડી ગઇ. એ પૂછે છે કે આવા સંજોગોમાં કોઇ મા-બાપનો વાંક કેમ નથી કાઢતું?

પરંતુ આપણે ત્યાં મા-બાપનો વાંક કાઢવો, એટલે જાણ ભગવાને ગાળ આપવી! એવા સંજોગોમાં અંગદ જેવો કોઇ દીકરો ગળે આવી ગયા બાદ ભૂલેચૂકે પણ ફરિયાદ કરી નાખે કે ‘મમ્મી-પપ્પા અને ઇમોશનલ બ્લેકમેઇલ કરે છે. ’ તો તો એનું આવી જ બન્યું! એની મમ્મીના હાથ હવે ધ્રુજે છે તોયે રસોઇ અને અમુક ઘરકામ એ જાતે જ કરવાનો આગ્રહ રાખે છે. પૈસાની કોઇ કમી નથી. પણ અંગદે ઘરમાં ચોવીસ કલાકની બાઇ અને જરૂર પડે ત્યારે નર્સ રાખી લેવાનું કહ્યું તો મમ્મીજીએ ઘસીને ના પાડી દીધી. અંગદને હવે દુબઇમાં રéો રéો એ ડર પણ સતાવે છે કે કામ કરતાં કરતાં મમ્મી ક્યાંક પડી ગયા. દાઝી ગયા તો શું થશે? એના જ એક મિત્રની આવી જીદે પોતાને સ્વાવલંબી ગણાવતી વૃદ્ધ માતા, પાણી ભરેલું તપેલું ઉંચકવા જતાં લપસી પડી અને હાડકાં તોડીને ખાટલે પડી છે. બધાં એની દયા ખાય છે પણ મમ્મીજીની ખબર પૂછવા માટે દુબઇ અને હૈદરાબાદ વચ્ચે વારંવાર દોડાદોડ કરીને શારીરિક અને માનસિક રીતે પણ થાકી ગયેલા દીકરાને અહીં કોઇ સહાનુભૂતિ મળતી નથી. એની દશા સમજે છે માત્ર અંગદ જેવા સમદુ:ખિયા સંતાનો!‘

જિંદગીને વધુ સમૃદ્ધ બનાવો

વાચક મિત્રો, છેલ્લા ૩૬ અઠવાડિયાથી ચાલી રહેલી આ લેખમાળા આજે સમાપ્ત થઇ રહી છે. આવો, આખી લેખમાળાનું ટૂંકમાં પુનરાવર્તન કરી લઇએ. સૃષ્ટિનો સ્વભાવ સમૃદ્ધિનો છે. સંબંધો, તંદુરસ્તી, સર્જન, ગમતું કાર્ય, સમાજસેવા, મનોરંજન અને અધ્યાતમ આ સાતેય સુખ જો સંતુલિત માત્રામાં મળે તો એ લાઇફને રિચ લાઇફ કહી શકાય. એના માટે ધનવાન બનવું જરૂરી છે. ભૂતકાળમાં અને વર્તમાનમાં જે લોકો ધનવાન બન્યા છે તેમણે સમૃદ્ધિના સનાતન સિદ્ધાંતોનો જાણ્યે અજાણ્યે અમલ કર્યો જ છે. ધનવાન બનવાનો નિર્ણય એ ધનવાન બનવાના પ્રારંભને આકાર આપવાનું પહેલું પગથિયું છે.

જ્યાં મનની સમૃદ્ધિ ત્યાં ધનની સમૃદ્ધિ. સમૃદ્ધિનો પહેલો સિદ્ધાંત કહે છે કે, ધન હંમેશા ખર્ચાવા માટે જ આવે છે. બીજો સિદ્ધાંત કહે છે કે, અનેક લોકોના ફાયદા માટે જોઇતું ધન જલદી આવે છે. ત્રીજા સિદ્ધાંત મુજબ જે આપે છે તેને મળે છે, વધુ આપો- વધુ મેળવો. જો ધનવાન બનવું હોય તો મન સમૃદ્ધિના વિચારોથી ઠસોઠસ ભરી રાખવું જોઇએ.

