June 17, 2011


ઈશ્વર ઉપરની શ્રદ્ધા છોડશો નહીં. દર્દ ખૂબ વધી જાય ત્યારે દર્દ જ દવા બની જાય છે. આજુબાજુની હિંસાથી વ્યથિત થશો નહીં. સદીઓ પહેલાં તો આજના કાશ્મીર કે પૂર્વ ભારત કરતાં વધુ હિંસા થતી હતી. અગાઉની સરખામણીએ આજે આપણે ખૂબ શાંતિથી જીવીએ છીએ. તાત્પર્ય એ કે માનવમાં અહિંસા કે પ્રેમ કે સહકારની ભાવના વધુ ખીલશે. મહર્ષિ અરવિંદની આગાહી પ્રમાણે એક દિવસ ભારત-પાકિસ્તાન એક થશે. તાજેતરમાં એક પુસ્તક પ્રગટ થયું છે, તેનું નામ ‘મેક્કાનોમિક્સ’ છે. 

તેના લેખક વાલી નસ મૂળ ઇજિપ્તના છે. તેઓ કહે છે કે આરબ દેશો, પેલેસ્ટાઇન અને બીજા મુસ્લિમ દેશોના મુસ્લિમો સમજી ગયા છે કે આખરે તો આર્થિક પ્રગતિ જ તેમનો ઉદ્ધાર કરશે. ફંડામેન્ટલિઝમ કે જિહાદ કે ટેરરિઝમથી કંઇ નહી વળે. ધારો કે પાંચ લાખ મુસ્લિમો ટેરરિઝમમાં હોય તો કુલ સવાઅબજ મુસ્લિમોની તુલનામાં તેઓ કંઇ નથી. તમામ જૈનો અહિંસક નથી. તમામ હિંન્દુઓ શાકાહારી નથી. થોડાક જ અપવાદો છે. ઇસ્લામમાં જોકે આવા અપવાદની સંખ્યા મોટી છે પણ આખરે બધાની સાન ઠેકાણે આવશે જ. 

No comments:

Post a Comment