June 17, 2011


જિંદગીમાં સફળતાની તીવ્ર ચાહના, વ્યક્તિગત અને વ્યવસાયી ઉન્નતિની આકાંક્ષા, યશ, કોઈ નિશ્વિત સ્થાને પહોંચવાની અથવા કોઈ વિશિષ્ટ પરિણામ પ્રાપ્ત કરવાની કામના - આમાંથી એક કે એકથી વધારે બાબતોના તાર જોન અને એરિનના જ્ઞાનતંત્ર સાથે જોડાયેલા હતા, જે એમને પ્રેરણા આપતા હતા. વારંવાર મળતી અસફળતા પણ એમાં બાધક નહોતી. છેવટે જોનને પોતાના લક્ષ્યમાં સફળતા મળી. 

મનોવિજ્ઞાનીઓ આ ઇચ્છાને મહત્વાકાંક્ષા નામ આપે છે અને કહે છે, ‘આપણે આપણી ક્ષમતા અને નિપુણતાને વિસ્તૃત કરવા માટે આગળ વધવાના અવસર શોધતા હોઈએ છીએ. આપણે પડકારો ઝીલવા હોય છે. મહત્વાકાંક્ષા આ પ્રક્રિયાનો જ હિસ્સો છે. મહત્વાકાંક્ષા એક ખૂબ જ શક્તિશાળી આવેગ છે.’

મનોવિજ્ઞાની જુડિથ રોડિનના મતાનુસાર આગળ વધવાની ઇચ્છા આપણા સૌમાં સમાનરૂપે ગૂંથાયેલી હોય છે. પડકાર આપણા કામને વધુ સંતોષજનક બનાવે છે. ત્યાં સુધી કે જો આપણું કામ સીમિત, એકધારું અને નીરસ હોય તો પણ આપણે આગળ વધવાના રસ્તા શોધી જ કાઢીએ છીએ. 

No comments:

Post a Comment