June 28, 2011

એવા ઘણા લોકો છે જેમને અમુક ઉંમર પછી જિંદગી વ્યર્થ લાગવા માંડે છે. આનું મુખ્ય કારણ એ છે કે એમણે જિંદગીમાં ‘સંતોષ’ નામના શબ્દ સાથે કામ પાડવાનો પ્રયત્ન જ કર્યો નહીં. શાસ્ત્રો કહે છે કે, સ્ત્રી ઘરને સ્વર્ગ કે નર્ક બનાવી શકે છે-જો આ વાત સાચી હોય તો દરેક સ્ત્રીએ પોતાના ઘરને સંતોષના રંગે રંગીને-સમજદારી અને શાંતિના સાજથી સજાવીને-સ્નેહના ભોજન પીરસીને સૌને સુખી થતા શીખવવું જોઇએ. ચોથા ફેરામાં આગળ રહેતી સ્ત્રી પાસે ઘણી શક્તિ છે. એ શક્તિનો ઉપયોગ પંચાત કરવામાં, ટીવી જોવામાં કે પોતાની પાસે શું નથી એનો હિસાબ કરવામાં વેડફવાને બદલે પોતાના ઘરને અને પ્રિયજનોને સુખી કરવામાં વાપરવી જોઇએ. જો પ્રિયજન સુખી હશે તો સ્ત્રી આપોઆપ જ સુખી થશે, એ નક્કી છે.

No comments:

Post a Comment