October 1, 2011

ગુનેગારના ભૂતકાળની બદનામીનો ઉપયોગ શો-બિઝનેસમાં કરવામાં આવે અને તેને ગ્લોરિફાય કરવામાં આવે એ બાબતે ગંભીર વાંધો હોવો જોઇએ.

કોઇ ગુનેગાર સજા કાપ્યા પછી સજ્જન તરીકે જીવે, પોતાનો ધંધો - રોજગાર કરે તેની સામે પણ કોઇ વાંધો હોઇ શકે નહીં. પણ, વાંધો એ બાબત સામે હોય, ગંભીર વાંધો હોય કે બદનામ વ્યક્તિની બદનામીનો ઉપયોગ શો-બિઝનેસ દ્વારા કરવામાં આવે, તેને ગ્લોરિફાય કરવામાં આવે.

મારિયા માત્ર પુરાવાઓનો નાશ બદલ ગુનેગાર ગણાઇ એટલે ત્રણ વર્ષની સજા થઇ. મારિયાને જેલમાંથી છોડી મૂકવાનો આદેશ થયો. જેલમાંથી સેલિબ્રિટીની જેમ મારિયા બહાર આવી અને બ્લડ હાઉન્ડ જેવા પબ્લિસિટી ભૂખ્યા આપણા શો બિઝનેસે મારિયા સામે રિયલિટી શો અને ફિલ્મોની ઓફર્સનો ઢગલો કરી દીધો. ‘બિગ બોસ’ની નવી સિઝનમાં મારિયાને કામ આપવાની ઓફર થઇ. રામ ગોપાલ વર્માએ મારિયાને ફિલ્મની ઓફર કરી હોવાની પણ ચર્ચા શરૂ થઇ.

ભારતના શો બિઝનેસમાં ગળાકાપ હરિફાઇ છે. ટીઆરપી મેળવવા માટે તેઓ ગમે તે હદે જઇ શકે છે. એમાં પણ બિગ બોસ શો તો વિવાદાસ્પદ, કલંકિત અને નેગેટિવ પબ્લિસિટી મેળવનાર લોકોને સેલિબ્રિટી બનાવીને તેમને શોમાં લાવવામાં માહેર છે. શિલ્પા શેટ્ટી સામે રંગભેદી ટિપ્પણી કરનાર બ્રિટિશ અભિનેત્રી જેડ ગુડીને બિગ બોસમાં સ્થાન મળ્યું હતું.

દિગંબરની પૂંઠે બાવળિયો ઊગ્યો તો કહે, છાંયડો થશે. આ કહેવત તો આપણે સાંભળી હતી પણ હવે તેનું એક્સટેન્શન થઇ રહ્યું છે. પૂંઠે બાવળિયો ઊગે તે હવે છાંયડો નહીં, શોભા બની રહે છે. મારિયા મોનિકા સુસાઇરાજ નામની ફિલ્મો અને સિરિયલ્સમાં કામ મેળવવામાં નિષ્ફળ જનાર નટીએ ટીવી સિરિયલ્સના બિઝનેસ સાથે જોડાયેલા પોતાના એક મિત્રનું ખૂન પ્રેમીના હાથે કરાવી નાખ્યું, બંનેએ મળીને લાશના ૩૦૦ (રિપીટ, ૩૦૦!) ટુકડા કરીને બેગમાં ભર્યા અને જંગલમાં જઇને સળગાવી નાખ્યા. ત્રણ વર્ષ મારિયા જેલમાં રહી. ત્રણ વર્ષે ચુકાદો આવ્યો. મારિયા માત્ર પુરાવાઓનો નાશ બદલ ગુનેગાર ગણાઇ એટલે ત્રણ વર્ષની સજા થઇ.

