June 17, 2011


જિંદગીની પ્રત્યેક પળને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચાડવાના પ્રયાસમાં કામે લગાડી દો તો કોઈપણ પ્રસંગ ઉપેક્ષા કરવા જેવો નહીં રહે. તમે પ્રસિદ્ધિ લેખક બનવા માગતા હો તો પ્રત્યેક ક્ષણ લેખન શીખવામાં વિતાવો, તમારી કલમની વધુ ધાર કાઢો, આગવી શૈલી વિકસાવો, બીજા લેખકો-પ્રકાશકોને મળી એમના વિચારો જાણો. આવું દાયકા સુધી ચાલુ રાખો અને એક દિવસ તમે જરૂર તમારી કલ્પના પ્રમાણેના લેખક બનશો. 

હવે ધારો કે તમે રજાઓનો આનંદ કરવા ઇચ્છો છો, લગ્ન કરવા માગો છો, બાળકો-મિત્ર સહિત જીવનની તમામ પળોને જીવવા ઇચ્છો છો, તો એની પણ એક કિંમત છે - તમારે તમારાં સપનાં ત્યાગવાં પડશે. એક સ્તર પર બધી મહત્વાકાંક્ષાઓની કિંમત હોય છે અને આ કિંમત ક્યારેક સિદ્ધિની સરખામણીમાં ઘણી વધારે લાગી શકે છે. આ બન્નો સચ્ચાઈ તમારાં લક્ષ્યોને રગદોળી નાખે તેવું બને. મહત્વાકાંક્ષા ત્યારે જ સારી હોઈ શકે છે, જ્યારે તમે સકારાત્મકરૂપે પૂરી ઊર્જા સાથે પોતાની ખ્વાહિશો પૂરી કરવાની ઇચ્છા રાખતા હો. 

વીરેન વેનિસ નામના લેખક કહે છે, ‘મહત્વાકાંક્ષા ખરાબ નથી. સ્વસ્થ મહત્વાકાંક્ષા તમને લાભ જ કરાવે છે. એના પર અંકુશ મેળવવાનો રસ્તો એ છે કે તમારા પ્રયાસ અને મહેનતનાં ફળ જ્યારે પણ મળે ત્યારે ઓળખી લો અને નક્કી કરી લો કે કેટલું પૂરતું છે. ચકાસ્યા વગરની મહત્વાકાંક્ષા સીમા પાર કરી શકે છે તથા ઘમંડ અને લાલચમાં ફેરવાઈ શકે છે. મહત્વાકાંક્ષા એ સીમાને પાર કરી જાય ત્યારે ખુદના વિનાશની સંભાવના ઘણી વધી જાય છે. 

No comments:

Post a Comment