October 1, 2011

વિન્સેન્ટ સ્મિથ લખે છે કે હિન્દુસ્તાનમાં ૨૩૧૧ વર્ષ પહેલાં આવું શ્રેષ્ઠ કારોબારવાળું અને વેલ ઓર્ગેનાઇઝ્ડ શહેરોવાળું કેળવાયેલું રાજ હોઈ શકે તેની કોઈને કલ્પના જ ન આવે.

ચાણક્ય એ તેના પિતાના નામ પરથી ‘ચણકનું અપત્ય’ (અપત્ય એટલે સંતાન) પડ્યું હશે. બુદેલખંડના નાગૌદાનગર નજીક ચણક ગામના નિવાસી હોવાથી ચાણક્ય કહેવાયા તેવોય મત છે. હકીકતમાં તેઓ કુટલ ગક્ષેત્રમાં જન્મ્યા હોવાથી કૌટિલ્ય કહેવાયા.

ચાણક્યે ઉપદેશેલી રાજનીતિ નૈતિકતા વગરની કે કુટિલ નહોતી! શુદ્ધ હેતુ કે શુદ્ધ સાધ્યને સિદ્ધ કરવા માટેનો થોડોક વાંકો માર્ગ પણ તેણે ચિંધ્યો છે. કૌટિલ્ય બ્રાહ્નણ હતા. વધુ ભણવા તક્ષશિલા વિદ્યાપીઠ ગયા અને ત્યાં વેદશાસ્ત્રો અને રાજનીતિ શાસ્ત્રનો ખાસ અભ્યાસ કર્યો. પછી તે આચાર્ય બન્યા. ત્યારનો સમય રાજકીય ઊથલપાથલનો (૨૧મી સદી જેવો) હતો.

કભી કભી મૌત ભી જબ એક કિતાબ લિખતી હૈ
તો જિંદગી સે એક ભૂમિકા લિખવાને કે લિયે આતી હૈ...
વહ જબ બોધિ વૃક્ષ સે ગુજરી થી બુદ્ધ કબ આંખ ખોલેંગે યહી દેખતી પેડ કે પત્તે કી તરહ વહ કાંપતી રહી
ફિર ઉસને હવાઓ કા કાગજ સામને રખા તો બુદ્ધને કરુણા કી ગાથા કહી થી
ઉસને જબ કૃષ્ણ કી બાંસુરી સુની તો એક પેડ કે પીછે ખડી
ગોપિયોં કી રાસલીલા દેખતી રહી કૃષ્ણ કે રથ કી લગામ પકડી
ઔર જબ હવાઓં કા કાગજ સામને રખા
તો કૃષ્ણને હંસકર ગીતા સુનાઈ થી
મૌત કી કંઈ કાલી કિતાબે હૈ પર ચાંદ-સૂરજ કી રોશની જૈસી
કંઈ ભૂમિકા એ હૈ જો હમારા મરણ-મિટ્ટીવાલો કા ખજાના હૈ -અમૃતા પ્રીતમ

ભગવાન કૌટિલ્ય? હા, કનૈયાલાલ મુનશીની એક નવલકથામાં ચાણક્ય ઉર્ફે વિષ્ણુગુપ્ત ઉર્ફે કૌટિલ્યને ‘ભગવાન કૌટિલ્ય’ કહ્યા છે. ૧૯૪૭-૪૮માં અમારે મુંબઈ યુનિવર્સિટીના ફર્સ્ટ યર કોમર્સના ગુજરાતી પાઠ્ય પુસ્તક તરીકે ભગવાન કૌટિલ્યની નવલકથા ચાલતી. આજે ૨૧મી સદીમાં ભારત અને વિદેશના લેખકો તેમજ પ્રકાશકો ચાણક્યનીતિ વિશે પુસ્તકો પ્રગટ કરવામાં જાણે ભોગ ખાઈને પાછળ પડ્યા છે. તો શું કામ ‘દિવ્ય ભાસ્કર’ના વાચકો કૌટિલ્ય અને ખાસ તો તેની ચાણક્યનીતિ વિશે ન જાણે?

