October 18, 2011

જામીન પર મુક્ત થયેલા સસ્પેન્ડેડ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે વિવિધ સમાચાર માધ્યમો-ટીવી ચેનલો સાથે વાત કરતા મોદી સરકાર વિરૂદ્ધ સ્ફોટક નિવેદનો કર્યા હતા. તેમણે હરેન પંડ્યાની જેમ પોતાની પણ હત્યા કરવામાં આવે એવી આશંકા વ્યક્ત કરી હતી, જો કે આત્મવિશ્વાસથી છલોછલ ભટ્ટે મોદી સામે લડાઈ ચાલુ રાખવાનું એલાન પણ કર્યું હતું, 

આ રહ્યા સંજીવ ભટ્ટના કેટલાક નિવેદનોઃ

-હું નરેન્દ્ર મોદી માટે ખતરારૂપ છે
-હરેન પંડ્યાની જેમ મારી સાથે પણ કંઈ પણ કરી શકે છે
-સાથે કામ કરનાર અધિકારીઓ, અગાઉના વડાઓએ ઘણો સાથ આપ્યો
-કોન્સ્ટેબલ પંતે કરેલા આક્ષેપોની સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ થવી જોઈએ
-મોદીને ક્રિમિનલ તરીકે જોવાનું ચાલું રાખીશ
-કોઈપણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર
-મોદી સરકાર માટે ખતરો હોવાથી મારો કાંટો કાઢી નાખવામાં આવે એવું બની શકે છે
-મારી ધરપકડ બાદ મારા ઘરમાંથી ઘણા દસ્તાવેજો સળગાવી દેવામાં આવ્યા
-રમખાણો દરમિયાન ઈન્ટેલિજન્સ બ્યુરોમાં કામ કરતી વખતે ઘણા દસ્તાવેજો એકત્ર કર્યા હતા
-દરેક પોલીસ અધિકારીઓના સેલફોન પર નજર રાખવામાં આવે છે તેથી કોઈપણ ફોન પર વાત કરતા નથી
-ધરપકડ બાદ પોલીસ દ્વારા પરિવારજનો સાથે કરવામાં આવેલા વ્યવહારના સંદર્ભમાં સંજીવ ભટ્ટે કહ્યું, ‘ચિતરંજનદાસ અને સુધીરસિંહા જેવા અધિકારીઓ પાસેથી બીજી શું અપેક્ષા રાખી શકાય?’

No comments:

Post a Comment