August 20, 2011

ગાંધીજી ગરીબની વાત સાંભળતા. આજે દરિદ્રનારાયણની વાત કોઇ સાંભળતું નથી, કુબેરોને કાન દઇને સાંભળે છે. મધ્યમ વર્ગ માટે રોટી, કપડાં અને રેન્ટેડ હોમ જેવો સમય આવી ગયો છે. દરેક રાજકીય પક્ષ ગરીબ માણસની માત્ર વાત જ કરે છે. હકીકત એ છે કે મધ્યમ વર્ગ અને ગરીબ હાંસિયામાં ધકેલાઇ ગયા છે. અમીર અને ગરીબ વચ્ચેની ખાઇ આઝાદીના સાડા છ દાયકા પછી વધુ પહોળી બની છે. આ ખાઇમાંથી અનેક સામાજિક પ્રશ્નો મોં ફાડીને ઊભા છે!

No comments:

Post a Comment