તે માટે મેં ચાર એનસાઈકલોપીડિયા ભગવદ્ ગોમંડળ અને ખાસ તો મહાન ફિલસૂફ અને સંસ્કૃતિક ઈતિહાસવેત્તા વીલ ડુરોનો ગ્રંથ ‘ધ સ્ટોરી ઓફ સિવિલાઈઝેશન’નો આધાર લીધો. મને સૌથી આધારભૂત અને પ્રેરક વાત ગુજરાતી વિશ્વકોશના પાંચમા ખંડમાંથી મળી. વિકિપીડિયા પાસે કોઈ ખાસ માહિતી જ નહોતી. દશરથભાઈ વેદિયા અને એચ. જી. શાસ્ત્રીએ કૌટિલ્યની ટૂંકી જીવનગાથા લખી છે તે યુવાપેઢી કે તેમના માતા-પિતા વાંચી જાય. પરંતુ ભલે માત્ર બેંતાલીસ લીટી જ લખી હોય પણ એનસાઈકલોપીડિયા બ્રિટાનિકાની કૌટિલ્યની ટૂંકી ગાથા પણ મજેદાર છે. પ્રથમ આપણે વિશ્વકોશને જોઈએ.

‘કૌટિલ્ય અર્થશાસ્ત્ર’ નામનો તેના રાજનીતિ વિશેનો ગ્રંથ વિશ્વમાં પોલિટિક્સ વિશેના પ્રાચીન ગ્રંથોમાં પ્રથમ નંબર ધરાવે છે. ચાણક્ય એ તેના પિતાના નામ પરથી ‘ચણકનું અપત્ય’ (અપત્ય એટલે સંતાન) પડ્યું હશે. બુદેલખંડના નાગૌદાનગર નજીક ચણક ગામના નિવાસી હોવાથી ચાણક્ય કહેવાયા તેવોય મત છે. હકીકતમાં તેઓ કુટલ ગક્ષેત્રમાં જન્મ્યા હોવાથી કૌટિલ્ય કહેવાયા.

તેઓ કુટિલ રાજનીતિ ઉપદેશતા કે આચરતા તેથી કૌટિલ્ય કહેવાયા તે મત અને અર્થ બિલકુલ સાચો નથી(!?) ચાણક્યે ઉપદેશેલી રાજનીતિ નૈતિકતા વગરની કે કુટિલ નહોતી! શુદ્ધ હેતુ કે શુદ્ધ સાધ્યને સિદ્ધ કરવા માટેનો થોડોક વાંકો માર્ગ પણ તેણે ચિંધ્યો છે. કૌટિલ્ય બ્રાહ્નણ હતા. વધુ ભણવા તક્ષશિલા વિદ્યાપીઠ ગયા અને ત્યાં વેદશાસ્ત્રો અને રાજનીતિ શાસ્ત્રનો ખાસ અભ્યાસ કર્યો. પછી તે આચાર્ય બન્યા. ત્યારનો સમય રાજકીય ઊથલપાથલનો (૨૧મી સદી જેવો) હતો. ભારતમાં અનેક સ્વતંત્ર રાજ્યો અને ગણતંત્રો હતાં. સંકુચિત અને લોભી વૃત્તિ થકી બધા રાજા વેરવિખર હતા. એ સમયે ગ્રીસનો સિકંદર ભારત આવી પહોંચેલો.’

‘તક્ષશિલામાં આચાર્ય બનેલા કૌટિલ્યએ ચારેકોર સિકંદરનો ભય લાગવા લાગ્યો છે તે જોયું, તે તેને ગમ્યું નહી. આ ભય નિવારવા વિદ્યાર્થીઓ તેમ જ જનતાને કૌટિલ્યએ જાગૃત કર્યા. દેશભક્તોનું સંગઠન કર્યું. એક બ્રાહ્નણ આચાર્ય આમ લડવૈયો બન્યો.

તે સમયના ચંદ્રગુપ્ત મૌર્ય નામના મગધના રાજપુત્રની દોરવણીમાં સૌને એકત્રિત કર્યા. બધાં રાજ્યો સંગઠિત થયાં. મગધનું એક વિસ્તૃત બળવાન સામ્રાજ્ય ઊભું કર્યું. સરદાર પટેલ ૨૦મી સદીના કૌટિલ્ય ગણાય છે તે કેટલું બધું યથાર્થ છે! આ એક વિદ્વાન બ્રાહ્નણ તેની વિદ્વતાના બળે અને સરદાર પટેલની ઢબે આખા ભારતવર્ષને સંગઠિત કરે છે અને જાણે કવિ દિનકરની કવિતા ગાતા હોય તેમ લલકાર તેમણે કર્યો.

