October 24, 2011

IIMના વિદ્યાર્થીઓનો દેખાવ અપેક્ષાથી ઊણો

મેનેજમેન્ટનું શિક્ષણ આપતી ભારતની ટોચની સંસ્થાઓના વિદ્યાર્થીઓ તેમના નોકરીદાતાની અપેક્ષા સામે ઊણા ઊતરતા હોવાનું આઇઆઇએમ-અમદાવાદ અને આઇઆઇએમ-કોલકાતાના અલગ અલગ અભ્યાસમાં બહાર આવ્યું છે.

તે મુજબ આ સ્નાતકો કંપનીના અન્ય સ્ટાફ સાથે તાદાત્મ્ય કેળવે અને એમબીએ ન હોય તેવા અનુભવી સહકર્મીઓ પાસેથી શીખે તેવી અપેક્ષા કંપનીઓની હોય છે. આ તારણોથી બી-સ્કૂલ્સ મનોમંથન કરવા પ્રેરાય તેવી અપેક્ષા છે.

ભારતમાં એમબીએના ભાવિ શિક્ષણની દિશા નક્કી કરવા અત્યારે દેશી 30 જેટલી સંસ્થાઓના 70 અધિકારીઓ અમદાવાદમાં ' મેનેજમેન્ટ એજ્યુકેશનઃ ધ રોડ અહેડ ' પરની બે દિવસની કોન્ફરન્સમાં મનોમંથન કરી રહ્યા છે.

એમબીએ ન થઈ હોય તેવી યોગ્ય વ્યક્તિ એમબીએની સમકક્ષ છે.તેમ આઇઆઇએમ-એના અભ્યાસમાં જણાવાયું છે. સંસ્થામાંથી નિયમિતપણે વિદ્યાર્થીઓ પસંદ કરતી 16 કંપનીઓ સાથે વાતચીત કર્યા પછી આ તારણ કાઢવામાં આવ્યું છે.

સફળ મેનેજર બનવા માટેની વ્યવહાર કુશળતા (સોફ્ટ સ્કિલ્સ) દ્વિતીય અને તૃતીય કક્ષાની સંસ્થાઓના વિદ્યાર્થીઓમાં સારી હોય છે તેવું કંપનીઓ માને છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ , કન્સલ્ટિંગ , આઇટી , માર્કેટિંગ , ટેલિકોમ અને જાહેર ક્ષેત્રની 26 સંસ્થાઓએ આઇઆઇએમ-સીને અભિપ્રાય આપ્યો હતો કે આઇઆઇએમના વિદ્યાર્થીઓએ લોકોની સાથે કામ કરવા , વાસ્તવિક સમસ્યાઓ સમજવા , નેતૃત્વ અને વધુ શીખવા વધારે ધ્યાન આપવું જોઈએ. આઇઆઇએમ-સીના વિદ્યાર્થીઓ પોતાની ભૂમિકા સમજી શકતા નથી અને કારકિર્દી અંગે ખોટા નિર્ણય લેતા હોવાનું પણ બહાર આવ્યું છે.

વર્ષ 2008 ની આર્થિક કટોકટી પછી સમગ્ર વિશ્વની મેનેજમેન્ટ સંસ્થાઓની આકરી ટીકા થઈ હતી અને તેમના અભ્યાસક્રમ સામે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. કંપનીઓ અભ્યાસક્રમમાં પરિવર્તન તેમજ માત્ર ડિગ્રીધારી નહીં પરંતુ કાર્યકુશળ કર્મચારી ઇચ્છે છે તેવા સમયે ટોચની બે સંસ્થાઓનો આ અભ્યાસ બહાર આવ્યો છે.

આઇઆઇએમ-એના પ્રોફેસર ટી વી રાવ કહે છે કે , કંપનીઓ માને છે પ્રથમ કક્ષાની બી-સ્કૂલ્સના વિદ્યાર્થીમાં ટૂંકો રસ્તો પસંદ કરવાની વૃત્તિ ઓછી હોય છે પરંતુ દ્વિતીય અને તૃતીય કક્ષાની સંસ્થાઓના વિદ્યાર્થીઓમાં ઉદ્યોગસાહસિકતા વધારે હોય છે , તેમને વાસ્તવિકતા ખબર હોય છે અને સમસ્યાઓને ઉકેલવાની ક્ષમતા હોય છે.
આઇઆઇએમ-એના અભ્યાસ પ્રમાણે આઇઆઇએમના વિદ્યાર્થીઓમાં પશ્ચિમના પોતાના સમકક્ષોની સરખામણીએ અન્યોની લાગણી સમજવાની અને તેને પ્રભાવિત કરવાની ક્ષમતા (ઇમોશનલ કોશન્ટ) ઓછી હોય છે અને દેખાવ પ્રત્યે ઓછા સભાન હોય છે.

આઇઆઇએમ - સીના અમિત ધીમન જણાવે છે કે , કેટલીક કંપનીઓ માને છે કે એમબીએ ન હોય તેવી વ્યક્તિ પ્રબંધનમાં વૈવિધ્ય અને ક્ષેત્ર વિષયક તજ્જ્ઞતા ઉમેરતી હોય છે . અમારા મતે એકંદરે એમબીએ વ્યક્તિ કારકિર્દીમાં ઝડપથી આગળ વધે છે .

આઇઆઇએમ - એના અભ્યાસમાં એવું પણ બહાર આવ્યું હતું કે આઇઆઇએમના વિદ્યાર્થીઓ ઝડપથી નોકરી બદલતા હોય છે . જ્યારે કંપનીઓ પરિણામ , ટીમ વર્ક અન્ય પાસેથી શીખવા જેવી બાબતોને મહત્ત્વ આપે છે પરંતુ તેમને તે મળતું નથી .તેમ રાવ કહે છે.

No comments:

Post a Comment