June 16, 2011


જીવન કેવું છે? આ સવાલનો જવાબ તો મળી શકે, પણ જીવન શા માટે છે એના જવાબમાં તમે શું કહેશો?

જીવતા હોવાના ઘણા બધા અર્થ છે અને બધા અલગ અલગ પણ છે. જીવનમાં કુતૂહલ અને જિજ્ઞાસાનું ઊંચું સ્થાન છે. મનુષ્ય પાસે મગજ છે એટલે વિચાર પણ છે અને સવાલ પણ છે. વિદ્વાનો પાસે આ સવાલના જવાબ તો હોય છે, પણ વાસ્તવમાં આપણા જીવનમાં અનેક સવાલ અનુત્તર રહી જતા હોય છે. સાચી વાત તો એ છે કે અમુક સવાલના જવાબ હોતા જ નથી. વિજ્ઞાનની વાત કરીએ. 

કહેવાય છે કે વિજ્ઞાન પાશે નક્કર અને વિશ્વસનીય જવાબો હોય છે, પણ સમજવા જેવી વાત એ છે કે વિજ્ઞાન પાસે જે જવાબો છે એ ‘કેવી રીતે’ (હાઉ?) સાથે સંકળાયેલા સવાલોના જવાબ છે. ‘શા માટે’ (વ્હાય?)ના મામલે તો વિજ્ઞાન પણ અનેક મામલે માથું ખંજવાળતું અટકી પડે છે.

‘શા માટે’ પ્રકારના સવાલોના યોગ્ય જવાબ આપવા લગભગ અસંભવ છે, અને અગર અપાય તો પણ એ જવાબમાં વળી બીજો સવાલ છૂપાયેલો જડી આવશે. પરિણામે, એક જવાબ મળ્યા પછી ફરી આપણે, એમાંથી ઊઠેલા સવાલના જવાબની શોધમાં અટવાઈ પડીએ છીએ.

No comments:

Post a Comment