June 17, 2011

ચારપાંચ દાયકા પહેલાં દર એક મહિને સુરત, અમદાવાદ કે મુંબઇમાં એક-બે જૈન યુવક-યુવતી દીક્ષા લેતાં. આજે સંખ્યા ઘટી ગઈ છે. કથાકારોની કથામાં શ્રોતાની સંખ્યા ઘટતી જાય છે. હા, મંદિરો, મક્કાની હજ અને ગુરદ્વારામાં ગિરદી વધી છે. તીર્થસ્થાનોમાં ગિરદી વધી છે. તેનો અર્થ એ થયો કે તમામ સમૃદ્ધિ છતાં પીડા અને બીમારી વઘ્યાં છે. તેના ઇલાજ માટે માણસ હાથ ઊંચા કરી દે છે ત્યારે ઇશ્વર, અલ્લાહ કે મહાવીર ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધે છે. અશ્રદ્ધાળુ કે નિરીશ્વરવાદીઓ તેમ જ ‘ગોડ ઈઝ ડેડ’નું સૂત્ર લખનારા નિત્શે જેવા જર્મન ફિલોસોફરો પણ ગાંગરી ગાંગરીને મરી ગયા છતાં આજે આપણે વધુ ને વધુ ઇશ્વરમાં માનતા થયા છીએ. તો શું માનવજાત ઇશ્વરનું સતત રટણ કરતી કરતી ઉપભોગ, સેકસનો અતિરેક, હિંસા અને ધનનો લોભ કરીકરીને નષ્ટ થઇ જવાની છે? ના. ઇશ્વરે એ માટે સૃષ્ટિ રચી નથી તેવી ખાતરી પણ તાજેતરમાં તાજી થતી જાય છે.

No comments:

Post a Comment