June 17, 2011


એક તરફ, સમગ્ર દેશમાં ધાર્મિક કટ્ટરતાનાં આંદોલન અને સંસ્થાઓ સક્રિય થાય છે, તો બીજી બાજુ નવી વ્યવસ્થાનાં નિર્માણના લક્ષ્યવાળાં આંદોલનો અને કાર્યવાહી શરૂ થાય છે. સરવાળે બદલાતું કશું નથી. હકીકતમાં ભારતની સૌથી વધુ મોટી સમસ્યા એનો આ શિક્ષિત મઘ્યમ વર્ગ જ છે. 

આ વર્ગ જ્યારે જ્યારે જે-જે દ્રષ્ટિકોણથી સમાજને જોતો રહે છે, ત્યારે ત્યારે તે-તે દ્રષ્ટિકોણથી સમાજને ચલાવતો રહે છે. ઐતિહાસિક સત્ય એ છે કે સામૂહિક રીતે આ વર્ગનાં દિમાગ અને સંસ્કારમાં સંસ્થાનવાદી ગુલામીની બે સદી જૂની પરંપરા ઉપરાંત રૂઢિવાદી સામંતી જીવનદ્રષ્ટિની ઓછામાં ઓછી એક હજાર વર્ષ જૂની જડતા ઘર કરી બેઠી છે. સંસ્થાનવાદી માનસિક સંસ્કાર એને પોતાના જીવનથી કાપી નાખે છે. એ હદે કે એ સાચા વિચારોના માર્ગે ચાલીને પણ કંઈ નથી કરી શકતો. સામંતી માનસિક ઢાંચો સાચા વિચારોને પોતાના જ જીવનમાં ઉતારતા રોકે છે - એની વ્યાપક સ્વીકૃતિ તો ઘણી દૂરની વાત છે.

No comments:

Post a Comment