માત્ર મનુષ્ય નહીં ઈશ પુત્ર હૂં મૈં
મેરી કલ્પના કી જીભ મેં ભી ધાર હોતી હૈ
બાણ હી હોતે વિચારોં કે નહીં કેવલ
સ્વપ્ન કે ભી હાથ મેં તલવાર હોતી હૈ
આદમી કા સ્વપ્ન? હૈ વહ બુલબુલા જલ કા?
આજ બનતા ઔર કલ ફિર ફૂટ જાતા હૈ?
કિન્તુ તો ભી ધન્ય, ઠહરા આદમી હી તો
બુલબુલો સે ખેલતા જીવન કવિતા બનાતા હૈ!

કવિ દિનકરની કવિતાનો આવો સ્પિરિટ કૌટિલ્યમાં હતો. તેમનાં સ્વપ્નને અને કલ્પનાને પોતાની વિદ્યા, કુટિલ નીતિ અને એક રાજાનો સંગાથ લઈને હિન્દુસ્તાનને જગાડ્યું. હિન્દુસ્તાન આખાનું પ્રાણવાન જીવન-કાવ્ય જાણે રચ્યું.

આપણે એનસાઈકલોપીડિયા બ્રિટાનિકાએ લખેલી ટૂંકી જીવનગાથા જોઈએ. ૨૩૧૧ વર્ષ પહેલાં કૌટિલ્ય ઉર્ફે ચાણક્ય ઉર્ફે વિષ્ણુગુપ્ત નામનો એક હિન્દુ રાજપુરુષ થઈ ગયો. આ માનવે એક કલાસિકલ ગ્રંથ લખ્યો તે ભલે અર્થશાસ્ત્ર કહેવાય, પણ તેમાં અનેક પ્રકારની વિદ્યા છે. ૧૯૨૯માં તેમના સંસ્કૃત ગ્રંથનો (અર્થશાસ્ત્ર) અંગ્રેજી અનુવાદ થયો અને એક જ વર્ષમાં ૩ આવૃત્તિ થઈ ગઈ. તેમના આ ગ્રંથમાં માનવની મિલકતો, રાજકારણ, ભૌતિક સફળતા અને અર્થશાસ્ત્ર વિશે લખ્યું છે. કૌટિલ્ય બ્રાહ્નણ કુટુંબમાં જન્મ્યા અને તક્ષશિલામાં (અત્યારે તે પાકિસ્તાનમાં છે) શિક્ષણ લીધું. કૌટિલ્યને આરોગ્ય વિજ્ઞાન, ઔષધ વિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્રનું પણ ઊંડું જ્ઞાન હતું. અથૉત્ તે દરેક વિદ્યામાં પારંગત હતા. ગ્રીક અને પિર્શયન ભાષાથી પરિચિત હતા. ૨૩૧૧ વર્ષ પહેલાં તે ચોવીસ વર્ષ સુધી ચંદ્રગુપ્ત મૌર્યના રાજકીય સલાહકાર હતા.

મગધના પાટલીપુત્રના રાજા સંકુચિત હતા. તેને ફગાવી દેવામાં ચાણક્યે ચંદ્રગુપ્તને મદદ કરેલી. તમામ કારભારમાં કૌટિલ્યનો ગ્રંથ એક માર્ગદર્શક (ગાઈડ) જેવો હતો. કૌટિલ્યે સૌથી મહત્વની વાત એ લખી કે (ખુલ્લમ ખુલ્લા) રાજાએ કે રાજકર્તાએ એકદમ ચકોર, ચતુર અને દેશભક્ત એવા જાસૂસોનું જૂથ ઊભું કરવું જોઈએ. (જે બાબતમાં પાકિસ્તાન ઉસ્તાદ છે અને આપણે ઢ છીએ). સમાજના દરેક સ્તરે જાસૂસો રાખવામાં કોઈ વાંધો નથી અને એ કોઈ દેશનો દુશ્મન પુરવાર થાય તો તેને ખતમ કરવામાંય વાંધો નથી.

