October 21, 2010

વૈશ્વિક હરણફાળ ભરવા તાલીમબધ્ધ માનવબળની તાતી જરૂર

એક દાયકામાં સોફ્ટવેર એન્જિનિયરિંગ સર્વિસિસ 45-50 અબજ ડોલરનો નિકાસ બિઝનેસ બની જવાનો અંદાજ છે અને તેના કારણે , ભારતીય કંપનીઓએ તક ઝડપી લેવા માટે એન્જિનિયર્સની આયાત કરવાની ફરજ પડશે એમ નાસકોમ-બૂઝ એલન દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.
કુશળ માનવબળની તીવ્ર અછતને કારણે વિદેશમાંથી એન્જિનિયર્સ લાવવા પડશે એમ એન્જિનિયરિંગ સર્વિસિસ કંપની નેઇલસોફ્ટના સીએમડી કેતન બક્ષીએ કહ્યું હતું. તેઓ નાસકોમની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય અને તેની એન્જિનિયરિંગ ફોરમના કો-ચેરમેન છે.

બક્ષીએ ઉમેર્યું હતું કે , 2020 સુધીમાં , ભારતીય સોફ્ટવેર એન્જિનિયરિંગ સર્વિસિસ કંપનીઓને 25-30 ટકા એન્જિનિયરિંગ ટેલેન્ટ વિદેશમાંથી લાવવાની જરૂર પડશે ,કારણ કે અત્યારે ભારતમાં તાલીમબદ્ધ લોકોની ભારે અછત છે. ભારતીય એન્જિનિયરિંગ સર્વિસિસ કંપનીઓ 45 અબજ ડોલરનું મૂલ્ય ધરાવતા બજારમાં રહેલી તક ઝડપવા માટે તેમનો વ્યાપ વૈશ્વિક સ્તરે વધારી રહી હોવાથી આ તંગીમાં વધારો જ થવાનો છે.

બક્ષીના અંદાજ પ્રમાણે , એકલી એન્જિનિયરિંગ સર્વિસિસ ક્ષેત્રની કંપનીઓને જ 10 થી15 લાખ કુશળ માનવબળની જરૂર પડશે , જેમાંથી અઢી લાખથી વધુ લોકો બીજા કોઈ ક્ષેત્રમાંથી આવશે. આવક અને હેડકાઉન્ટના સંદર્ભમાં આ આંકડો ટીસીએસ અને ઇન્ફોસિસની સંયુક્ત ક્ષમતા કરતાં થોડોક જ ઓછો છે.

ટાટા ટેક્નોલોજિસના ગ્લોબલ સર્વિસિસના પ્રેસિડન્ટ અને એશિયા-પેસિફિકના ચીફ ઓપરેટિંગ ઓફિસર સમીર યાજનિકે ભારતમાં કુશળ માનવબળની તંગી અંગેના બક્ષીના અભિપ્રાય સાથે સંમત થતાં કહ્યું હતું કે , જો આપણે 2020 સુધીમાં 45 અબજ ડોલરનો લક્ષ્યાંક હાંસલ કરવો હશે તો પછી આગામી કેટલાંક વર્ષોમાં 100 ટકા માનવબળની અછતનો સામનો કરવો પડશે.

આ તંગી કેટલી હશે તે અંગે હું ચોક્કસ આંકડો આપવા નથી ઇચ્છતો , પરંતુ હા ,એન્જિનિયરિંગ કોલેજો તેમજ અન્ય સંસ્થાઓમાં તૈયાર થતા એન્જિનિયર્સને જોતાં તંગી જોવા મળશે જ.

આ પરિસ્થિતિનો સામનો કરવા માટે ટાટા ટેક્નોલોજિસ દ્વારા અપનાવવામાં આવેલા વિકલ્પની રચના યાજનિકે કરી હતી. અમે અન્ય દેશો સાથે સંબંધો વિકસાવીને આ તંગી પૂરી કરવાની શરૂઆત કરી હતી. આથી , અમે થાઇલેન્ડમાં એન્જિનિયરિંગ સેન્ટર સ્થાપ્યું હતું , જે અમારી લો-એન્ડ એન્જિનિયરિંગનું કામ કરે છે.

થાઇલેન્ડમાં લો-એન્ડ એન્જિનિયરિંગ સર્વિસિસ પાછળનો સંપૂર્ણતઃ ખર્ચ ઘણો ઓછો હોય છે અને અમારે આવા બીજી શ્રેણીના દેશો સાથે સંબંધો વધુ વિકસાવવા પડશે. અમે અહીં ભારતમાં ફુલ-વ્હિકલ પ્રોગ્રામ શરૂ કરીશું , કારણ કે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં સેન્ટર શરૂ કરવું ઘણો સસ્તો વિકલ્પ છે. ભવિષ્યમાં અમે કોરિયા અને ચીન તરફ નજર દોડાવીશું.

આનો અર્થ એ થયો કે આ ક્ષેત્રે કાર્યરત ભારતીય કંપનીઓ વૈશ્વિક રંગ ધારણ કરશે અને વૈશ્વિક કંપનીની જેમ તેમની મુશ્કેલીઓ દૂર કરશે એમ બક્ષીએ કહ્યું હતું . તેમણે સમજાવ્યું હતું કે , વૃદ્ધિ એક નશો છે અને આવી વૃદ્ધિ જ્યારે થાય છે ત્યારે તણાવ પણ વધી જાય છે .

સ્નાતકનો અભ્યાસ પૂરો કરનાર નવોદિતને સારો એન્જિનિયર બનવા માટે છથી બાર મહિનાનો સમય લાગે છે . ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ માટે સારો એન્જિનિયર એને કહી શકાય જેની પાસે 15-20 વર્ષનો અનુભવ હોય . આપણા રાષ્ટ્રીય સ્તરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને તેમાં જે ઝડપે કામ થાય છે તે જુઓ તો ,તમને ખ્યાલ આવશે કે આપણી પાસે આવડા મોટા પ્રોજેક્ટ્સનું અસરકારક રીતે અમલીકરણ કરી શકે તેવા કુશળ માનવબળની ખૂબ જ તંગી છે

No comments:

Post a Comment