June 17, 2011


ચીફ મિનિસ્ટરનાં મોટાં મોટાં પોસ્ટરો વારાણસીના ખૂણેખૂણે લગાડાયેલાં છે, પણ ગંગાકિનારે આવું એક હોર્ડિંગ સુઘ્ધાં દેખાતું નથી. શા માટે? કારણ કે ત્યાં ભરપૂર ગંદકી છે. ગંગાનો કિનારો ઓપન ટોઈલેટ બની ચૂક્યો છે.

હું કોઈ પણ શહેરની મુલાકાત લઉં ત્યારે એને નિકટતાથી જોઉં છું. વારાણસીમાં ગંગાજીના તટ પર ઘ્યાન શિબિરનું આયોજન થાય છે. સૂર્યોદય સમયે ગંગાને જોતો હોઉં છું ત્યારે મને દેખાય કે સ્થાનિક રહેવાસીઓ ગંગાના તટનો ઉપયોગ શૌચાલયની જેમ કરે છે. આ જોઈને મને ખૂબ દુ:ખ થાય છે. મને વિચાર આવે છે કે આખા વિશ્વમાંથી આવતા પયટર્કો શું વિચારતા હશે? ક્યાં છે આપણા પયટર્ન મંત્રી? એમનું કાર્ય આપણા દેશનાં પયટર્ન સ્થળોને જોવાલાયક અને દર્શનીય બનાવાનું છે. 

ચીફ મિનિસ્ટરનાં મોટાં મોટાં પોસ્ટરો શહેરના ખૂણેખૂણે લગાડાયેલાં છે પણ ગંગાકિનારે આવું કોઈ એક હોર્ડિંગ પણ કેમ નથી દેખાતું? એ એટલે નથી દેખાતું કારણ કે ત્યાં ભરપૂર ગંદકી છે. ન તો તેઓ ખુદ ત્યાં આવે છે, ન તેમનો કોઈ પબ્લિસિટી મેનેજર, ન ચીફ સેક્રેટરી કે ન કોઈ બીજો સેક્રેટરી. પ્રધાન મંત્રી તથા રાષ્ટ્રપતિને તો આ દ્રશ્ય જોવાની ફુરસદ જ ક્યાં! 

કોમનવેલ્થ ગેમ્સના માઘ્યમથી આપણે આખા વિશ્વના પયટર્કોને બોલાવવા માટે ૬૫,૦૦૦ કરોડનો ખર્ચ કરી ચૂક્યા છીએ. ગંગાદર્શન માટે વર્ષના ૩૬૫ દિવસ સતત પયટર્કો આવે છે, એને માટે ન તો કેન્દ્ર સરકાર કંઈ કરે છે અને ન તો રાજય સરકાર. બંનેને આપસમાં લડવા-ઝઘડવા સિવાય ફુરસદ જ ક્યાં હોય છે. વારાણસી તો એક ઉદાહરણ છે અને આ એક કાયમી ઉદાહરણ છે. ગયા વર્ષે પણ આ સ્થિતિ હતી. એની પહેલાં પણ આ સ્થિતિ હતી અને પછી પણ આ સ્થિતિ જ રહેવાની છે. 

No comments:

Post a Comment