June 25, 2011

એક વાત ઘ્યાનમાં રાખવી કે જેના જીવનમાં ઉપરથી પોકાર નથી આવતો એના જીવનમાં નીચેથી બૂમ આવવાની શરૂઆત થઇ જાય છે. જીવનમાં બે પ્રકારના પોકાર છે. એક છે ઉપરથી આવતો, પહાડો પરથી આવતો પોકાર. મનુષ્યે પશુઓ સાથેની એક યાત્રા પૂર કરી છે. હવે એણે એક યાત્રા કરવાની છે પરમાત્માનાં દ્વાર સુધીની. ઉપરથી આવતો પોકાર એને પરમાત્મા સુધી લઇ જાય છે. નીચેથી આવતો પોકાર પશુઓનો પોકાર છે, જે એની પોતાની અંદર છુપાયેલો છે. જે રાજનીતિ એમ કહે કે ધર્મ સાથે અમારો કોઇ સંબંધ નથી, એ રાજનીતિ મનુષ્યની નિમ્નતમ વૃત્તિઓનો ખુલ્લો ખેલ બની રહે છે.

No comments:

Post a Comment