June 17, 2011


ખગોળશાસ્ત્રી ડો. જે. જે. રાવળ તો કહે છે કે હવે યજ્ઞમાં શ્રદ્ધા રાખીને પર્યાવરણને સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ. દેવદિવાળી જાય અને માગશર મહિનો બેસવા આવે છે ત્યારે પણ કમોસમી વરસાદ આવે છે. ચોમાસું પૂરું થાય એટલે જૈન સાધુઓ પગ તળે જીવો ન ચગદાય તે ખાતર ચોમાસામાં ગામતરાં કરતા નહીં. ચાતુર્માસ પૂરો થાય પછી જ વિહાર કરતા. આખી સૃષ્ટિમાં કમેળ આવ્યો છે ત્યારે અથર્વવેદના શ્લોકને અનુસરીને શરીર-મનની શાંતિ માટે યોગ્ય મંત્રોનું રટણ કરવું જોઈએ. અથર્વવેદનો આ શ્લોક જુઓ – 

ઉત્પાતા : પાર્થિવાંત રિક્ષાછં નો દિવિચરા ગ્રહા :
શંનો ભૂમિર્વેપમાના શમુલ્કા નિર્હતંચયાત્ – 

અર્થાત્ હે જગન્નિયંતા, કેટલાક ગ્રહો-ઉપગ્રહો અવકાશ અને પૃથ્વી ઉપર સંકટ લાવે છે, તે ઉપગ્રહોને શાંત કરો. આ ધબકતી - ઊર્જાવાળી પૃથ્વીને પીડા આપનારાં મિટીઓર (તૂટેલા તારા, ઉલ્કા) અસર ન કરે તેવી કૃપા કરો. આ બધા મિટીઓર પણ શાંત થાઓ. સૂર્ય અને રાહુની જે હાનિકારક યુતિ છે તે પણ શાંત થાઓ. Let there be peace from death, comet and terrible celestial light. આમ અથર્વવેદમાં પણ વટકેલાં અને વછૂટેલાં તમામ આકાશી તત્વોથી માનવજાતને બચાવવા માટેના મંત્રો છે અને તે તમામ પંચમહાભૂતને સમતોલ કરનારા મંત્રો છે!

No comments:

Post a Comment