મારિયાને જેલમાંથી છોડી મૂકવાનો આદેશ થયો. જેલમાંથી સેલિબ્રિટીની જેમ મારિયા બહાર આવી અને બ્લડ હાઉન્ડ જેવા પબ્લિસિટી ભૂખ્યા આપણા શો બિઝનેસે મારિયા સામે રિયલિટી શો અને ફિલ્મોની ઓફર્સનો ઢગલો કરી દીધો. ‘બિગ બોસ’ની નવી સિઝનમાં મારિયાને કામ આપવાની ઓફર થઇ. રામ ગોપાલ વર્માએ મારિયાને ફિલ્મની ઓફર કરી હોવાની પણ ચર્ચા શરૂ થઇ. નીરજ ગ્રોવરની હત્યાની ઘટના પરથી ફિલ્મ બને એની સામે કોઇને વાંધો ન હોઇ શકે, કોઇ ગુનેગાર સજા કાપ્યા પછી સજ્જન તરીકે જીવે, પોતાનો ધંધો - રોજગાર કરે તેની સામે પણ કોઇ વાંધો હોઇ શકે નહીં. પણ, વાંધો એ બાબત સામે હોય, ગંભીર વાંધો હોય કે બદનામ વ્યક્તિની બદનામીનો ઉપયોગ શો-બિઝનેસ દ્વારા કરવામાં આવે, તેને ગ્લોરિફાય કરવામાં આવે.

મારિયા સુસાઇરાજમાં શો-બિઝનેસના ખેરખાંઓને જબરદસ્ત રસ પડ્યો છે. રામ ગોપાલ વર્માએ મારિયાને લઇને ફિલ્મ બનાવવાની વાત કરી તેની સામે અશોક પંડિત નામના ફિલ્મ મેકર શનિવારે સાંજે મુંબઇમાં યોજાયેલી મારિયાની પ્રેસ કોન્ફરન્સમાં કોઇ રાજકારણીઓના ટેકેદારો અને નારા ચિતરેલાં બિલબોર્ડ્સ સાથે ધસી ગયા અને પ્રેસ કોન્ફરન્સ ન કરવા દીધી. આ અશોક પંડિત વળી એ જ મહાશય જેમણે રામુ સાથે કામ કર્યું છે.

ભારતના શો બિઝનેસમાં ગળાકાપ હરિફાઇ છે. ટીઆરપી મેળવવા માટે તેઓ ગમે તે હદે જઇ શકે છે. એમાં પણ બિગ બોસ શો તો વિવાદાસ્પદ, કલંકિત અને નેગેટિવ પબ્લિસિટી મેળવનાર લોકોને સેલિબ્રિટી બનાવીને તેમને શોમાં લાવવામાં માહેર છે. શિલ્પા શેટ્ટી સામે રંગભેદી ટિપ્પણી કરનાર બ્રિટિશ અભિનેત્રી જેડ ગુડીને બિગ બોસમાં સ્થાન મળ્યું હતું. તે પછી ડ્રગ્સ રાખવાના કેસમાં પકડાયેલા અને પત્નીને મારવા બદલ બદનામ થયેલા રાહુલ મહાજનને બિગ બોસમાં એન્ટ્રી મળી.

મુંબઇ પર હુમલો કરનાર આતંકવાદી આમિર અઝમલ કસાબના વિવાદાસ્પદ વકીલ અબ્બાસ કાઝમીને અદાલતે કસાબના વકીલના પદ પરથી હાંકી કાઢ્યા પછી તેને પણ બિગ બોસમાં પ્રવેશ મળ્યો. ગુંડા અબુ સાલેમની પ્રેમિકા મોનિકા બેદી જેલમાંથી છુટી એટલે તેને પણ બિગ બોસની ઓફર મળી અને બિગ બોસના ઘરમાં તે પ્રવેશી શકી. ચંબલની ડાકુરાણી (રાણી?) સીમા પરિહાર, પાકિસ્તાની નટી વીણા મલીક અને શ્વેતા તિવારીને માર મારનાર પત્ની પર શૂરા એવા પતિ રાજા ચૌધરીને પણ બિગ બોસે સેલિબ્રિટી બનાવી દીધા.

