મારુતિના માનેસર પ્લાન્ટમાં કામદારોની તાજેતરની હડતાલ 10 મા દિવસમાં પ્રવેશી છે ત્યારે રૂ. 30,000 કરોડની ઓટો કંપનીની ઘણા મોરચા પર નબળાઈ છતી થઈ છે. ગુડગાંવ-માનેસર-ધારુહેરા-રેવા પટ્ટામાં વિકસી રહેલા ઓટો ઉદ્યોગની કામગીરી વિશે સવાલ પેદા થયા છે. આ વિસ્તારમાં ઓટો ક્ષેત્રે ચાર લાખ કામદારો કામ કરે છે ત્યારે કામદાર સંઘોની યોજનાઓ પણ જોવી પડશે. માનેસરની અત્યારની સ્થિતિ પરથી કેટલાંક તારણ કાઢી શકાય છે. કંપની તેના ગુડગાંવ સ્થિત પ્લાન્ટમાં કામદારો સાથે ઘણા સારા સંબંધ ધરાવે છે. ઓટો ઉદ્યોગમાં વધતી હરીફાઈના કારણે દબાણમાં વધારો થતાં આ સ્થિતિ સર્જાઈ છે જેના કારણે માનેસરમાં ઊભરતી સમસ્યા પર કંપનીનું ધ્યાન ગયું ન હતું. મારુતિ સુઝુકીમાં કામદાર સંઘની પ્રવૃત્તિ પ્રમાણમાં ઓછી રહી છે. કંપની જેને સત્તાવાર યુનિયન તરીકે માન્યતા આપે છે તે મારુતિ ઉદ્યોગ કામગાર યુનિયન માનેસર પ્લાન્ટમાં કોઈ પદાધિકારી ધરાવતું નથી. છેલ્લાં 11 વર્ષમાં તેણે ગુપ્ત મતદાન કરાવ્યું નથી તેનાથી માનેસરમાં એવી લાગણી છે કે આ યુનિયન વાસ્તવમાં મેનેજમેન્ટની કઠપૂતળી છે. કંપનીનું કહેવું છે કે તેણે માનેસરમાં 3,500 કર્મચારીઓને જૂના યુનિયનમાં જ રહેવા અને નવું યુનિયન ન રચવા માટે ' સમજાવ્યા ' છે. માનેસરના કામદારોનું કહેવું છે કે કંપનીએ તેને ધમકીઓ આપીને યુનિયન રચતા અટકાવ્યા છે. મેનેજમેન્ટ અને કામદારો વચ્ચે તથા મેનેજમેન્ટના વિવિધ સ્તર વચ્ચે સંવાદની અછત હોવાથી સમસ્યા વકરી છે. ત્રણ રાઉન્ડની વાટાઘાટ દરમિયાન વિવાદના કારણ બદલાતા રહ્યા છે. મેનેજમેન્ટ , કામદારો અને હરિયાણા સરકાર વચ્ચેની વાતચીતમાં વચ્ચે વચ્ચે વિવિધ કામદાર સંઘો અને હિત ધરાવતાં જૂથોની અસર થઈ છે. હડતાલમાં કોઈ એક સળગતો મુદ્દો નથી. તેના કેન્દ્રમાં કામદારોની નારાજગી અને વિવિધ મુદ્દે અસંતોષ રહેલો છે. ગયા સપ્તાહમાં 127 થી વધુ એનાલિસ્ટ્સ , રોકાણકારો અને ફંડ મેનેજર્સે હડતાળિયા કામદારોના આગેવાન સોનુ ગુજ્જરના કોન્ફરન્સ કોલમાં ભાગ લીધો હતો અને હડતાલ પાછળનાં કારણો સમજવા પ્રયાસ કર્યો હતો. અત્યાર સુધીમાં કંપનીને આ હડતાલના કારણે રૂ. 1,500 કરોડથી વધુ નુકસાન થયું છે. મારુતિ સુઝુકી તથા દેશના સૌથી મોટા ઓટો પટ્ટા પર હડતાલની અસર વાસ્તવિક અને લાંબા ગાળાની રહેશે. |
October 18, 2011
હડતાળથી મારુતિની નબળાઈ છતી થઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment