August 18, 2011

વડાપ્રધાન કરતાં કોન્ગ્રેસ પ્રમુખ વધુ પાવરફૂલ છે, જ્યારે દેશ ચલાવવાની અસલી જવાબદારી વડાપ્રધાનની છે. આમ આદમીની સરકાર આમ આદમીના મામલે જ હવે ઘેરાઇ ગઇ છે. લાગે છે કે યુપીએની સરકારે હવે ‘આદમી મુસાફિર હૈ.. આતા હૈ જાતા હૈ’ ગીત તેમનું સૂત્ર બનાવી દીધું હશે.

સરકાર આપણને ધીરે ધીરે માનસિક રીતે તૈયાર કરી રહી છે કે જુઓ,આતંકવાદ સામેની લડાઇમાં તો હજી આવા સેંકડો આમ આદમીઓએ બલિદાન આપવાની તૈયાર રાખવી પડશે. એ વિના આતંકવાદીઓ પર કેવી રીતે કાબૂ મેળવી શકાય?

આપણે આતંકવાદી હુમલા સામે લાચાર છીએ, આપણે ભ્રષ્ટાચાર સામે લાચાર છીએ, આપણે અન્યાય સામે લાચાર છીએ, સરકારનું લાચારીનું લિસ્ટ લાંબું છે. સહનશીલતા અને લાચારી વચ્ચે બહુ મોટો ફેર છે. આમ આદમી બસ મજબૂર થઇને જોયા કરે છે. એ કંઇ કરી શકે તેમ નથી.

મુંબઇની ઝવેરી બજાર કે ઓપેરા હાઉસ પાસે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એક આમ આદમીનો હાથ ઉછળીને વીસ ફૂટ દૂર પડ્યો હતો. ચારે બાજુ વેરણછેરણ થયેલી લોહીથી લથપથ લાશો પડી હતી. એક જ સવાલ છે : શું એ હાથ આમ આદમીનો હતો કે નહિ? આમ આદમીની સરકારમાં આમ આદમીની આ સ્થિતિ? એક ખાસ સૂચના : મક્કમ મનના વાચકોએ જ હવે પછી આગળનો લેખ વાંચવો. મુંબઇમાં રહેતા દરેકને ફફડાટ છે. સવારે ઘરેથી નીકળતી વખતે તેમને ખાતરી નથી કે સાંજે હેમખેમ ઘરે પહોંચશે કે નહિ? ઘરના લોકોને સતત ભય રહે છે કે આતંકવાદી હુમલો તો નહિ થાય ને? આવી મનોસ્થિતિ માત્ર મુંબઇની જ છે એવું નથી. ભારતમાં વસતા કોઇપણ નાગરિક, સોરી ગુલામને આવો ભય છે.

કોઇ નાગરિકને નાગરિક હોવાની નહિ પણ ગુલામ હોવાની પ્રતીતિ થાય છે. કારણ કે નાગરિકને કેટલાક અધિકારો હોય છે અને તેની રક્ષા કરવાની જવાબદારી સરકારની હોય છે. ગુલામને કોઇ અધિકારો હોતા નથી. આપણે હવે આઝાદ દેશના નાગરિકો મટીને ગુલામ બની રહ્યા છીએ. જગતભરમાં ઝંડો ફરકાવીએ છીએ એ લોકશાહીના. દેશના કોઇપણ ખૂણે આતંકવાદી હુમલાના સમાચાર સાંભળીને હવે પેટમાં ગૂંચળાં વળે છે. આતંકવાદના ડરને કારણે નહિ, પણ સરકાર નામની કોઇ વ્યવસ્થા જ નથી એ અનુભૂતિથી. દેશની કમનસીબી જુઓ, સરકાર લાચાર છે અને આમ આદમી મજબૂર છે! ફિલ્મકાર મહેશ ભટ્ટ જેવા તો ઘણા પોતાની જાતને નપુંસક હોવાનો અહેસાસ કરે છે.

આપણે આતંકવાદી હુમલા સામે લાચાર છીએ, આપણે ભ્રષ્ટાચાર સામે લાચાર છીએ, આપણે અન્યાય સામે લાચાર છીએ, સરકારનું લાચારીનું લિસ્ટ લાંબું છે. સહનશીલતા અને લાચારી વચ્ચે બહુ મોટો ફેર છે. આમ આદમી બસ મજબૂર થઇને જોયા કરે છે. એ કંઇ કરી શકે તેમ નથી. રોજ સવાર પડે ને આમ આદમી પેટિયું રળવાની ચિંતા હોય છે. તમામ નેતાઓને ખબર છે કે બે દિવસ બધા કાગારોળ કરશે અને પછી બધું ભૂલી જશે. પોતપોતાના કામ ચડી જશે કારણ કે સાંજ પડ્યે ચુલો પેટાવવો એ તેની મજબૂરી છે અને ચુલો પેટાવ્યા વિના આમ આદમીને ચાલવાનું નથી. યાદ રહે આ સરકાર આમ આદમીની સરકાર છે.

ઝવેરી બજારમાં કે ઓપેરા હાઉસમાં કે પછી તાજ પરના હુમલામાં કે પછી અમદાવાદના બોમ્બ બ્લાસ્ટમાં મૃત્યુ પામનારામાંથી કોઇ આમ આદમી હતો કે શું? એ સવાલ ઘુમરાયા કરે છે. રાહુલ બાબા કહે છે કે ગમે તેટલું ધ્યાન રાખો પણ એકાદ બ્લાસ્ટ તો થઇ જાય. વાત તો સાચી છે, અમેરિકા અપવાદ છે કે ત્યાં ૯/૧૧ પછી એક પણ આતંકવાદી હુમલો નથી થયો. સરકાર આપણને ધીરે ધીરે માનસિક રીતે તૈયાર કરી રહી છે કે જુઓ,આતંકવાદ સામેની લડાઇમાં તો હજી આવા સેંકડો આમ આદમીઓએ બલિદાન આપવાની તૈયાર રાખવી પડશે. બલિદાન આપ્યા વિના આતંકવાદીઓ પર કેવી રીતે કાબૂ મેળવી શકાય? આ માટે આપણે અત્યાધુનિક હોસ્પિટલો બનાવવી પડશે અને ઇન્ટેન્સિવ કેરવાળી એમ્બ્યુલન્સની સંખ્યા દરેક શહેરમાં વધારવી પડશે. શું છે કે હુમલો કોઇપણ શહેરમાં કોઇપણ સમયે થઇ શકેને?

ક્યારેક તો એવું લાગે છે કે સરકાર એવું કહેવા માગે છે કે આમ આદમીએ આંખ-કાન બંધ કરીને ઊંધું ઘાલીને ખૂબ રૂપિયા કમાવામાં પડી જવું જોઇએ. એવું લાગે તો ભ્રષ્ટાચાર કરીને પણ ઘર ભરી લો. કાલની કોને ખબર છે હેં? ભલાદમી, સરકાર એવું કહેવા માગે છે કે તમારો પણ વારો આવી જાય. સરકારનું એવુંય માનવું છે કે આ ઝવેરી બજારના હીરાના વેપારીઓ પણ સમજતા નથી વર્ષોથી એક જ જગ્યાએ જામી પડ્યા છે. તેમને ખબર જ હોવી જોઇએ કે આટલા ભીડભાડવાળા વિસ્તારમાં ગમે ત્યારે આતંકવાદીઓ આવીને કંઇપણ કરી શકે.

હીરાબજારના વેપારીઓને બાંદ્રા-કુલૉ કોમ્પલેકસમાં શિફ્ટ કરી દેવા જોઇએ. પણ પછી આતંકવાદ-બોમ્બ બ્લાસ્ટથી બચી શકાશે? ના. એકાદ ટકો જોખમ તો પછી પણ ખરું જ. ટૂંકમાં તમે આખું ભારત હિમાલય પર જ વસાવી દો! કોઇ ચિંતા જ નહિ. ૨૬/૧૧ પછી દેશભરમાં એક આંદોલન ઊભું થયું ભ્રષ્ટાચાર હટાવવાનું અને કાળા નાણાંને પરત લાવવાનું. એ આંદોલનમાં ૨૬/૧૧નો હુમલો ભૂલાઇ ગયો. હવે અણ્ણા અને રામદેવનાં આંદોલનો ભૂલાવી દે એવો આંતકી હુમલો થયો. રાજકારણ છે આ બધું? સવાલ વિચારવા જેવો છે.

સૌથી મહત્વનો સવાલ એ છે કે આ દેશ ચલાવવા માટે કોઇ એક વ્યક્તિ નિર્ણય લે છે કે કેમ? સરકાર જાણે લીડરલેસ અને હેડલેસ કે ફેસલેસ હોય એવી સ્થિતિ છે. આઝાદી પહેલાં જ્યારે અંગ્રેજો વિરુદ્ધ સ્વતંત્રતાની લડાઇ ચાલતી હતી ત્યારે દેશભરના નેતાઓ એક નેતૃત્વ હેઠળ કામ કરતા હતા. મોહનદાસ કરમચંદ ગાંધી કહે એટલે ફાઇનલ. સરકારમાં એવી કોઇક વ્યક્તિ તો હોવી જોઇએને? આ સમસ્યા થઇ છે મલ્ટિ પાવર સિસ્ટમને કારણે. વડાપ્રધાન કરતાં કોન્ગ્રેસ પ્રમુખ વધુ પાવરફૂલ છે, જ્યારે દેશ ચલાવવાની અસલી જવાબદારી વડાપ્રધાનની છે. આમ આદમીની સરકાર આમ આદમીના મામલે જ હવે ઘેરાઇ ગઇ છે. લાગે છે કે યુપીએની સરકારે હવે ‘આદમી મુસાફિર હૈ.. આતા હૈ જાતા હૈ’ ગીત તેમનું સૂત્ર બનાવી દીધું હશે. માત્ર આમ આદમીની યાદો સાચવવાની, તેમનો જીવ નહિ.‘

No comments:

Post a Comment