તમારું મન સમૃદ્ધિના જ વિચારો વધુ પેદા કરે એ માટે એને સમૃદ્ધિની વધુને વધુ માહિતી પૂરી પાડૉ. સકારાત્મક અને માર્ગદર્શક પુસ્તકો વાંચો. તમને જે જોઇએ છે તેના જ વિચારો કરો. સૃષ્ટિમાં બધું જ મબલખ છે, ભરપૂર માત્રામાં છે. તમારું આર્થિક ભવિષ્ય એવું જ બનવાનું છે કે જેવું તમે માનો છો. જો માન્યતા બદલાય તો જીવન બદલાય. દરેક વ્યક્તિ પોતાની નકારાત્મક માન્યતાઓને બદલી શકે છે. જે લોકો મની મેગ્નેટ બની ચુકાય છે તેની પાછળ પૈસો દોડે છે. મનની શાંત અવસ્થામાં પ્રબળ લાગણીથી તમે ધનવાન હોવાનું વઝિયુલાઇઝેશન કરતા રહો, તો ધનવાન બનવાની તકો ખેંચાઇ આવે છે. હંમેશાં સમૃદ્ધિની ભાષા વાપરો, સકારાત્મક શબ્દો જ વાપરો. લોકો નકારાત્મક સલાહ આપે ત્યારે ‘અવેરનેસ’ દ્વારા એમના શબ્દોને ત્યાં જ રોકી લો.

આપણું દરેક કામ વિકાસ પામવાના હેતુથી જ થવું જ જોઇએ. આપણાં કામ કરતા જ્યારે આપણે વધુ લાયકાત કેળવીએ છીએ ત્યારે એ કામની અસરકારક્તા અનેકગણી વધી જાય છે. જો ગમતા કામને વ્યવસાય બનાવો તો સફળતાના ચાન્સ વધી જાય છે. ધનવાન બનવા માટે અહીં દર્શાવેલ વૈજ્ઞાનિક પદ્ધતિ શુદ્ધ છે, શાસ્ત્રીય છે, સર્જનાત્મક છે. આપણાં રોજિંદા પ્રયત્નો ટેમ્પરરી સાંધા કરવાના બદલે એવા હોવા જોઇએ કે જેથી જિંદગી ખરેખર બની જાય રિચલાઇફ.

રિચલાઇફ શ્રેણીના ટૂંકસાર સહિત તમે અહીં સુધી પહોંચ્યા છો. હવે શું બાકી રહે છે? બાકી રહે છે માત્ર અમલ. તબક્કાવાર આ પદ્ધતિનો અમલ કરશો એટલે તમે પણ ખૂબ જ સારી આર્થિક પ્રગતિ કરશો એની મને ખાતરી છે. કારણ કે આ વિજ્ઞાનનો મેં જ્યારથી ઉપયોગ શરૂ કર્યો છે ત્યારથી મારી સફળતા અનેકગણી વધી ગઇ છે. અસંખ્ય લોકોને આ વિજ્ઞાન હું વર્ષોથી શીખવું છું. એમને પણ પરિણામો મળે છે. આ લેખમાળા શરૂ થઇ ત્યારથી એને વાંચીને, અમલ કરીને ફાયદો મેળવનાર લોકોના પણ અનેક ફોન આવતા રહે છે. મતલબ કે આ વિજ્ઞાન કામ કરે છે.

આપ ખૂબ ધનવાન બનો, પારિવારિક સંબંધો ખૂબ ગાઢ બને, આપ સ્વસ્થ- તંદુરસ્ત રહો, હંમેશા કંઇ નવસર્જન કરતા રહો, ગમતું કામ કરવાની અનુકૂળતા અને સમય મળે, સુખ અને શાંતિ સાથેનું વૈભવી જીવન જીવો, સમાજને મદદ કરવાની ઇચ્છાઓ પૂરી થાય અને આપ ખૂબ જ આધ્યાત્મિક ઉન્નતિ પામો એ બધું શક્ય છે. એવી લાઇફ એ જ રિચલાઇફ. આપની લાઇફ રિચલાઇફ બનો. શુભેચ્છાઓ!‘

સોનામહોર: મનને કેળવો, સમૃદ્ધિ મેળવો.

