June 17, 2011


એફ. ડબ્લ્યુ. જે. શીલિંગ નામના ફિલસૂફે કહેલું, ‘શું ઇશ્વરનું એકમાત્ર ઘ્યેય સર્જનનું જ હતું? કે ધીમેધીમે વિકસવાની વાત હતી? આખરે આ જીવન શું છે? ઈશ્વર જીવન છે અને જીવન જ ઈશ્વર છે. તેના ઉપર આવરણ કે પડળ આવ્યાં કરે છે, આવશે અને પછી ઊખળી જશે.’ તેથી આશાવંત-ઓપ્ટિમિસ્ટ બનવું જ રહ્યુ. 

‘વ્હોટ ઇઝ એનલાઈટનમેન્ટ’ નામના પુસ્તકમાં ટોમ હ્યુસ્ટને કહ્યું છે કે માનવીમાં આખરે પૂર્ણ આઘ્યાત્મિકતા આવશે જ. વર્તનાનની વાસ્તવિકતાનો આ વાત સાથે જોકે મેળ ખાતો નથી, પરંતુ બીજા વંઠે છે, તો તેના વાદેવાદે આપણે શું કામ વંઠાવું જોઇએ? આજ સુધી ઉપભોગવાદ અને હિંસાના વાતાવરણમાં ઊછરેલા પિશ્ચમના ફિલોસોફરો જો આશા આપતા હોય અને આઘ્યાત્મિકતાની ચરમ સીમાનો લાડવો દેખાડતા હોય તો શું કામ તેમાં શ્રદ્ધા ન રાખવી? અમેરિકન ચિંતક રાલ્ફ વાલ્ડો ઇમર્સનથી માંડીને ભારતના ફિલસૂફ અને સ્ટેટસમેન ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન, ઓસ્ટ્રિયાના નૃવંશશાસ્ત્રી તેમ જ ફયુચરિસ્ટ રૂડોલ્ફ સ્ટેઇનર, ઇગ્લિંશ ફિલોસોફર આલ્ફ્રેડ નોર્થ વ્હાઇટહેડ વગેરે મહાનુભાવો કહે છે કે માનવજાત આખરે વિકાસ પામીને પૂર્ણત્વ પામશે, કારણ કે ઇશ્વર માનવ છે અને માનવ જ ઇશ્વર છે.

ટોમ હ્યુસ્ટને શ્રી મહર્ષિ અરવિંદનો દાખલો આપ્યો છે. તેમણે માનવની ઇવોલ્યુશનરી થિયરીને ભારતના રહસ્યવાદની ચેતના સાથે જોડીને આશા બતાવી છે કે માનવ આ સૃષ્ટિમાં રહીને જ નિર્વાણ પામશે. તેણે આઘ્યાત્મિક માર્ગથી રયુત થવાનું નથી. તમે માળા ફેરવતા હો, મંદિરે જતા હો, નમાજ પઢતા હો, મક્કાની હજ કરતા હો કે હિમાલયમાં અમરનાથની યાત્રા કે માનસરોવરની યાત્રા શ્રદ્ધા સાથે કરવા માગતા હો તો શ્રદ્ધા છોડશો નહી. માનવની એ શ્રદ્ધા જ તેને પૂર્ણતા બક્ષશે. 

No comments:

Post a Comment