June 17, 2011

આપણા દેશમાં તો સ્વચ્છતાનું સ્થાન બીજું નહીં પહેલું હોવું જોઈએ. સ્વચ્છતાને પૂજા-પ્રાર્થના-ઘ્યાનનો દરજજો આપવા જેવો છે, પણ આપણા સાધુ-સંતો અને અત્યંત અમીર ગુરુઓ પોતાના આશ્રમોની આસપાસની ગંદકી જોઈ નથી શકતા. એ આંખો બંધ કરીને ઘ્યાનમાં ડૂબેલા રહે છે. પરિણામે ગંગાકિનારે ગંદકીનું નરક ફેલાતું રહે છે. આશ્રમની અંદર ગુરુઓ નર્કનું લાંબું-ચૌડું વર્ણન કરતા હોય છે, પણ નર્ક જોવા માટે દૂર જવાની કે મરવાની પણ જરૂર નથી. નર્ક અહીં, અત્યારે જ આશ્રમની બહાર હાજરાહજૂર છે. કોઈએ ઓશોને પૂછ્યું: નર્ક છે? જવાબ મળ્યો: નર્કમાં રહો છો અને પૂછો છો કે નર્ક છે? જરા આંખો ખોલો અને ચારે તરફ જુઓ. નર્ક આ રહ્યું, આસપાસ.

No comments:

Post a Comment