આ ગ્રંથ (અર્થશાસ્ત્ર)નાં પંદર પ્રકરણો છે તેમાં રાજનીતિનું પ્રકરણ શ્રેષ્ઠ છે. ઘણા પશ્ચિમના ફિલોસોફરો અને રાજનીતિઓ કૌટિલ્યને ફ્રેંચ પ્રિન્સ મેકિયાવેલી સાથે સરખાવે છે અને ઘણા તેમને એરિસ્ટોટલ અને પ્લેટો જેવા જ રાજકીય ફિલોસોફર ગણે છે. કૌટિલ્ય દેશના દુશ્મનો માટે રુથલેસ હતા-જે આજે ભારતના ડૉ. મનમોહનસિંઘ શું કે પહેલાંના અટલબિહારી શું કે રાજીવ ગાંધી શું. પાકિસ્તાન કે ચીન પરત્વે કદી રુથલેસ નહોતા. નહેરુ પણ નહીં. સરદાર પટેલ રુથલેસ હતા પણ તેમની રુથલેસનેસનો પણ અમલ થઈ શક્યો નહી. કૌટિલ્યનું સાઉન્ડ પોલિટિકલ વિઝડમ આજે ભારતને જરૂરી છે. કૌટિલ્યએ જે રાજનીતિ બતાવી તેને કારણે મૌર્ય શાસનમાં છેક સમ્રાટ અશોક સુધી તેને મોડેલરૂપે અપનાવાઈ હતી.

વીલ ડુરો નામના ફિલસૂફે લખેલા ૧૧ દળદાર ગ્રંથોનું નામ છે ‘અવર ઓરિએન્ટલ હેરિટેજ.’ આ ગ્રંથના પ્રથમ ભાગમાં જ (‘ધ સ્ટોરી ઓફ સિવિલાઈઝેશન’) કૌટિલ્ય વિશે વીલ ડુરોએ લખ્યું છે. આ ગ્રંથના સોળમા પ્રકરણમાં ચંદ્રગુપ્ત મૌર્યના સામ્રાજ્ય વિશે લખ્યું છે. વીલ ડુરોએ કૌટિલ્યના જીવન વિશે લખ્યું તેમાં જાણે કૌટિલ્યે સ્વામી વિવેકાનંદના કાવ્યમાંથી પ્રેરણા લીધી હોય તેવી વાત છે.

પ્રચંડ આવેગ અગાધ દુ:ખના
આ ઉભરાતા દરિયા મહીં
ફેંકાવું લોઢો (મોજાં) અહીથી તહી
દુ:ખો રહ્યાં સુખના સ્વપ્નમાં કદી
અહીં જિંદગી તે બસ મોત જીવતું
ને મૃત્યુનું તો ફરી ચક્ર ચાલતું
અનાદિને અંત વિના પ્રચંડ
દુ:ખો-સુખોનાં જહીં નિત્ય દ્વંદ્વ...

વીલ ડુરોએ કૌટિલ્ય વિશે આ કવિતાને મૂર્તરૂપ દેતા હોય તેમ લખ્યું છે. ‘ચંદ્રગુપ્ત એક ક્ષત્રિય રાજા હતો. તેને નંદકુળના રાજાએ મગધના રાજમાંથી ફેંકી દીધો. ચંદ્રગુપ્તની છુપાયેલી શક્તિઓ જોઈને કૌટિલ્ય તેની ભેરે ચઢ્યા. ત્યાં સુધી હિન્દુસ્તાન રાજાઓના અંદરોઅંદરના દ્વેષથી પીડાતું હતું. પ્રજા દુ:ખી હતી. એટલે કૌટિલ્ય ફ્રેંચ રાજપુરુષ મેકિયાવેલીની ઢબના સલાહકાર બન્યા અને મગધનું આખું સામ્રાજ્ય પાછું મેળવ્યું.

હિન્દુસ્તાનની પ્રજા માટે સુખનાં દ્વાર ખોલ્યાં. ચંદ્રગુપ્ત મૌર્ય અને ખાસ તો તક્ષશિલાની ગાથા તો મજેદાર છે પણ તક્ષશિલા વિશે પછીથી. ‘ચંદ્રગુપ્તના સાચા સલાહકાર કૌટિલ્ય હતા. કૌટિલ્ય ધર્મનું રાજકીય મૂલ્ય સમજતા હતા. પરંતુ તે માટે સાવ બબૂચક કહેવાય તેવા ઢીલાઢાલા પુસ્તકિયા ‘ધર્મિષ્ઠ’ નહોતા. તેમણે જ મગધમાં નકામા રાજા સામે બળવો કરાવ્યો. યુવાનોને પ્રેરણા આપી. જે કોઈ સામે થાય તેને ખતમ કર્યા.

