June 17, 2011


સમજદાર લોકો એને પ્રેમરોગનું નામ આપશે. સામાન્ય રીતે બધા લોકો જીવનમાં ક્યારેક ને ક્યારેક કોઈને કોઇ રૂપે આ રોગથી ગ્રસ્ત થાય જ છે. અમુક સમય પછી એમને કોઈ તીવ્ર ઝટકો લાગે છે અને તેઓ એનાથી મુક્ત થઈ જાય છે. કેટલાક તો વળી પ્રેમમાં નિષ્ફળ જવાથી કે અપેક્ષાઓની પૂર્તિ ન થવાથી લગભગ પાગલ જેવી અવસ્થાએ પહોંચી જાય છે, વિક્ષિપ્ત થઈ જાય છે. આ ગાંડપણ કે વિક્ષિપ્તતાનો કયાં કોઈ ઈલાજ થઈ શકે છે? મજનૂ મહાશયનો ક્યારેય કોઈ ઈલાજ કરી શકયું છે?

મજનૂનો પ્રેમ તો અસાધારણ પ્રેમ હતો. ઓશો કહે છે કે સાધારણ પ્રેમમાં શું થાય છે? કોઈ ખાસ વ્યક્તિમાં તમને કંઈક એવું દેખાવા લાગે છે, જે અત્યારસુધી બીજા કોઈનામાં નહોતું દેખાતું. તમને ક્યારેક વિચાર આવ્યો છે કે પ્રેમીજન બીજાઓને પાગલ કેમ લાગે છે? એક વ્યક્તિ બીજીના પ્રેમમાં ડૂબે તો તમે હસશો. તમે કહેશો કે એ પાગલ છે, નાસમજ છે. વાતને સમજ, ભાનમાં આવ, આ શું કરી રહ્યો છે?

પ્રેમી પર આખી દુનિયા હસે છે, કેમકે આખી દુનિયા અંધ છે અને પ્રેમને નેત્ર અને દ્રષ્ટિ મળી ગયાં છે. એને કંઇક એવું દેખાય છે, જે બીજા કોઈને નથી દેખાતું. ‘હમ ખુદા કે કભી કાયલ ન થે, ઉનકો દેખા તો ખુદા યાદ આયા.’ પ્રેમી પહેલી વાર કોઈ સાધારણ વ્યક્તિમાં કોઈ ગેબી ઝલક મેળવી લે છે, પરમાત્માનાં દર્શન કરી લે છે. તમે જેના પારાવાર પ્રેમમાં પડો છો એનામાં જ તમને પરમાત્માની થોડી અમથી ઝલક પહેલી વાર મળે છે.

No comments:

Post a Comment