ખુશમિજાજ લોકો સુખી રહે છે

‘ફીલ હેપી નાઉ’ના લેખક માઇકલ નેલ અમેરિકામાં મોટિવેશન વિશે માર્ગદર્શન આપે છે અને કટાર લેખક પણ છે. આ પુસ્તકનો મુખ્ય વિષય છે- દરેક પરિસ્થિતિમાં કઇ રીતે ખુશ રહેવું. સારા સ્વાસ્થ્ય માટે મન પ્રસન્ન રહે તે જરૂરી છે. આપણા વિચારો અને શબ્દો આપણી નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરતા હોય છે. દરેક સ્થિતિ માટે આપણે કેવું વિચારીએ છીએ તેની અસર માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે. દરેક સફળતા મનની ખુશી આપે તે જરૂરી નથી. પણ જો મન પ્રફુલ્લિત હશે તો કોઇ પણ કામમાં સફળ થવામાં જરૂર મદદ મળશે.

જો ખુશમિજાજ સ્વભાવ કેળવી શકાય તો મુશ્કેલીનો સામનો કરવામાં સરળતા રહે છે. વાસ્તવિકતા બદલાતી નથી પણ એને જોવાની દ્રષ્ટિ જરૂર બદલાઇ જાય છે. કોઇ પણ પ્રકારનું વર્તન વારંવાર કરવાથી એ આદત બની જાય છે. ગુસ્સો કરી તનાવમાં રહેવું કે ખુશમિજાજ રહેવું એ આપણી પોતાની પસંદગી છે. કોઇ પણ સ્વભાવ માટે પ્રેક્ટિસની જરૂરત છે. આપણા અંતરનો અવાજ આપણો સૂત્રધાર છે માટે એ હકારાત્મક રહે તે જરૂરી છે. એના માટે નિયમિત કોશિશ કરવી પડે છે.

સુખી થવું કે દુખી એ આપણા અર્થઘટન પર આધારિત છે. ધ્યાન એક એવી પ્રવૃત્તિ છે જે મનને જાગૃત કરી ખોટા વિચારોથી મુક્તિ અપાવે છે. નિયમિત વ્યાયામ પણ મનને પ્રફુલ્લિત રાખે છે. જે વાત આપણા હાથમાં નથી તેની ચિંતા છોડી દેવાથી તનાવ ઘટે છે. વાસ્તવિકતાને જો બદલી ન શકાય તો એનો સ્વીકાર કરવાની વૃત્તિ કેળવો. ખોટો સંઘર્ષ તનાવ પેદા કરે છે. પ્રગતિ માટે ભયમુક્તિ પણ જરૂરી છે.

આપણો ૯૯ ટકા ભય વહેમ હોય છે. જેની પકડમાંથી છુટવું જરૂરી છે. જ્યારે પણ ડિપ્રેશન જેવું લાગે ત્યારે ગમતા લોકોને મળો અથવા ગમતી પ્રવૃત્તિ કરો.‘હું’ની પકડમાંથી બહાર નીકળી ‘અમે’ના ક્ષ્ક્ષેત્રમાં આવી જાઓ. કોઇને મદદ કરશો તો હકારાત્મક ઊર્જા પેદા થશે જે તમને મદદરૂપ થશે તે તમને મદદરૂપ થશે. આ પુસ્તકમાં સ્વભાવ બદલવા પર જે ભાર મૂકાયો છે તેના માટે લેખકે અમુક પ્રકારની કસરતો પણ સૂચવી છે. તે કેટલી કારગીર નીવડે એ વ્યક્તિગત પ્રશ્ન છે.

લેખકે નર્વસ સિસ્ટમ પર શબ્દોની અસર વિશે ખાસ સંશોધન કરી આ પુસ્તક લખ્યું છે જેનું તારણ છે કે સુખ અને દુ:ખ આપણા વિચારો પર નિર્ભર કરે છે. એવા ઘણાં કિસ્સાઓ છે જેમાં ભૌતિક રીતે સુખી હોવા છતાં પણ વ્યક્તિ દુખી અને તનાવપૂર્ણ રહે છે. જ્યારે અમુક લોકો પોતાના ખુશમિજાજ સ્વભાવના લીધે કપરા સંજોગોમાં પણ નિરાશ નથી થતા. સુખી કે દુ:ખી થવામાં આપણા સ્વભાવની અહમ્ ભૂમિકા છે.‘

શ્રાવણી સોમવારે વાંકાનેર-જડેશ્વરના મહાદેવની પૂજા

શ્રાવણ મહિનો એટલે તહેવારોની મોસમ. આ મોસમની ઉજવણીના ભાગરુપે સૌરાષ્ટ્રના વાંકાનેર પાસે રતનટેકરી પરના જડેશ્વર મહાદેવના મંદિરે કોઠારિયા અને સજનપરના ગામ લોકો દ્વારા 22 અને 23 ઓગસ્ટના રોજ લોકમેળો યોજાશે. લોકમેળાનો પ્રારંભ તા.૨૨ને રવિવારે સવારે થશે.