બન્ટી ઔર બબલિ નામની ફિલ્મ જેના પરથી પ્રેરણા લઇને બનાવવામાં આવી હતી તે બન્ટી નામના રખડુ ચોરને પણ બિગ બોસે એન્ટ્રી આપી અને રાખી સાવંતને તેની મમ્મી સાથે ઝઘડો થયો એટલે રાખીની મમ્મીને પણ એન્ટ્રી મળી ગઇ. લેસ્બિયન હોવાને કારણે લાઇમ લાઇટમાં આવેલી સંભાવના અને ગેરકાયદે ભારતમાં રહેવા બદલ જેની સામે પોલીસ કેસ થયો હતો તે કલાઉડિયાને પણ બિગ બોસે મહેમાન બનાવ્યાં હતાં.

માત્ર બિગ બોસ જ નહીં, અન્ય રિયલિટી શો પણ નેગેટિવ પબ્લિસિટી લેનાર લોકોને સેલિબ્રિટી ગણીને તેમને કરોડો રૂપિયાની ઓફર કરે છે. રાહુલ મહાજન સતત વિવાદોમાં ઘેરાયેલો રહ્યો એટલે એનો સ્વયંવર રચી કાઢવામાં આવ્યો અને ટીવી પર રિયલિટી શો તરીકે પ્રસારિત કરવામાં આવ્યો. રાખી સાવંત પણ વિવાદાસ્પદ હોવાને કારણે તેનો સ્વયંવર રચાયો. સંજય દત્ત હથિયાર રાખવાના કેસમાં જેલમાં ગયો તે પછી તેને ઢગલાબંધ કામ ફિલ્મોમાં મળ્યું. નૈતિકતાની મોટી મોટી ગુલબાંગો પોકારનાર રામ ગોપાલ વર્મા જેવા નિર્માતાઓ જ્યારે રૂપિયા કમાવાની વાત આવે ત્યારે કલંકિત વ્યક્તિઓની નેગેટિવ પબ્લિસિટીને એનકેશ કરવામાં અગ્રેસર હોય છે.

ટીવી અને ફિલ્મ નિર્માતાઓ નેગેટિવ પબ્લિસિટી ધરાવતા લોકોને કામ આપે અને પોતે તગડી કમાણી કરી લે તેટલાંથી વાત પૂરી થઇ જતી નથી. સમાજ પર આવી ઘટનાની જે અસર પડે છે તે ભયાનક હોય છે. મારિયાની ઘટના પછી કોઇપણ સ્ટ્રગલ કરતી છોકરી એવું વિચારી શકે કે હત્યા કરી નાખો, સજા થશે અને તમારું નામ થઇ જશે એટલે જે સિરિયલવાળા તમને બારણામાંથી જ હાંકી કાઢતા હતા તે સામેથી ઓફર્સ આપવા માટે આવશે. ગુનાને આ નિર્માતાઓ માત્ર જસ્ટિફાય નથી કરી રહ્યા, તેને ગ્લોરિફાય પણ કરી રહ્યા છે. બનાવનારા તેના પ્રીમિયરમાં એવા ફાંકા મારતા હોય છે કે અમે સમાજને સંદેશ આપવા માગીએ છીએ.

પણ ગુનેગારોને સેલિબ્રિટી બનાવીને તેઓ શું સંદેશ આપવા માગે છે? તેમને સજા ભોગવીને બહાર આવેલી વ્યક્તિ પ્રત્યે લાગણી નથી હોતી. મારિયા બે વર્ષ પછી ખોવાઇ જશે ત્યારે કોઇ રામ ગોપાલ વર્મા તેને પૂછવા નહીં જાય. ઉર્મિલા માતોંડકર શું કરે છે તે પણ નહીં પૂછનાર રામુ મારિયાને શું યાદ રાખવાનો? કલંકિત અને વિવાદાસ્પદ વ્યક્તિત્વને ઓફર કરવા પાછળ તેમની મંછા તો આ લોકોને મળેલી નેગેટિવ પ્રસિદ્ધિનો પોતાના હિત માટે ઉપયોગમાં લેવાની જ હોય છે. તેમના શો જોનાર સામાન્ય જનતાના મન પર જે અવળી અસર પડે છે તેમની તેમને કોઇ ચિંતા હોતી નથી.

