બ્રાન્ડ અમૂલ યુવા ગ્રાહકોનો લાભ લેવા માટે ટૂંક સમયમાં ગુજરાત અને કર્ણાટકમાં ફાસ્ટ ફૂડ કાફે શરૂ કરશે. દેશની સૌથી જૂની સહકારી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (જીસીએમએમએફ) કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું દેશ અને વિદેશમાં વેચાણ કરે છે તે પિત્ઝા , ગુલાબજાંબુ , નૂડલ્સ , ઢોસા , સેન્ડવીચ અને અન્ય દૂધની બનાવટોનું વેચાણ કરવા માટે અમદાવાદ અને બેંગલોરમાં આઉટલેટ્સ શરૂ કરશે.
જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ જણાવ્યું હતું કે , અમારા ગ્રાહકોની ભારે માંગને વશ થઈને અમે આ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છીએ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમૂલ બ્રાન્ડ ગુણવત્તા અને નાણાંના વાસ્તવિક મૂલ્યને વરેલી રહેશે.
સોઢીએ ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે , કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર સંપૂર્ણપણે મશીનથી તૈયાર થયેલા ઢોસાની કિંમત રૂ. 40 હશે.
સોઢીએ જણાવ્યું હતું કે , અમે દેશના માત્ર પ્રથમ શ્રેણી અને દ્વિતીય શ્રેણીના શહેર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ એવું નથી. આ આઉટલેટ્સ દેશના કોઈ પણ ખૂણે હોઈ શકે છે.
ચાલુ વર્ષના અંત સુધીમાં અમે ફ્રેન્ચાઇઝી મોડલથી વધુ દસ કાફે શરૂ કરીશું. 1,500 થી 2,000 ચોરસ ફૂટ વિસ્તાર ધરાવતા કાફે માટે રૂ. 15 થી 25 લાખના રોકાણની જરૂર પડશે.
મીઠાઈ , ચોકલેટ , આઇસક્રીમ , ઠંડા પાણી જેવી અમૂલની અન્ય પ્રોડક્ટ્સનું પાર્લરમાં વેચાણ થશે. અમૂલ અત્યારે દેશમાં 6,000 પાર્લર ધરાવે છે જે અમૂલની વિવિધ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. અમૂલ દેશભરમાં 400 અમૂલ સ્કૂપિંગ પણ ધરાવે છે જે માત્ર આઇસક્રીમનું વેચાણ કરે છે.
જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર એસ સોઢીએ જણાવ્યું હતું કે , અમારા ગ્રાહકોની ભારે માંગને વશ થઈને અમે આ ક્ષેત્રમાં પ્રવેશી રહ્યા છીએ.તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમૂલ બ્રાન્ડ ગુણવત્તા અને નાણાંના વાસ્તવિક મૂલ્યને વરેલી રહેશે.
સોઢીએ ઉદાહરણ આપતાં જણાવ્યું હતું કે , કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર સંપૂર્ણપણે મશીનથી તૈયાર થયેલા ઢોસાની કિંમત રૂ. 40 હશે.
સોઢીએ જણાવ્યું હતું કે , અમે દેશના માત્ર પ્રથમ શ્રેણી અને દ્વિતીય શ્રેણીના શહેર પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ એવું નથી. આ આઉટલેટ્સ દેશના કોઈ પણ ખૂણે હોઈ શકે છે.
ચાલુ વર્ષના અંત સુધીમાં અમે ફ્રેન્ચાઇઝી મોડલથી વધુ દસ કાફે શરૂ કરીશું. 1,500 થી 2,000 ચોરસ ફૂટ વિસ્તાર ધરાવતા કાફે માટે રૂ. 15 થી 25 લાખના રોકાણની જરૂર પડશે.
મીઠાઈ , ચોકલેટ , આઇસક્રીમ , ઠંડા પાણી જેવી અમૂલની અન્ય પ્રોડક્ટ્સનું પાર્લરમાં વેચાણ થશે. અમૂલ અત્યારે દેશમાં 6,000 પાર્લર ધરાવે છે જે અમૂલની વિવિધ પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. અમૂલ દેશભરમાં 400 અમૂલ સ્કૂપિંગ પણ ધરાવે છે જે માત્ર આઇસક્રીમનું વેચાણ કરે છે.
No comments:
Post a Comment