August 20, 2011

સોક્રેટિસે કહ્યું છે કે, માનવનો આત્મા (મન) બે ભાગમાં હોય છે : લાગણીશીલ આત્મા અને બૌદ્ધિક આત્મા. માનવ સંબંધો સાચવવા માટે, કુટુંબ વગેરે સંગઠનો ટકાવી રાખવા માટે, પોતે અપનાવેલ મશિન માટે લાગણીની અત્યંત જરૂર છે. જો લાગણી ન હોત તો કોઇ પતિ પોતાની આવક કુટુંબના સભ્યો માટે વાપરે નહીં. બાળક પ્રત્યે લાગણી ન હોય તો માતા બાળકને ઉછેરે જ નહીં. આમ માનવમાં જીવન જીવવા માટે લાગણી અત્યંત મહત્વની છે. પરંતુ સમાજની સમસ્યાઓનું વિશ્લેષણ કરવામાં જો લાગણીનો ઉપયોગ કરીએ તો સાચું વિશ્લેષણ થઇ શકતું નથી. અહીં માત્ર તાર્કિક અથવા બૌદ્ધિક વિશ્લેષણની જરૂર છે.

મોટા ભાગના લોકો લાગણીની અને બુદ્ધિની અલગ ભૂમિકા જાણતા નથી અને પોતાના કામમાં લાગણી અને બુદ્ધિને અલગ અલગ રીતે જોઇ શકતા નથી તેથી સમસ્યાઓ સર્જાય છે. મા-બાપના રખરખાવ માટે લાગણીની જરૂર છે, પરંતુ આજના પુત્રો મા-બાપને સાથે કેમ નથી રાખતા તે સમજવા માટે બૌદ્ધિક વિશ્લેષણની જરૂર છે.માનવજીવન શરૂ થયું ત્યારે લોકો ટોળકીઓમાં રહેતા હતા. પતિ-પત્ની, લગ્ન, કુટુંબ કે કૌટુંબિક સંબંધો જેવું કશું નહોતું. એક ટોળીવાળા બીજી ટોળી પર હુમલો કરી તેમની મહિલાઓને ભગાડી લાવતા હતા. જેને આજે કુટુંબ કહીએ છીએ તેવી પતિ-પત્ની અને બાળકોની સંસ્થા હજી દસેક હજાર વર્ષ પહેલાં શરૂ થઇ.

No comments:

Post a Comment