વાંકાનેર પાસે રતનટેકરી પર જડેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે શ્રાવણ માસના બીજા સોમવારે વિશાળ લોકમેળો યોજવામાં આવે છે. આ વર્ષે પણ કોઠારિયા અને સજનપરના ગામ લોકો દ્વારા તા.૨૨ અને તા.૨૩ના રોજ જડેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં વિશાળ લોકમેળો યોજાશે.

લોકમેળાનો પ્રારંભ તા.૨૨ના સવારે ૧૦ વાગ્યે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટ્યથી કરાશે. આ મેળાના પ્રારંભે મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને માજી સાંસદ લલિતભાઈ મહેતા સહિત અનેક મહાનુભાવો હાજરી આપશે.

ઉલ્લેખનીય છે કે, તા.૨૩ને સોમવારે શ્રાવણ માસનો સોમવાર હોય વર્ષોની પરંપરા પ્રમાણે જડેશ્વર મહાદેવ મંદિરે શિવજીના મહોરાવાળી પાલખી યાત્રા નીકળશે જેમાં હજારો ભાવિકો જોડાશે. આ બે દિવસીય મેળાનો લાભ લેવા મંદિરના મહંત રતિલાલજી મહારાજ ગુરુ શ્રી રવિ પ્રકાશજીએ અનુરોધ કર્યો છે.

With Innovation, You Don't Get Points for Difficulty

Someone in India recently asked me what I thought about an innovation strategy featuring a heavy dose of "imitation." My response was, "Innovation isn't Olympic diving."

What did I mean? An individual diver's scores for an event are a factor of two things: how well they execute their dive, and the "degree of difficulty" of their selected dive. The more twists and turns you have, the more points you can earn.

You don't get points for degree of difficulty for innovation. You get points for producing profits. Sometimes you do have to take higher risk, more uncertain approaches to produce those profits. But the goal isn't making things any more difficult than they need to be. The goal is to find the quickest, cheapest path to profits. If that involves imitation, then so be it.

My diving quip was an homage to Michael Lewis's book on baseball, Moneyball. It describes how the Oakland Athletics exploited market inefficiencies to compete against baseball teams with more financial resources. Early in the book there was a discussion between A's general manager Billy Beane and his team of scouts. They were discussing a prospect, a University of Alabama catcher named Jeremy Brown. The scouts didn't like Brown, pointing to his "soft body" and "low energy." Beane's analytical team loved Brown, citing some of his performance statistics. A debate ensued. Beane shut discussion down with a succinct phrase that summarized his organizational philosophy: "We're not selling jeans here." Brown became the 35th overall selection in the amateur draft.

Beane's point was that he didn't care about a player's physical attributes; he cared about whether the player would perform. And his philosophy was that statistics provided a better way to identify high performers than a player's physique or mental makeup. In this case, the scouts might have had a point — Brown ended up with a grand total of 11 major league plate appearances (where he did bang out two doubles and a single). Nonetheless, Beane's admonition is a useful reminder that innovation leaders should make sure they are asking the right questions and focusing on the right variables.

I generally ask five questions to determine whether an innovator has the seeds of a transformational idea:

  1. Is there an important problem that customers can't address because existing solutions are expensive or inconvenient? In Innosight's parlance, is there a high-potential "job to be done"?
  2. Is there a disruptive way to solve the problem in a simpler, more convenient, or more affordable way?
  3. Is there a plausible hypothesis about an economically attractive, scalable business model? I don't need a detailed financial model (because I know it's wrong anyway), but I need a sensible story that's at least conceivable — and a plan to turn that plan into reality.
  4. Does the team have the "right stuff" to course correct based on in-market learning? Remember, the odds are high that the first idea isn't quite right. A team that is dogmatic and keeps trying to prove it is right is the wrong team for many innovation efforts.
  5. Can early profitability be a choice? Ultimate success requires a profitable model. The sooner there is a line of site to profits, the better. You might make a strategic decision to be unprofitable by investing in marketing, sales capability, and so on, but at least you know the core part of the model works.

