વિશુદ્ધ સામર્થ્યનો નિયમ
જે જીવંત છે, તે ચેતનાસભર છે. જે ચેતનવંતું છે તેમાં ભરપૂર સામર્થ્યની એક પાતાળગંગા વહી રહી છે. આ પાતાળગંગા જ પ્રત્યેક સંભાવના અને સર્જનાત્મકતાની ગંગોત્રી છે. આપણો સ્વભાવ પણ આ સામર્થ્યનો જ એક ભાગ છે.
નિયમપાલન: - હું દરરોજ થોડો સમય મૌન રહીને આ સામર્થ્યને ખોળી કાઢવાનો પ્રયત્ન કરીશ. - હું દરરોજ પ્રકૃતિ સાથે સંબંધ પ્રસ્થાપિત કરીશ અને દરેક જીવની બૌદ્ધિક ક્ષમતાનું ચૂપચાપ અવલોકન કરીશ. - આ નિર્ણયાત્મકતાની સ્થિતિનો અભ્યાસ કરીશ.
આપવાનો નિયમ
આ બ્રહ્માંડમાં કંઇ પણ સ્થિર નથી. આપણું શરીર બ્રહ્માંડની સાથોસાથ નિરંતર ગતિશીલ છે. જીવનના અસ્તિત્વ માટે આવશ્યક તત્ત્વો અને શક્તિઓનું સંતુલન જરૂરી છે.
નિયમપાલન: - હું ગમે ત્યાં જઇશ, જેને પણ મળીશ, સૌને કંઇકને કંઇક ભેટ અવશ્ય આપીશ. - આજે પ્રકૃતિ મને જે ઉપહારો આપશે તેને પ્રસન્નાતાથી સ્વીકારીશ. - જીવનના આ કિંમતી ઉપહારોના બદલામાં હું ધનનો સંચાર કરતો રહીશ.
કાર્ય અને કારણનો નિયમ
કર્મમાં કાર્ય અને તેનું પરિણામ. બન્નો સામેલ છે. આપણાં પ્રત્યેક કર્મમાંથી ઊર્જા પ્રાપ્ત થાય છે, તેના બદલામાં એવું જ ફળ મળે છે.
નિયમપાલન: - હું પ્રત્યેક પસંદગીનો સાક્ષી બની રહીશ. - જાતને બે સવાલ અવશ્ય પૂછીશ - મારી આ પસંદગીના પરિણામ શું હશે? આ પસંદગી લાભપ્રદ બની રહેશે? - મન પાસેથી માર્ગદર્શન માગીશ.
અલ્પ પ્રયાસનો નિયમ
આ નિયમ પ્રેમ અને સમન્વયનો નિયમ છે. પ્રકૃતિ સરળતા અને સ્વતંત્રતાથી ચાલે છે, જ્યારે આપણે પ્રકૃતિ પાસેથી આ પાઠ શીખશું ત્યારે ઇચ્છાઓ પરિપૂર્ણ થવા લાગે છે.
નિયમપાલન: - આવનારી દરેક ચીજોને હું યથાતથ સ્વીકારી લઇશ, જેને હું સમસ્યા ગણતો હતો, તેની જવાબદારી પણ જાત પર લઇશ. - દરેક વિચારો માટે મારી જાતને મુકત રાખીશ.
ઉદ્દેશ અને ઇચ્છાનો નિયમ
પ્રકૃતિમાં ઊર્જા અને જ્ઞાન સર્વત્ર વિખરાયેલાં છે. કવોન્ટમ ક્ષેત્રમાં ઉર્જા અને જ્ઞાન સિવાય કશાનું અસ્તિત્વ નથી. આ કવોન્ટમ ક્ષેત્ર ઉદ્દેશ્ય અને ઇચ્છાથી પ્રભાવિત થાય છે.
નિયમપાલન: -મારી તમામ ઇચ્છાઓની યાદી બનાવીશ. - આ ઇચ્છાઓને હું પ્રકૃતિને હવાલે કરી દઇશ. - મારાં પ્રત્યેક કર્મમાં વર્તમાન પ્રત્યે સતર્ક રહીશ.
અનાસક્તિનો નિયમ
કંઇ પણ મેળવવા માટે પહેલા તો તેનો મોહ ત્યાગવો પડશે.પરિણામ પ્રત્યેની આસક્તિ ત્યજવી પડશે.
નિયમ પાલન: - આજે હું અનાસક્ત રહીશ.-અનિશ્વિતતાને અનુભવ માટે આવશ્યક ગણીશ.-શક્યતાઓમાં આનંદ પામીશ.
ધર્મ કે જીવનના ઉદ્દેશ્યનો નિયમ
તમારામાં અસાધારણ યોગ્યતા છે અને તેને વ્યક્ત કરવાની રીત પણ અનોખી છે, જ્યારે આવશ્યકતા અને રચનાત્મકતાની અભિવ્યક્તિનો સમન્વય થાય છે, ત્યારે જ સુખ - સમૃદ્ધિનો જન્મ થાય છે.
નિયમપાલન: - હું આત્મા પર ઘ્યાન કેન્દ્રિત કરીશ. - મારી અસાધારણ યોગ્યતાઓની યાદી તૈયાર કરીશ. એ પછી શું કરવું જોઇએ તેની પણ યાદી તૈયાર કરીશ. - દરરોજ જાતને પૂછીશ કે હું અન્યની મદદ કઇ રીતે કરી શકું?
No comments:
Post a Comment