તેમનું અનસ્ક્રૂપલસ વિઝડમ-કોઈને ગાંઠ્યા વગરનું ડહાપણ રાજા ચંદ્રગુપ્તને કામ લાગ્યુ. વીલ ડુરોની ભાષામાં વિથ કૌટિલ્ય-હેલ્પ ‘ચંદ્રગુપ્ત મેઈડ હિઝ ગવર્નમેન્ટ ધ મોસ્ટ પાવરફુલ ધેન એક્ઝિસ્ટિંગ ઈન ધ વર્લ્ડ.’ કેવું જબ્બર પ્રમાણપત્ર! કૌટિલ્યની રાજનીતિ થકી જ ચંદ્રગુપ્તનો ડંકો જગતભરમાં વાગી ગયો. કૌટિલ્ય ઘણી વખત દ્રોહી પણ પુરવાર થતા, પરંતુ રાજા પ્રત્યે કદી જ દ્રોહી થયા નહીં.

જ્યારે રાષ્ટ્રનું, પ્રજાનું કે રાજાનું હિત હોય તો મિત્ર દ્રોહ કે પતિ કે પત્ની દ્રોહ કરવામાં વાંધો નથી તેમ કહેતા. વીલ ડુરો લખે છે કે ‘દેશમાંથી હકાલપટ્ટી થઈ હોય, અમુક વખતે પરાજય સહન કરવો પડ્યો હોય, મરણના ભયવાળું સાહસ હોય, રાજકારણોની ગૂંચો હોય, કોઈને પતાવી દેવાનો હોય ત્યારે તે ઠંડા કલેજેથી વર્તતા. અરે ખાસ, વિજય વખતે તેમને કોઈ જ ગુમાન કે ચહેરા પર કોઈ વધુ પડતા હર્ષની લકીર પણ દેખાતી નહી.

કૌટિલ્યે સૌથી મોટું કામ એ કર્યું કે રાજનીતિની ફોર્મ્યુંલા તેમણે સંસ્કૃત ભાષામાં લખી તે અર્થશાસ્ત્રની આજે કરોડો નકલો અનેક ભાષામાં જગતભરમાં વેચાય છે. વિન્સેન્ટ સ્મિથ લખે છે કે હિન્દુસ્તાન જેવા દેશમાં ૨૩૧૧ વર્ષ પહેલાં આવું શ્રેષ્ઠ કારોબારવાળું અને વેલ ઓર્ગેનાઇઝ્ડ શહેરોવાળું સ્વચ્છ, સુંદર, કેળવાયેલું રાજ હોઈ શકે તેની કોઈને કલ્પના જ ન આવે. ચાણક્યના દીવાનપદ હેઠળ ઉદ્યોગોનું નિયંત્રણ થતું.

દેશમાં અજાણ્યો આવે તેના રેકોર્ડ રખાતા. ૩૦ જેટલા ધુરંધરોનાં કમિશનો બનાવેલાં. દરેક કમિશન જુદી જુદી કામગીરી નિષ્ઠાથી બજાવતા, જન્મમરણ નોંધાતા, અમુક ચીજોમાં ભાવનું ય નિયંત્રણ થતું. અરે વજનનાં કાટલાં પણ નિયમિત તપાસાતાં! દરેક વેચાણ ઉપર માત્ર ૧૦ ટકા સરખો વેરો લેવાતો. તે વેરો તમામ નાગરિક પ્રામાણિકતાથી ભરતા. એ જમાનામાં ગ્રામપંચાયતો હતી જ. દુષ્કાળની અગમચેતી તરીકે ધાનના કોઠાર રખાતા. જ્યારે પણ અર્થતંત્રમાં મંદી નડે તેને રાજા તરફથી મદદ મળતી. આ બધું કૌટિલ્યને આભારી છે. એ કૌટિલ્યની દરેક નીતિની અલગ કથા સાંભળવા જેવી છે. જરૂર સંભળાવીશ.

No comments:

Post a Comment