Have you heard any good innovation one liners lately?

ભારતના ટેલેન્ટને દુનિયા માની ગઇ

હજુ થોડા સમય પહેલાજ ભારતના પડોશી દેશ ચીને ત્યાની આઉટસોર્સિંગનો કારોબાર કરી રહેલી તમામ વિદેશી કંપનીયોને આકર્ષવા માટે ટેક્સમાં રાહત આપવાની જાહેરાત કરી હતી. પરંતુ ચીનનો આ નુસખો સફળ થતો જોવા નથી મળી રહ્યો. ભારત અત્યારે પણ આઉટસોર્સિગ કારોબાર માટે ફેવરીટ ડેસ્ટીનેશન બનેલુ છે.

બ્રિટનની બે-ત્રત્યાંશ કંપનીયોએ સ્પષ્ટ રીતે માન્યુ છે કે ભારત આઉટસોર્સિગના કારોબાર માટે તેઓની પ્રથમ પસંદગી છે. ત્યાની મોટા ભાગની એક-ત્રંત્યાંશ કંપનીઓજ આ કારોબાર માટે ચીન અથવા પૂર્વ યૂરોપના દેશોને પસંદ કરે છે.

આ વાત તાજેતરમા જ બ્રિટનમાં કરવામાં આવેલા એક સર્વેમાં સામે આવી છે. ખ્યાતનામ એકાઉન્ટિંગ કંપની અને ચાર્ટડ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પર્સનલ ડેવલપમેન્ટે સાથે મળીને આ સર્વે કર્યો છે. આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે ભારતના વિદ્યાર્થીઓ કેટલાય દેશોની સરખામણીમાં વધારે સમજદાર છે. માત્ર આટલુ જ નહી વિદેશી ભાષાઓ પર તેમની પકડ પણ અન્ય દેશના વિદ્યાર્થીઓની સરખામણીમાં અવ્વલ છે

How Would Copernicus See Capitalism?

We've been sharing thoughts in this blog about how the rapid growth of the emerging economies, along with other modern realities, will reshape the practice — and thus rewrite the rules — of capitalism. Many readers are aware that these are ideas in development for our forthcoming book on the topic. This week we decided on an important question: the Title.

Our choice was inspired by a friend, Dick Morley, an MIT physicist and manufacturing iconoclast (also Harley rider and long-time consultant to the automotive industry). Morley is a legend in the manufacturing automation world, and an accomplished inventor. (He was instrumental in the development of the floppy disk and of programmable machine tools.) Captivated by the application of complexity science to business, in the 1990s he developed for General Motors an ingenious way to increase utilization of the paint booths at the end of an automotive assembly line. He reconceived the booths as service providers competing for work, and equipped them individually to "bid" for each car coming off the line based on their availability and need or lack of need for a color changeover. It was a brilliant solution that reversed the typical manufacturing perspective: the car as customer rather than object.

What kind of mind works this way? How did Morley consistently come up with novel approaches that paid off? We understood the key when we heard him reflecting on the achievement of Copernicus. He impressed on us what a fundamentally different perspective the astronomer had adopted. "To see the universe as it really was," he explained, "Copernicus had to stand on the sun."

We think that, as businesspeople think about emerging economies — as they have so much in recent years — it is similarly useful to adopt a different perspective. Rather than assume that the global economy will function as it does today, but with new markets and resources driving growth, we look at capitalism as a set of rules that continually adapt to the economic environment, as a species' genome adapts to the ecology around it. It's taking Morley's beloved complexity theory and applying it to economics.

The book, therefore, will be called "Standing on the Sun." And given that the reference is cryptic at first glance, there will be a subtitle: How the Explosion of Global Capitalism Will Change Business Everywhere.

Pasted below is the description that will go out in Harvard Business Press's catalog. We're eager to hear your reactions.

Standing on the Sun
How the Explosion of Global Capitalism Will Change Business Everywhere


For a long time the US has sat at the center of the global economic system, and Western-style capitalism has held sway. Now, the center of gravity is shifting. The advanced economies that in 2000 consumed 75% of the world's output will, by 2050, consume just 32%. Meanwhile, the emerging economies of the world -Brazil, India, China, and others - will surge forward.

