June 28, 2011

કેટલાક લોકો નિશ્વિત ધ્યેય, નિશ્વિત ઝડપ સાથે પોતાની સફર પૂરી કરે છે. એમને કોઇ અફસોસ, તિરાડ કે ફરિયાદો નથી હોતી. મેળવ્યાનો અહંકાર નથી હોતો કે ગુમાવ્યાનો કકળાટ નથી હોતો... આવા લોકો ‘સુખી’ હોય છે. એ મહેનત નથી કરતા એવું નથી, એમને જીવનમાં કશું નથી જોઇતું એવું પણ નથી હોતું, પોતાના કુટુંબને સુખી કરવા માટે બનતા પ્રયત્નો કરે જ છે-સગવડો આપે જ છે, પરંતુ ફક્ત સગવડોને બદલે પોતાનો સમય અને સ્નેહ પણ કુટુંબ માટે ફાળવે છે.

આવા લોકો સંતોષી હોય છે અને એટલે જ કદાચ જેની પાછળ એ નથી દોડતા એ બધી જ વસ્તુઓ એમને મળે છે. પૈસા, પ્રસિદ્ધિ, સંપત્તિ, સત્તા જેવી બાબતોને મેળવવા માટે માણસ દોડવા લાગે છે ત્યારે એને સમજાતું નથી કે એ આ દોડમાં હાંફી જવાનો છે. જે મેળવવા માટે દોડી રહ્યો છે એ મેળવવાના ઉધામા કરવાની લહાયમાં એના હાથમાં જે છે એ ખોઇ બેસે છે. એ પછી એક વિચિત્ર ખાલીપો એને ઘેરી વળે છે.

No comments:

Post a Comment