October 1, 2011

જ્યારે તમારા માર્ગમાં રુકાવટ આવે છે ત્યારે તે માટે બીજા કોઈ જવાબદાર નથી. માત્ર તમારું વલણ જવાબદાર હોય છે. જે સાચી પ્રભુપ્રીત્યાર્થે પ્રવૃત્તિ કરે છે તેને કોઈ રુકાવટ નથી. હવે આ પ્રભુપ્રીત્યાર્થ શું છે? ગોડ શું છે? તમે ગોડ એટલે પ્રેમ કહી શકો. તમે ગોડ એટલે ગુડનેસ કહી શકો પણ ઈશ્વરનું શ્રેષ્ઠ નામ કોમ્પેશન છે. માયાળુતા છે. કરુણા છે. અનુકંપા છે. સહાનુભૂતિ છે. આ ગુણ પૂર્ણ પ્રમાણમાં તમારામાં વિકસ્યા હોય તો તમે જ ઈશ્વર છો અને તેથી પ્રેમનાં સૌથી મોટા હક્કદાર બનો છો. વળી, ઈશ્વર તમારી પાસેથી શું અબળખા રાખે છે? એ પીસફુલ હાર્ટ. તમે શાંતિથી ભરેલા હો તો તમે ઈશ્વરથી ભરેલા છો તે ડો. એકહાર્ટનું શ્રેષ્ઠ સૂત્ર છે.

No comments:

Post a Comment