June 16, 2011


દુનિયાના રિવાજ પ્રમાણે મન તો થાય કે થોડી શુભેરછા આપું, થોડી પ્રેમ-મહોબતની વાત કરું, સારી સારી વાત કરું, પરંતુ આ નફરત અને જંગની દુનિયામાં, બોમ્બ પર બેઠેલી અને તોપના નાળચા સાથે બંધાયેલી દુનિયામાં સવાલ એ છે કે અમન, ચેન, સુખ-શાંતિની વાત કેવી રીતે કરવી? 

એક સવાલનો જવાબ આપો - કોઈ દુશ્મન અડધી રાતે શરણ માગતો તમારે ઘરે આવી ચડે તો તમે શું કરશો? દરવાજો તરત બંધ કરી આગળિયો વાસી દો તોય દિલને શાંતિ તો નહીં જ મળે. જો એને અંદર લાવી, ખુરશી પર બેસાડી, પાણી પીવડાવશો તોય દિલ ધડકતું જ રહેશે. 

No comments:

Post a Comment