કાલ્પનિક કથા ધરાવતી ફિલ્મોથી જો લોકો દોરવાઇ જતા હોય તો સત્ય ઘટનાઓને સાંકળતા બનાવો અને આવી ઘટનાઓમાં આરોપી વ્યક્તિઓને મળતાં સન્માનથી તો દોરવાઇ જ જાય ને? ગુનેગારોને કામ આપવું તે અન્ય પરિપ્રેક્ષમાં નૈતિક અને સારું કામ છે પણ, તેમને ફિલ્મો કે ટીવીના રિયલિટી શોમાં કામ આપવું નૈતિકતાનું પતન કરવાનું કામ છે. જેનાથી જનતા દોરવાતી હોય, જનતા જેનું અનુકરણ કરવા પ્રેરાતી હોય તેવાં માધ્યમોએ પોતાની મર્યાદા જાળવવી જોઇએ. પોતાના લાભ માટે સમાજના તાણાવાણા વીંખી નાખવાની તેમને છુટ ન મળવી જોઇએ.

ગુનેગાર કે ગુનાની સજા ભોગવીને બહાર આવનાર માણસને રોજગારની સમાન તક મળવી જોઇએ એવી દલીલ કોઇપણ બુદ્ધિશાળી માણસ કરી શકે. પણ, કલંકિત સેલિબ્રિટીની નેગેટિવ પબ્લિસિટીને વટાવવા માટે તેને ગ્લોરીફાય કરવાનો મુદ્દો નૈતિક છે, સામાજિક છે. જ્યારે નૈતિકતાનું ધોવાણ થતું હોય ત્યારે સ્વનિયંત્રણ જ કામમાં આવે, ટીવી માટે રેગ્યુલેટિંગ ઓથોરિટી નહીં. ભારતમાં લગભગ તમામ રેગ્યુલેટિંગ એજન્સી ભ્રષ્ટ થઇ જાય છે અથવા દાંત અને નહોર વગરના વાઘ જેવી થઇ જાય છે. સેબી હોવા છતાં શેર બજારના કૌભાંડો બહાર આવતાં જ રહે છે.

દુનિયાના સૌથી વધુ કાયદા ધરાવતા દેશોમાં ભારતનો સમાવેશ થતો હોવા છતાં ગુનાખોરી ઘટતી નથી. દરેક વખતે કાયદો કામમાં નથી આવતો અને, જ્યાં સુધી નાગરિકો અને સમાજના પ્રતિનિધિઓ જવાબદારીપૂર્વક, નિષ્ઠાપૂર્વક વર્તતા ન થાય ત્યાં સુધી કોઇ કાયદો સફળ થતો નથી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ વર્માએ હમણાં કહ્યું હતું, ‘ભારતનું બંધારણ નિષ્ફળ નથી ગયું, આપણે બંધારણને નિષ્ફળ બનાવ્યું છે.’ હકીકતમાં, સમાજના તાણાવાણાને જે ઘસારો પહોંચ્યો છે તેના માટે સમગ્રપણે જવાબદાર એ તમામ લોકો છે જે લોકોનું માનસ ઘડે છે. અને, લોકોનું માનસ ઘડવામાં અત્યારે તો સૌથી મોટો ફાળો ટીવી આપી રહ્યું છે. આ સ્થિતિમાં મારિયા નામની નટીના ખોળામાં જેલમાંથી નિકળ્યા પછી તરત જ ઓફર્સના ઢગલા થાય ત્યારે તેનાં નસીબને વખાણવું પડે અને, ભારતના નસીબ માટે પોક મૂકીને રડવું પડે.

No comments:

Post a Comment