August 20, 2011

દરેક માનવના માનસમાંથી અજ્ઞાનનો અંધકાર દૂર કરી જ્ઞાનનો પ્રકાશ પ્રગટે, અશ્રદ્ધા કે અંધશ્રદ્ધાનો તમસ દૂર કરી સાત્વિક શ્રદ્ધાનો અજવાસ પ્રગટે તે શિક્ષણની ફળશ્રુતિ છે જો એમ થશે તો શિક્ષણ શિક્ષા મટીને વિદ્યાનો દરજજો પ્રાપ્ત કરશે. શિક્ષક એક પગારદાર મટીને ગુરુનો દરજજો પ્રાપ્ત કરશે.

જે લખણ બદલી નાખે તે શિક્ષણ છે. માણસનાં લક્ષણ બદલી નાખે અને લક્ષણ ત્યારે બદલી શકાય જ્યારે માણસની દ્રષ્ટિ અને દિશા બદલી શકાય. મેં આ અગાઉ પણ કહ્યું છે કે શિક્ષણથી માણસને આંખ અને પાંખ બંને મળે છે.

No comments:

Post a Comment