June 17, 2011


સંત કબીર કહે છે: અંધા-અંધા ઢેલિયા, દોનોં કૂપ પડંત. આંધળાઓ આંધળાને ધકેલી રહ્યા છે. અંધનો નેતા પોતે જ અંધ છે. પછી બધા કૂવામાં પડે છે. ઓશો કહે છે: બધા કૂવામાં જ છે. એવું કોણ છે જેની આંખોમાં આનંદનાં કિરણ હોય, જેના પ્રાણમાં પ્રેમ, હોઠ પર અમૃત હોય અને જેણે પરમાત્માને ઓળખ્યો હોય? કોણ એવું છે જેના પગમાં શાશ્વતીનાં ઝાંઝર બંધાયેલાં હોય, જેના જીવનમાં નૃત્ય હોય, ગીત હોય, ઉત્સવ હોય? બધા ઉદાસ છે, મહા-ઉદાસ છે. સૌનું જીવન બોજ છે. લોકો જીવનનો બોજ જેમ તેમ વેંઢારી રહ્યા છે, ઢસડી રહ્યા છે. 

નૃત્ય તો દૂરની વાત છે, અહીં તો ચાલવું મુશ્કેલ છે. એમની આંખોમાં આંસુ સિવાય કશું નથી. એમના પ્રાણમાં ડોકિયું કરશો તો ફૂલ નહીં, કાંટા જ દેખાશે. દુ:ખ જ દુ:ખ, વિષાદ જ વિષાદ, સંતાપ જ સંતાપ. આવાં દુ:ખી ટોળાં ધર્મ અને રાજકારણના ધંધાર્થી આગેવાનોનાં ચરણોમાં ઝૂકે છે. એટલે જ તો ક્રાંતિ નથી થતી આપણા દેશમાં.

No comments:

Post a Comment