June 28, 2011

સાથીના પ્રેમનું ક્યારેય મૂલ્યાંકન ન કરો. આના લીધે સાથીદારની લાગણી દુભાઇ શકે છે.

સાથીદાર પોતાને કંઇ લઇ આપે અથવા તો પોતે કહે તે મુજબ જ વર્તન કરે એવી શરતો ક્યારેય પ્રેમસંબંધમાં હોતી નથી. સાચો પ્રેમ ક્યારેય શરતોને આધીન થઇને કરી શકાતો નથી. બિનશરતી પ્રેમ કરવો એ દાંપત્ય અને પ્રેમસંબંધની પ્રથમ શરત છે.

પ્રેમ તો એવી ભાવના છે, જેમાં સાથીદારને તમે ગમે તેટલું આપો તો પણ ઓછું પડે અને સાથીદાર તમને કદાચ કંઇ ન આપે તો પણ માત્ર એના પ્રેમથી જ સંતોષ મળી જાય. આવી ઉદાત્ત ભાવનાને કોઇ ભૌતિક વસ્તુ કે ભોગવટો બનાવી દઇને કેટલાક દંપતી પ્રેમનું મૂલ્યાંકન ઓછું કરી રહ્યાં છે.

No comments:

Post a Comment