As these fast-growing, low-income economies mature, will they adopt the practices of the old guard? Or will they make their own way, and create the next prevailing version of capitalism? What new opportunities will that create for firms around the world?

In Standing on the Sun, Christopher Meyer and Julia Kirby tackle these questions with fresh ideas and provocative examples. Based on firsthand observations of companies defying capitalism's old rules yet prospering, the authors outline new principles for commercial success. Among them:


  • The obsession with return on equity gives way to more broad-based measurements of success.

  • Adam Smith's invisible hand of the market is redeemed by the "invisible handshake" of collaborative networks.

  • Businesses take ownership of the impacts they now call "externalities."

Copernicus offered a lesson to all who would challenge orthodoxy: to see the workings of the solar system clearly, he gave up the assumption of being at its center and adopted a new vantage point. Likewise, those who need to understand the emerging shape of global capitalism will benefit fromStanding on the Sun.

Christopher Meyer is founder of Monitor Talent, a unit of Monitor Group, and writes frequently on business strategy. Among his past books is Blur: The Speed of Change in the Connected Economy. Julia Kirby is editor-at-large at Harvard Business Review.

China's In-Store Wars

In China, the battle for the consumer is often won — and lost — not in factories or on television screens, but on store floors. As many as 45% of Chinese consumers make purchase decisions in real time, inside shops, according to surveys we have conducted, compared to just 24% in the US. Moreover, 56% of Chinese consumers told us that the information they get at retail outlets is essential to make up their minds while only 41% feel the same way about TV advertising.

Ad spots, online campaigns, and off-line promotions may all be necessary, but to get Chinese shoppers to fork over their hard-earned money, companies must master the lost art of in-store marketing. Successful marketers, we find, do four things to sway consumers at the point of sale.

1. Smart companies prioritize. Many multinational companies, seeking to grow rapidly in the Chinese market, stretch budgets (and supply chains) to cover the large and fragmented retail landscape quickly, and, consequently, distribution costs soon get out of hand. In fact, three years ago, Unilever decided to re-focus its attention and resources on key outlets such as hypermarkets, supermarkets, and smaller stores in high-traffic neighborhoods where it could sell large volumes or high-margin products. Only after it attained scale did Unilever expand aggressively into smaller outlets This tactic allowed the multinational giant to compete better with its well-established archrival in China, Procter & Gamble.

2. They offer numerous incentives for shelf space. In most Chinese retail outlets, products jostle for shoppers' attention with competing displays and fixtures such as coolers. To tackle this problem, the instant noodles and beverages giant Kangshifu offers incentives that enable it to lock in prime shelf space everywhere. For every month that a shop uses the company's branded displays, it gets up to two free cases of bottled water. The company also offers retailers better financial terms if they display only its coolers and umbrellas. These incentives have allowed Kangshifu to become a highly visible brand in China's smaller cities.

3. They offer consistent retail experiences. This allows even large sales forces to delight consumers and strengthen the brand's image. Moreover, Chinese consumers say they greatly trust brands that have standard in-store displays. Cadbury's "Purple Wall", a 2- to 3-meter wide display inside a store, is one reason why consumers in China immediately recognize the brand. Likewise, Coca-Cola has developed and implemented rigorous standards for the sizes and shapes of coolers; in-store fixtures; and promotional displays, and tailors all of them to the type of outlet selling its products.

4. Winning companies use a large number of in-store promoters. Almost a quarter of the Chinese consumers we studied say that in-store promoters or salespeople greatly influence their decisions. One supermarket chain's manager told us that in-store promoters boost sales by as much as 40% because of the propensity of Chinese consumers to make up their minds just before making purchases. Since labor is still relatively cheap in China, the use of in-store promoters is also cost-effective. For instance, the Chinese cosmetics, personal hygiene, and hairdressing products marketer, C-Bons, fights foreign brands with an army of part-time salespeople. Equipped with a toolbox of beauty tips, they urge consumers to "check, listen, and try" the brand before making a choice. By deploying around 15,000 in-store helpers, C-Bons simply overwhelms rivals' salespeople 2 to 1 in some categories, and keeps boosting its share of wallet and mind.

What's the most innovative retailing tactic you've seen or heard of in China?

Max Magni is the head of McKinsey & Company's consumer practice in Greater China, and Yuval Atsmon is an associate principal in the firm's Shanghai office.